AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Atique Ahmed Murder: અતીક અહેમદની કેવી રીતે થઈ હત્યા? પોલીસે હત્યારાઓને સુરક્ષા વચ્ચે કેમ આવવા દીધા? જાણો કારણ

Atique Ahmed Murder: અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની પ્રયાગરાજમાં હુમલાખોરોએ આવીને ગોળી મારી હત્યા કરી દીધી છે.

Atique Ahmed Murder: અતીક અહેમદની કેવી રીતે થઈ હત્યા? પોલીસે હત્યારાઓને સુરક્ષા વચ્ચે કેમ આવવા દીધા? જાણો કારણ
Atique Ahmed Murder
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 16, 2023 | 12:30 AM
Share

પ્રયાગરાજ માં શનિવારે રાત્રે અતીક અહેમદ અને તેના ભાઈ અશરફને લમણા પર ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. પોલીસ દ્વારા મેડિકલ માટે અતીક અને અશરફને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા તે દરમિયાન જ તે બંનેની હત્યા કરી દેવામાં આવી હતી. હુમલાખોર દ્વારા લમણા પર બંદૂક રાખીને ફાયરિંગ કર્યુ હતું. રિપોર્ટ્સ મુજબ લગભગ 14 જેટલા રાઉન્ડ ગોળીબાર કરીને હત્યા કરી દેવામાં આવી હતી. અતીક અને અશરફની ગોળી મારી હત્યા કરી દીધા બાદ હુમલાખોરોએ પોલીસ સમક્ષ સરેન્ડર કરી દીધું હતું.

જે પ્રમાણે અતીક અને અશરફને લાવવા અને લઈ જવા દરમિયાન ખૂબ જ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવતો હતો. તો હવે હત્યા બાદ સવાલો એ વાત ના થઈ રહ્યા છે કે, પોલીસના ચુસ્ત સુરક્ષા ઘેરા વચ્ચે તેમની હત્યા કેવી રીતે થઈ ગઈ હુમલાખોરો તેઓની નજીક પહોંચી કેવી રીતે શક્યા હતા. જાણકારી જે પ્રમાણે સામે આવી રહી છે એ મુજબ શૂટર્સ પત્રકારના વેશમાં આવ્યા હતા અને તેમની પાસે આ રીતે પહોંચીને હત્યાને અંજામ આપ્યો હતો. પોલીસે પત્રકાર સમજીને તેમને સુરક્ષા ઘેરામાં નજીક આવવા દીધા હતા.

પત્રકાર બની આવ્યા હુમલાખોર

પોલીસ અતીક અને અશરફને મેડિકલ માટે લઈ જઈ રહી હતી એ દરમિયાન જ કાલ્વિન હોસ્પિટલ પાસે તે બંનેની હત્યા કરી દેવામાં આવી હતી. અતીક અહેમદની હત્યા બાદ એક દમ જ સન્નાટો વ્યાપી ચૂક્યો છે. અતીક અહેમદ મીડિયા સાથે વાત કરી રહ્યો હતો. આવી ઘટના ઘટશે તેની કોઈને કલ્પના પણ નહોતી. બે હુમલાખોરો પત્રકાર બનીને આવ્યા હતા. તેમની સાથે હથિયારો હતા. બંનેએ ઝડપથી ગોળીબાર શરુ કરી દીધો હતો અને લગભગ 14 રાઉન્ડ ગોળીઓથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો.

જોકે આ હત્યા કરીને શૂટરો ભાગ્યા નહીં અને હાથ ઊંચા કરીને પોલીસની સમક્ષ સરેન્ડર કર્યું હતુ. ફાયરિંગ કરનારા ત્રણ શૂટરોના નામ લવલેશ તિવારી, સની, અરુણ મૌર્ય છે. સીએમ યોગી આ હત્યાકાંડથી ખુશ નથી. તેમણે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. મુખ્યપ્રધાન આદિત્ય યોગી એ રાજ્યના પોલીસ વડા અને એડીશનલ ડીજી લો એન્ડ ઓર્ડરને સતર્ક કર્યા છે. મુખ્યપ્રધાન યોગી હત્યાની આ ઘટનાને લઈ નાખુશ હોવાના મીડિયા રીપોર્ટ્સમાં બતાવાઈ રહ્યુ છે.

આ પણ વાંચોઃ Atique Ahmed Murder: અતીક અહેમદના સાડા ચાર દશકના ‘આંતક’ નો 49 દિવસમાં જ અંત, રાજૂ પાલના સાક્ષીની હત્યા ‘કાળ’ બની

દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર 

 દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">