AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સિયાચીન ગ્લેશિયરમાં હિમસ્ખલન, સેનાના 3 જવાન શહીદ, બચાવ કામગીરી ચાલુ

સિયાચીન ગ્લેશિયરમાં ભારે હિમસ્ખલનને કારણે સરહદ પર તહેનાત ત્રણ ભારતીય સૈનિકો શહીદ થયા છે. ખરાબ હવામાન છતાં, બચાવ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે.

સિયાચીન ગ્લેશિયરમાં હિમસ્ખલન, સેનાના 3 જવાન શહીદ, બચાવ કામગીરી ચાલુ
File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 09, 2025 | 8:48 PM
Share

વિશ્વના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્ર, સિયાચીન ગ્લેશિયરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. સિયાચીન ગ્લેશિયરમાં મોટા પાયે હિમસ્ખલન થયું છે. ત્યાં તહેનાત ભારતીય સેનાના સૈનિકો પણ હિમસ્ખલનની ઝપેટમાં આવી ગયા હતા. આ અકસ્માતમાં ત્રણ સૈનિકો શહીદ થયા છે. સૈન્ય અધિકારીઓને હિમસ્ખલનની માહિતી મળતા જ તાત્કાલિક એક બચાવ ટીમને સ્થળ પર મોકલવામાં આવી હતી. બચાવ ટીમે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ખરાબ હવામાન અને પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં, સૈનિકો આ વિસ્તારમાં મજબૂત રીતે તહેનાત રહે છે અને ભારતની સરહદોનું દુશ્મનોની સામે રક્ષણ કરે છે.

સિયાચીન ગ્લેશિયરને વિશ્વનું સૌથી ઊંચું યુદ્ધક્ષેત્ર કહેવામાં આવે છે. આ એક ખૂબ જ ઠંડો વિસ્તાર છે. જ્યાં સૈનિકો માટે બરફના તોફાન એક મોટો પડકાર રહે છે. આ વિસ્તાર લદ્દાખ ક્ષેત્રના કારાકોરમ રેન્જના પૂર્વ ભાગમાં આવે છે. આ વિસ્તારની ઊંચાઈની વાત કરીએ તો, તે 54,000 મીટર એટલે કે સમુદ્ર સપાટીથી લગભગ 18000 ફૂટ ઉપર છે. સિયાચીન ગ્લેશિયરના કેટલાક વિસ્તારો 7,500 મીટર એટલે કે લગભગ 24000 ફૂટ જેટલા ઊંચા છે.

સિયાચીન ગ્લેશિયરની કુલ લંબાઈ 76 કિલોમીટર છે, જે વિશ્વનો બીજો સૌથી મોટો બિન-ધ્રુવીય ગ્લેશિયર છે. શિયાળા દરમિયાન અહીંનું તાપમાન -50 ડિગ્રી સુધી નીચે જાય છે. સિયાચીન ક્ષેત્ર ભારતીય સરહદ પર પણ મહત્વપૂર્ણ છે કારણ કે તે ભારત-પાકિસ્તાન અને ચીનની ત્રિકોણાકાર સરહદ પર સ્થિત છે. આ વિસ્તાર વ્યૂહાત્મક દૃષ્ટિકોણથી ખૂબ જ સંવેદનશીલ છે.

ખાસ તાલીમ પછી તહેનાતી કરવામાં આવે છે

1984 માં, ઓપરેશન મેઘદૂત હેઠળ, ભારતીય સેનાએ આ સમગ્ર ગ્લેશિયર પર નિયંત્રણ સ્થાપિત કર્યું. ત્યારથી ભારતીય સેના અહીં તહેનાત છે. આ સમગ્ર વિસ્તારની સુરક્ષાની જવાબદારી ભારતીય સેનાની 14 કોર્પ્સ (લેહ) હેઠળ છે. સિયાચીન બ્રિગેડ (102 ઇન્ફન્ટ્રી બ્રિગેડ) અહીં આગળની પોસ્ટ્સ પર તૈનાત છે. અન્ય યુનિટ્સ પણ વિવિધ વિસ્તારોમાં તૈનાત છે. સૈનિકોને અહીં ઊંચાઈ પર યુદ્ધની વિશેષ તાલીમ આપવામાં આવે છે.

ભારતમાં સૈન્યની ત્રણ પાંખ છે. ભૂમિદળ, નૌકાદળ અને હવાઈ દળ. સૈન્યની આ ત્રણેય પાંખની કામગીરી પણ અલગ અલગ છે.  ભારતીય સેનાને લગતા સમાચાર માટે અહીં ક્લિક કરો

Follow Us
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
g clip-path="url(#clip0_868_265)">