Ayodhya Ram Mandir : રામમંદિરના ગર્ભગૃહ નિર્માણની પ્રથમ ઈંટનું શિલાપૂજન કરશે CM યોગી આદિત્યનાથ

(Ram Janma Bhoomi ) ટ્રસ્ટ દ્વાર ગત અઠવાડિયે એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે ર્ગભ ગૃહના નિર્માણ માટે રાજસ્થાનના(Rajasthan) મકરાણાના પ્રસિદ્દ સફેદ માર્બલનો ઉપયોગ કરવામાં આવશે. આ પ્રોજેકટમાં કુલ 8થી 9 લાખ ઘનફૂટ સેન્ડસ્ટોનનો ઉપયોગ કરવામાં આવશે.

Ayodhya Ram Mandir : રામમંદિરના ગર્ભગૃહ નિર્માણની પ્રથમ ઈંટનું શિલાપૂજન કરશે CM યોગી આદિત્યનાથ
Ayodhya Ram Mandir
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 01, 2022 | 7:20 AM

બુધવારે અયોધ્યામાં રામ મંદિરના (Ayodhya Ram Mandir) ગર્ભગૃહની પ્રથમ શિલારોપણ વિધી કરવામાં આવશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ(CM yogi Aditya nath) શિલાપૂજન કરીને પહેલો પત્થર મૂકશે.  સીએમ યોગી ગર્ભગૃહના નિર્માણ માટે પ્રથમ શિલારોપણ કરશે. આ માટે અયોધ્યામાં પૂરજોશમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગર્ભગૃહના શિલારોપણ વિધીનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટીના રિપોર્ટ અનુસાર, ગર્ભગૃહ 20 ફૂટ પહોળું અને 20 ફૂટ લાંબુ હશે. તેમાં મકરાણા માર્બલ લગાવવામાં આવશે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ ગર્ભગૃહની ઉત્તર-પશ્ચિમ દિશામાં પ્રથમ પથ્થર મૂકીને શિલાપૂજન કરશે.

રામજન્મભૂમિ (Ram Janma Bhoomi ) ટ્રસ્ટ દ્વાર ગત અઠવાડિયે એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે ર્ગભ ગૃહના નિર્માણ માટે રાજસ્થાનના(Rajasthan) મકરાણાના પ્રસિદ્દ સફેદ માર્બલનો ઉપયોગ કરવામાં આવશે. આ પ્રોજેકટમાં કુલ 8થી 9 લાખ ઘનફૂટ સેન્ડસ્ટોનનો ઉપયોગ કરવામાં આવશે.

આ સાથે રામલલાના બહુપ્રતિક્ષિત ગર્ભગૃહનું નિર્માણ કાર્ય શરૂ થશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગર્ભગૃહનું કામ 1 જૂને સવારે 9 વાગ્યે કોતરેલા અને સુંદર નકશીકામ કરેલા પથ્થરોથી શરૂ કરવામાં આવશે. આ કાર્ય સારી રીતે પૂર્ણ થાય તે માટે 28 મેથી પરિસરમાં અનુષ્ઠાન કરવામાં આવી રહ્યા છે. આ પરિસરમાં છેલ્લા ત્રણ અનુષ્ઠાન ચાલી રહ્યા છે તેમાં વૈદિક પૂજારીઓ ભાગ લઈ રહ્યા છે. 1 જૂનની સવારે ગર્ભગૃહનું નિર્માણ કાર્ય શરૂ થતાંની સાથે જ આ ધાર્મિક વિધિ પૂર્ણ થઈ જશે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

સીએમ યોગી રામ મંદિરના ગર્ભગૃહનો શિલાન્યાસ કરશે

ગર્ભગૃહના નિર્માણ કાર્યનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. મળતી માહિતી મુજબ અયોધ્યામાં 12 સ્થળોએ મોટી એલઈડી સ્ક્રીન પર શિલાપૂજનનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે. રામ જન્મભૂમિ ટ્રસ્ટ મંદિર નિર્માણના પ્રભારીએ ગયા અઠવાડિયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગર્ભગૃહમાં રાજસ્થાનના મકરાણાના પ્રસિદ્ધ સફેદ આરસપહાણ સ્થાપિત કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં કુલ 8 થી 9 લાખ ઘનફૂટ સેન્ડસ્ટોનનો ઉપયોગ કરવામાં આવશે.તેમજ 6.37 લાખ ઘનફૂટ ગ્રેનાઈટ અને 4.70 લાખ ઘનફૂટ આવેલ ગુલાબી સેન્ડસ્ટોન લગાવવામાં આવશે. જે નકશીકામવાળા હશે. ગર્ભગૃહમાં 13.300 ઘનફૂટ સફેદ મકરાણા પથ્થર સ્થાપિત કરવામાં આવશે.

ગર્ભગૃહના નિર્માણ બાદ પરિક્રમાનો માર્ગ બનાવવામાં આવશે

મંદિરનું ભૂમિપૂજન ઓગસ્ટ 2020માં પીએમ નરેન્દ્ર મોદીએ કર્યું હતું. જે બાદ બાંધકામની કામગીરી શરૂ કરવામાં આવી હતી. 1 જૂને મંદિરના ગર્ભગૃહનો શિલાન્યાસ થશે. આ માટે સીએમ યોગી આવતીકાલે અયોધ્યા પહોંચી રહ્યા છે.આના નિર્માણ બાદ પરિક્રમા પથનું નિર્માણ કાર્ય પણ શરૂ કરવામાં આવેશે. રામજન્મભૂમિ સંકુલની બહાર દ્રવિડિયન શૈલીમાં રામલલા દેવસ્થાનમનું નિર્માણ 31 મેથી શરૂ થઈ ગયું છે. હવે 1 જૂને મંદિરના ગર્ભગૃહનો શિલાન્યાસ થશે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">