AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Atique Ahmed Murder: અતીક અહેમદની કેવી રીતે થઈ હત્યા? પોલીસે હત્યારાઓને સુરક્ષા વચ્ચે કેમ આવવા દીધા? જાણો કારણ

Atique Ahmed Murder: અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની પ્રયાગરાજમાં હુમલાખોરોએ આવીને ગોળી મારી હત્યા કરી દીધી છે.

Atique Ahmed Murder: અતીક અહેમદની કેવી રીતે થઈ હત્યા? પોલીસે હત્યારાઓને સુરક્ષા વચ્ચે કેમ આવવા દીધા? જાણો કારણ
Atique Ahmed Murder
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 16, 2023 | 12:30 AM
Share

પ્રયાગરાજ માં શનિવારે રાત્રે અતીક અહેમદ અને તેના ભાઈ અશરફને લમણા પર ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. પોલીસ દ્વારા મેડિકલ માટે અતીક અને અશરફને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા તે દરમિયાન જ તે બંનેની હત્યા કરી દેવામાં આવી હતી. હુમલાખોર દ્વારા લમણા પર બંદૂક રાખીને ફાયરિંગ કર્યુ હતું. રિપોર્ટ્સ મુજબ લગભગ 14 જેટલા રાઉન્ડ ગોળીબાર કરીને હત્યા કરી દેવામાં આવી હતી. અતીક અને અશરફની ગોળી મારી હત્યા કરી દીધા બાદ હુમલાખોરોએ પોલીસ સમક્ષ સરેન્ડર કરી દીધું હતું.

જે પ્રમાણે અતીક અને અશરફને લાવવા અને લઈ જવા દરમિયાન ખૂબ જ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવતો હતો. તો હવે હત્યા બાદ સવાલો એ વાત ના થઈ રહ્યા છે કે, પોલીસના ચુસ્ત સુરક્ષા ઘેરા વચ્ચે તેમની હત્યા કેવી રીતે થઈ ગઈ હુમલાખોરો તેઓની નજીક પહોંચી કેવી રીતે શક્યા હતા. જાણકારી જે પ્રમાણે સામે આવી રહી છે એ મુજબ શૂટર્સ પત્રકારના વેશમાં આવ્યા હતા અને તેમની પાસે આ રીતે પહોંચીને હત્યાને અંજામ આપ્યો હતો. પોલીસે પત્રકાર સમજીને તેમને સુરક્ષા ઘેરામાં નજીક આવવા દીધા હતા.

પત્રકાર બની આવ્યા હુમલાખોર

પોલીસ અતીક અને અશરફને મેડિકલ માટે લઈ જઈ રહી હતી એ દરમિયાન જ કાલ્વિન હોસ્પિટલ પાસે તે બંનેની હત્યા કરી દેવામાં આવી હતી. અતીક અહેમદની હત્યા બાદ એક દમ જ સન્નાટો વ્યાપી ચૂક્યો છે. અતીક અહેમદ મીડિયા સાથે વાત કરી રહ્યો હતો. આવી ઘટના ઘટશે તેની કોઈને કલ્પના પણ નહોતી. બે હુમલાખોરો પત્રકાર બનીને આવ્યા હતા. તેમની સાથે હથિયારો હતા. બંનેએ ઝડપથી ગોળીબાર શરુ કરી દીધો હતો અને લગભગ 14 રાઉન્ડ ગોળીઓથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો.

જોકે આ હત્યા કરીને શૂટરો ભાગ્યા નહીં અને હાથ ઊંચા કરીને પોલીસની સમક્ષ સરેન્ડર કર્યું હતુ. ફાયરિંગ કરનારા ત્રણ શૂટરોના નામ લવલેશ તિવારી, સની, અરુણ મૌર્ય છે. સીએમ યોગી આ હત્યાકાંડથી ખુશ નથી. તેમણે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. મુખ્યપ્રધાન આદિત્ય યોગી એ રાજ્યના પોલીસ વડા અને એડીશનલ ડીજી લો એન્ડ ઓર્ડરને સતર્ક કર્યા છે. મુખ્યપ્રધાન યોગી હત્યાની આ ઘટનાને લઈ નાખુશ હોવાના મીડિયા રીપોર્ટ્સમાં બતાવાઈ રહ્યુ છે.

આ પણ વાંચોઃ Atique Ahmed Murder: અતીક અહેમદના સાડા ચાર દશકના ‘આંતક’ નો 49 દિવસમાં જ અંત, રાજૂ પાલના સાક્ષીની હત્યા ‘કાળ’ બની

દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર 

 દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">