AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amit Shah Udaipur Rally: ગેહલોત સરકાર કન્હૈયાલાલના આરોપીઓની ધરપકડ કરવા માંગતી ન હતી, NIA એ કરી ધરપકડ

અમિત શાહે રાજસ્થાનના ઉદયપુરમાં રેલીને સંબોધિત કરતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી વિદેશમાં જઈને ભારતની નિંદા કરે છે. જો કોંગ્રેસ આ રસ્તે ચાલતી રહેશે તો નોર્થ ઈસ્ટની જેમ સમગ્ર ભારતમાંથી કોંગ્રેસનો સફાયો થશે.

Amit Shah Udaipur Rally: ગેહલોત સરકાર કન્હૈયાલાલના આરોપીઓની ધરપકડ કરવા માંગતી ન હતી, NIA એ કરી ધરપકડ
Amit Shah Udaipur Rally
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 30, 2023 | 4:13 PM
Share

Rajasthan: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) રાજસ્થાનના ઉદયપુરમાં રેલીને સંબોધિત કરતા કોંગ્રેસ (Congress) પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી વિદેશમાં જઈને ભારતની નિંદા કરે છે. જો કોંગ્રેસ આ રસ્તે ચાલતી રહેશે તો નોર્થ ઈસ્ટની જેમ સમગ્ર ભારતમાંથી કોંગ્રેસનો સફાયો થશે. અમિત શાહે કન્હૈયાલાલ કેસને લઈને રાજસ્થાન સરકાર પર પણ આરોપ લગાવ્યા છે.

અમારી વિચારધારાએ આ દેશને સુરક્ષિત બનાવ્યો છે

અમિત શાહે કહ્યું કે અશોક ગેહલોતની સરકારે રાજ્યમાં વંશવાદ અને જાતિવાદનો વિકાસ કર્યો છે. સરકારે તુષ્ટિકરણની રાજનીતિ કરીને રાજ્યમાં હિંસાનો તાંડવ ઉભો કરવાનું કામ કર્યું છે. આ જ કારણ છે કે આજે રાજ્યની જનતા ક્ષોભમાં છે. પીએમ મોદીએ પોતાની સારી નીતિઓ દ્વારા દેશને પ્રગતિના પંથે આગળ ધપાવ્યો છે. અમારી વિચારધારાએ આ દેશને સુરક્ષિત બનાવ્યો છે.

આપણા દેશની સરહદની સુરક્ષા એ દેશની સુરક્ષા

તેમણે કહ્યું, પીએમ મોદીએ ભારતના બ્રાન્ડ એમ્બેસેડર બનીને વિશ્વમાં સન્માન મેળવવાનું કામ કર્યું છે. કેન્દ્ર સરકારે સરહદી વિસ્તારને પોતાની પ્રથમ પ્રાથમિકતામાં રાખ્યો છે. આપણા દેશની સરહદની સુરક્ષા એ દેશની સુરક્ષા છે, તેથી સરકાર સરહદ પર માળખાકીય સુવિધાઓ વધારવા માટે સતત કામ કરી રહી છે.

કન્હૈયાલાલની હત્યા મામલે ગેહલોત સરકાર પર મોટો આરોપ

કન્હૈયાલાલ કેસને લઈને ગેહલોત સરકાર પર પ્રહાર કરતા શાહે કહ્યું કે આ સરકાર આરોપીઓને પકડવા પણ માંગતી ન હતી અને સુરક્ષા પણ નથી આપતી. NIAએ આરોપીઓની ધરપકડ કરી છે. 22 ડિસેમ્બર 2022ના રોજ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. રાજસ્થાન સરકારે હાઈકોર્ટને વિશ્વાસમાં લઈને સ્પેશિયલ કોર્ટની સ્થાપના કરી નહોતી નહીં તો કન્હૈયાલાલના ગુનેગારોને ફાંસીની સજા થઈ ગઈ હોત.

આ પણ વાંચો : Delhi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ DU કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને કહી વાત, OTT પર તે વેબ સિરીઝ સારી છે

અમિત શાહે કહ્યું કે, આજના સમયમાં ન તો કોઈ આપણી તરફ આંખ ઉઠાવી શકે છે અને ન તો આપણી જમીનનો એક ઈંચ ટુકડો પણ લઈ શકે છે. અમારી વિચારધારાએ દેશને સુરક્ષિત બનાવ્યો છે. જણાવી દઈએ કે આ રેલીમાં રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયા અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીપી જોશી સહિત અન્ય ઘણા મોટા નેતાઓએ પણ ભાગ લીધો હતો.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">