AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Train Accident: મમતા બેનર્જી, નીતિશ કુમાર અને લાલુ પ્રસાદ યાદવ રેલવે મંત્રી હતા ત્યારે 184 અકસ્માત થયા, મૃત્યુઆંક છે ભયજનક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કર્યું છે કે અકસ્માતના દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે ગઈકાલે અકસ્માત સ્થળની મુલાકાત લીધી હતી. તે જ સમયે, રેલ્વે મંત્રી બે દિવસથી સ્થળ પર હાજર છે અને બચાવ પછી કરવામાં આવી રહેલા સમારકામની કામગીરી પર નજીકથી નજર રાખી રહ્યા છે.

Train Accident: મમતા બેનર્જી, નીતિશ કુમાર અને લાલુ પ્રસાદ યાદવ રેલવે મંત્રી હતા ત્યારે 184 અકસ્માત થયા, મૃત્યુઆંક છે ભયજનક
Mamata Banerjee, Nitish Kumar and Lalu Prasad Yadav (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 04, 2023 | 8:14 PM
Share

Coromandel Express Accident: બેંગલુરુ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ ઓડિશાના (Odisha) બાલાસોરમાં લૂપ લાઈન પર ઊભેલી માલગાડી સાથે અથડાઈ હતી. ટ્રેનની બોગી બાજુના ટ્રેક પર પડી હતી. પછી શાલીમાર-ચેન્નઈ સેન્ટ્રલ કોરોમંડલ એક્સપ્રેસ આવી અને તે પણ ટકરાઈ. માત્ર 20 મિનિટના ગાળામાં ત્રણ ટ્રેનો એકબીજા સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 275 લોકોના મોત થયા છે, જ્યારે 1000થી વધુ મુસાફરો ઘાયલ થયા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કર્યું છે કે અકસ્માતના દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે ગઈકાલે અકસ્માત સ્થળની મુલાકાત લીધી હતી. તે જ સમયે, રેલ્વે મંત્રી બે દિવસથી સ્થળ પર હાજર છે અને બચાવ પછી કરવામાં આવી રહેલા સમારકામની કામગીરી પર નજીકથી નજર રાખી રહ્યા છે.

આ સાથે તેમણે અકસ્માત કયા કારણોસર થયો તેની પણ માહિતી આપી છે. તેમનું કહેવું છે કે આ અકસ્માત ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગને કારણે થયો હતો. હવે ચાલો તમને જણાવીએ કે જ્યારે મમતા બેનર્જી, નીતિશ કુમાર અને લાલુ પ્રસાદ યાદવ રેલ્વે મંત્રી હતા ત્યારે કેટલા ટ્રેન અકસ્માતો થયા હતા?

આ પણ વાંચો: Breaking News : બાલાસોર ટ્રેન અકસ્માતની તપાસ CBI કરશે, રેલવે મંત્રીએ જાહેરાત કરી

મમતા બેનર્જી જ્યારે રેલ્વે મંત્રી હતા ત્યારે 54 ટ્રેન અકસ્માતો થયા હતા

રેલવે મંત્રી તરીકે મમતા બેનર્જીના કાર્યકાળ દરમિયાન બે મોટા રેલ અકસ્માતો થયા હતા. 54 ટ્રેનો એકબીજા સાથે અથડાઈ. 839 ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી અને 1451 લોકોના મોત થયા હતા. બેનર્જી મંત્રી બન્યાના માત્ર 15 મહિનામાં જ એક ડઝનથી વધુ મોટી ટ્રેન અકસ્માતોમાં લગભગ 270 મુસાફરોના મોત થયા હતા.

જ્યારે નીતિશ રેલ્વે મંત્રી હતા ત્યારે 79 ટ્રેન અકસ્માતો થયા હતા

બિહારના વર્તમાન મુખ્યમંત્રી નીતિશ કુમારે 19 માર્ચ 1999થી ઓગસ્ટ 1999 સુધી એટલે કે માત્ર 139 દિવસ અને ફરીથી 20 માર્ચ 2001થી 22 મે 2004 સુધી એટલે કે 3 વર્ષ 63 દિવસ સુધી રેલ્વે મંત્રી તરીકે સેવા આપી હતી. તે દરમિયાન 79 રેલ અકસ્માતો થયા હતા, જ્યારે 1000 ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. આ અકસ્માતોમાં લગભગ 1527 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઓગસ્ટ 1999માં આસામમાં ગેસલ ટ્રેન દુર્ઘટનામાં ઓછામાં ઓછા 290 મુસાફરો માર્યા ગયા હતા.

જ્યારે લાલુ યાદવ રેલ્વે મંત્રી હતા ત્યારે 51 ટ્રેન અકસ્માતો થયા હતા

બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવે 22 મે 2004થી 22 મે 2009 સુધીના સમગ્ર સમયગાળા માટે રેલ્વે મંત્રીનો ચાર્જ સંભાળ્યો હતો. તેમના વિશે એવું કહેવાય છે કે રેલવે મંત્રી રહીને તેમણે ટ્રેનને પાટા પર લાવવાનું કામ કર્યું હતું. આ દરમિયાન 51 ટ્રેનો એકબીજા સાથે અથડાઈ હતી અને 550 ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. આ અકસ્માતોમાં 1159 મુસાફરોએ જીવ ગુમાવ્યા હતા.

કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન અકસ્માતના અન્ય સમાચાર જાણવા અહીં ક્લિક કરો.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
બ્રહ્મસમાજે સ્વામી સામે ખોલ્યો મોરચો,માફી નહીં માંગે તો વિરોધની ચેતવણી
બ્રહ્મસમાજે સ્વામી સામે ખોલ્યો મોરચો,માફી નહીં માંગે તો વિરોધની ચેતવણી
ડીઝલનો 40 ટકા જથ્થો ઉપલબ્ધ, સાંસદ પરષોત્તમ રુપાલાનું નિવેદન!
ડીઝલનો 40 ટકા જથ્થો ઉપલબ્ધ, સાંસદ પરષોત્તમ રુપાલાનું નિવેદન!
કચ્છ જિલ્લાના તહેરા ગામ પાસે ઝાડીમાંથી શંકાસ્પદ ડ્રોન મળ્યું
કચ્છ જિલ્લાના તહેરા ગામ પાસે ઝાડીમાંથી શંકાસ્પદ ડ્રોન મળ્યું
હાઈડ્રોલિક મશીનથી 4 લોકોનું રેસ્ક્યુ કરાયું જુઓ Video
હાઈડ્રોલિક મશીનથી 4 લોકોનું રેસ્ક્યુ કરાયું જુઓ Video
અમદાવાદના ₹2600 કરોડના ગટર પ્રોજેક્ટને હાઇકોર્ટમાં પડકાર, જુઓ-Video
અમદાવાદના ₹2600 કરોડના ગટર પ્રોજેક્ટને હાઇકોર્ટમાં પડકાર, જુઓ-Video
પોલીસ પર પથ્થરમારો કરનારા આરોપી સદ્દામ અંસારીની ધરપકડ!
પોલીસ પર પથ્થરમારો કરનારા આરોપી સદ્દામ અંસારીની ધરપકડ!
Breaking News : ગુજરાતની રાજ્યસભાની ચાર બેઠકો પર ચૂંટણી યોજાશે
Breaking News : ગુજરાતની રાજ્યસભાની ચાર બેઠકો પર ચૂંટણી યોજાશે
ઓફિસ વિવાદમાં જીત નક્કી, બિઝનેસમાં નફો અને આવકના નવા સ્રોત ખુલશે
ઓફિસ વિવાદમાં જીત નક્કી, બિઝનેસમાં નફો અને આવકના નવા સ્રોત ખુલશે
NEET પુનઃપરીક્ષા પહેલા પેપર લીકનું કૌભાંડ? યુવરાજસિંહનો મોટો દાવો
NEET પુનઃપરીક્ષા પહેલા પેપર લીકનું કૌભાંડ? યુવરાજસિંહનો મોટો દાવો
માંડવીમાં સ્વામીના નિવેદનથી બ્રહ્મ સમાજ નારાજ, ધારાસભ્યનો વળતો પ્રહાર
માંડવીમાં સ્વામીના નિવેદનથી બ્રહ્મ સમાજ નારાજ, ધારાસભ્યનો વળતો પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">