સર્જીકલ સ્ટ્રાઈક વખતે પાકિસ્તાને કોઈ પણ પગલું લીધું હોત તો જોધપુરથી ભારતના આ વિમાનો માત્ર 15 મિનિટમાં જ કરાચી અને ઈસ્લામાબાદનું નામ નકશામાંથી મિટાવી દેવા તૈયાર જ હતાં
પુલાવામા હુમલાનો બદલો લેવા માટે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ઘુસીને આતંકવાદી જૈશ એ મોહમ્મદના ઠેકાણાઓને નષ્ટ કરી દીધા. ભારતીય વાયુસેનાના મિરાજ-2000થી Locની સીમાને લાંઘીને ઍર સ્ટ્રાઈક માટે રાજસ્થાનના જોધપુરથી પણ ફાઈટર વિમાનોએ જમ્મૂ કાશ્મીર માટે ઉડાન ભરી હતી. ભારત દ્વારા Locની સીમા લાંઘીને સર્જીકલ સ્ટ્રાઈક 2.0 ના જવાબમાં પાકિસ્તાન તરફ હુમલો કરવાની શંકા હતી. […]
પુલાવામા હુમલાનો બદલો લેવા માટે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ઘુસીને આતંકવાદી જૈશ એ મોહમ્મદના ઠેકાણાઓને નષ્ટ કરી દીધા.
ભારતીય વાયુસેનાના મિરાજ-2000થી Locની સીમાને લાંઘીને ઍર સ્ટ્રાઈક માટે રાજસ્થાનના જોધપુરથી પણ ફાઈટર વિમાનોએ જમ્મૂ કાશ્મીર માટે ઉડાન ભરી હતી. ભારત દ્વારા Locની સીમા લાંઘીને સર્જીકલ સ્ટ્રાઈક 2.0 ના જવાબમાં પાકિસ્તાન તરફ હુમલો કરવાની શંકા હતી.
ત્યારે જોધપુરથી ફાઈટર વિમાનોએ ઉડાન ભરી. તેને ગુજરાતથી લઈને જમ્મૂ કાશ્મીર સુધી ભારત પાકિસ્તાન પર નજર રાખવાની જવાબદારી આપવામાં આવી હતી. ભારતીય વાયુસેનાના મિરાજ-2000 ફાઈટર વિમાન Locની સીમા લાંઘીને જૈશ એ મોહમ્મદના ઠેકાણાઓને નષ્ટ કરતા રહ્યાં અને જોધપુરથી ઉડાન ભરેલ ફાઈટર વિમાન સુખોઈ અને મિગ સીમા પર નજર રાખી રહ્યાં હતા. સર્જીકલ સ્ટ્રાઈક ખતમ થયા પછી આ વિમાન પાછા જોધપુર ફર્યા હતા. આમ પાકિસ્તાને કંઈપણ પગલું લીઘું હોત તો આ વિમાનો ત્યાં જ તેનો ખુરદો બોલાવવાની તૈયારીમાં જ હતાં. આમ પાકિસ્તાનના કોઈપણ પગલાને પહોંચી વળવા તેમજ કરાચી કે પાકિસ્તાનની રાજધાની સુધી વળતો હુમલો કરવા માટે મિગ-21ને માત્ર 15 મિનિટ જેટલો જ સમયની જરુર હતી.
[yop_poll id=1873]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]