અમૃતસરમાં કેજરીવાલે વકીલોને કહ્યું- આમ આદમી પાર્ટીમાં જોડાવ, અમે તમારા માટે ચેમ્બર બનાવીશું, વીમો આપીશું
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ પંજાબની બે દિવસીય મુલાકાતે છે. અરવિંદ કેજરીવાલ આજે ગુરુદાસપુર ખાતે ટાઉન હોલમાં આશા અને આંગણવાડી મહિલા કાર્યકરો સાથે મુલાકાત કરી હતી.
Arvind Kejriwal: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) પંજાબની બે દિવસીય મુલાકાતે છે. અરવિંદ કેજરીવાલ આજે ગુરુદાસપુર ખાતે ટાઉન હોલમાં આશા અને આંગણવાડી મહિલા કાર્યકરો (women workers) સાથે મુલાકાત કરી હતી. દિલ્હીના સીએમ અને આમ આદમી પાર્ટી (Aadmi Party)ના કન્વીનર અરવિંદ કેજરીવાલ શનિવારે અમૃતસરમાં વકીલોને મળ્યા હતા. આ દરમિયાન તેમણે વચન આપ્યું હતું કે અમે વકીલોની ચેમ્બર બનાવીશું, મેડિકલ અને જીવન વીમો (Life insurance) અને સ્ટાઈપેન્ડ આપીશું.
આ ઉપરાંત હાઈકોર્ટ (High Court)ની બેન્ચ પણ બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે હું પંજાબના 80-85 હજાર વકીલોને વિનંતી કરવા માંગુ છું કે બધા આમ આદમી પાર્ટીમાં જોડાઈ જાય.
हम वकीलों के चैंबर बनवाएंगे, मेडिकल व लाइफ इंश्योरेंस, स्टाइपेंड देंगे और हाईकोर्ट के बेंच भी बनाएंगे। मैं पंजाब के 80,000-85,000 वकीलों से निवेदन करना चाहता हूं कि सब आम आदमी पार्टी में शामिल हो जाओ: अमृतसर में वकीलों से बात करते हुए AAP के राष्ट्रीय संयोजक अरविंद केजरीवाल pic.twitter.com/4xWyWSHkmD
— ANI_HindiNews (@AHindinews) December 25, 2021
2017માં AAP પંજાબની મુખ્ય વિપક્ષી પાર્ટી તરીકે સામે આવી હતી. આપને જણાવી દઈએ કે 2017ની વિધાનસભા ચૂંટણી બાદ છેલ્લા કેટલાક વર્ષોમાં પંજાબમાં આમ આદમી પાર્ટીની ચમક ઓછી થઈ છે. પરંતુ ‘એક મૌકા કેજરીવાલને’અભિયાને AAPને પુનર્જીવિત કરવાની આશા આપી છે. આ અભિયાનનો પડઘો પંજાબના ઘણા વિસ્તારોમાં સંભળાઈ રહ્યો છે. Majha Malwa Doabaમાં ખાસ અસર જોવા મળી હતી કારણ કે આ ત્રણેય રાજકીય દૃષ્ટિકોણથી ખાસ વિસ્તારો છે કારણ કે Majhમાં પંજાબની 24 વિધાનસભા સીટો, માલવામાં 67 સીટો અને Doabaમાં 26 સીટો છે.
અમૃતસરમાં રાજ્યના પરિવહન મંત્રી અમરિંદર સિંહ રાજા શુક્રવારે દિલ્હીના મુખ્યમંત્રીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. જ્યારે તેને સિક્યોરિટી ચેક એરિયામાં જ રોકવામાં આવ્યા ત્યારે ભારે હોબાળો થયો હતો. આ પ્રદર્શન બાદ રાજા આજે સવારે કેજરીવાલને મળવા અમૃતસરની હયાત હોટલ પહોંચ્યા હતા. પહેલા તો કેજરીવાલે મળવાની ના પાડી દીધી, અંતે કેજરીવાલ મળવા માટે રાજી થઈ ગયા.
આ પણ વાંચો : Kutch: જામનગરમાં 700 બેડની હોસ્પિટલને અપાશે ગુરુ ગોવિંદ સિંહ નામ, ગુરુપર્વ સમારોહ પર વડાપ્રધાન મોદીએ કરી જાહેરાત