AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દેશમાં બે દિવસમાં ચોથો ભૂકંપ, અરુણાચલ પ્રદેશમાં બે વાર ધરતી ધ્રૂજી

પહેલો ભૂકંપ અરુણાચલ પ્રદેશના પશ્ચિમ સિયાંગ જિલ્લામાં સવારે 10.31 વાગ્યે આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.7 માપવામાં આવી છે. બીજો ભૂકંપ અરુણાચલ પ્રદેશના સિયાંગ જિલ્લામાં પણ આવ્યો છે. તે સવારે 10.59 વાગ્યે આવ્યો હતો અને તેની તીવ્રતા 3.5 માપવામાં આવી છે.

દેશમાં બે દિવસમાં ચોથો ભૂકંપ, અરુણાચલ પ્રદેશમાં બે વાર ધરતી ધ્રૂજી
Earthquake
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 10, 2022 | 12:24 PM
Share

દેશમાં સતત ચોથા દિવસે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ગુરુવારે સવારે અરુણાચલ પ્રદેશમાં અડધા કલાકના અંતરાલ સાથે બે ભૂકંપ આવ્યા હતા. અરુણાચલ પ્રદેશના સિયાંગ જિલ્લામાં બંને વખત ભૂકંપ આવ્યો છે. પહેલો ભૂકંપ સવારે 10.31 વાગ્યે અને બીજો ભૂકંપ સવારે 10.59 વાગ્યે આવ્યો હતો. બંને વખત ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિમી નીચે હતું. જો કે હજુ સુધી આ ભૂકંપમાં કોઈ જાનહાનિ કે નુકસાનના અહેવાલ નથી.

પહેલો ભૂકંપ અરુણાચલ પ્રદેશના પશ્ચિમ સિયાંગ જિલ્લામાં સવારે 10.31 વાગ્યે આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.7 માપવામાં આવી છે. તેનું કેન્દ્ર જમીનથી 10 કિમી નીચે હતું. બીજો ભુકંપ પણ અરુણાચલ પ્રદેશના સિયાંગ જિલ્લામાં જ આવ્યો હતો. તે સવારે 10.59 વાગ્યે આવ્યો હતો અને તેની તીવ્રતા 3.5 માપવામાં આવી છે. આ ભૂકંપ બાદ કોઈપણ પ્રકારના જાન-માલની હાનીની માહિતી સામે આવી નથી.

આંદામાન અને નિકોબારમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા

આ પહેલા બુધવારે બપોરે 2.30 વાગ્યે આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપ પોર્ટ બ્લેયરથી 253 કિમી દૂર દક્ષિણ-દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં આવ્યો છે. રિક્ટર સ્કૂલમાં તેની તીવ્રતા 4.3 માપવામાં આવી હતી. તેનું કેન્દ્ર પણ જમીનથી 10 કિમી નીચે હતું. આ ભૂકંપની ઘટનામાં કોઈ નુકસાનના અહેવાલ નથી. આ પહેલા મંગળવારે મોડી રાત્રે નેપાળના હિમાલય વિસ્તારમાં આવેલા શક્તિશાળી ભૂકંપમાં ઓછામાં ઓછા છ લોકો માર્યા ગયા હતા અને અન્ય પાંચ લોકો ઘાયલ થયા હતા. ભૂકંપના આંચકા નેપાળના ભાગોમાં અને ઉત્તર ભારતમાં પણ અનુભવાયા હતા, જેના કારણે ગાઢ નિંદ્રાધીન લોકો મધ્યરાત્રિએ અચાનક તેમના ઘરની બહાર દોડી ગયા હતા.

નેપાળ અને ઉત્તરાખંડમાં પણ ધરતી હચમચી ગઈ હતી

મળતી માહિતી મુજબ, મોડી રાત્રે 1:57 કલાકે 6.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેનું કેન્દ્ર ઉત્તરાખંડના પિથોરાગઢથી લગભગ 90 કિમી પૂર્વ-દક્ષિણ-પૂર્વમાં નેપાળમાં હતું. છેલ્લા કેટલાક દિવસોમાં આ વિસ્તારમાં ઘણી વખત ઓછી તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા છે. NCS મુજબ, ઉત્તરાખંડ-નેપાળ ક્ષેત્રમાં અનુક્રમે સવારે 3.15 અને 6.27 વાગ્યે 3.6 અને 4.3ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેપાળના નેશનલ ભૂકંપ મોનિટરિંગ સેન્ટરના જણાવ્યા અનુસાર નેપાળમાં મોડી રાત્રે 2.12 કલાકે 6.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેનું કેન્દ્ર ડોટી જિલ્લામાં હતું.

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">