AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bihar: બિહારની સભામાં અમિત શાહના નિતિશ કુમાર પર પ્રહાર, કહ્યુ- PM મોદીના કારણે બન્યા CM

અમિત શાહે સભામાં બિહારના સીએમ નીતિશ કુમાર પર નિશાન સાધ્યું છે. નીતિશને પલટૂ બાબુ ગણાવતા કહ્યું કે તેઓ વડાપ્રધાન નરન્દ્ર મોદીના કારણે બિહારના મુખ્યમંત્રી બન્યા છે. અમિત શાહે આ દરમિયાન કેન્દ્ર સરકારના વખાણ પણ કર્યા હતા.

Bihar: બિહારની સભામાં અમિત શાહના નિતિશ કુમાર પર પ્રહાર, કહ્યુ- PM મોદીના કારણે બન્યા CM
Amit Shah in Bihar
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 29, 2023 | 6:03 PM
Share

Amit Shah in Bihar: કેન્દ્રીય મંત્રી અમિત શાહ (Amit Shah) ગુરુવારે બિહારના લખીસરાય પહોંચ્યા છે. એક જનસભાને સંબોધિત કરતા તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (Narendra Modi) સરકારના 9 વર્ષ પૂરા થવા પર કરવામાં આવેલા કાર્યો ગણાવ્યા હતા. અમિત શાહે સભામાં બિહારના સીએમ નીતિશ કુમાર પર નિશાન સાધ્યું છે. નીતિશને પલટૂ બાબુ ગણાવતા કહ્યું કે તેઓ વડાપ્રધાન નરન્દ્ર મોદીના કારણે બિહારના મુખ્યમંત્રી બન્યા છે. અમિત શાહે આ દરમિયાન કેન્દ્ર સરકારના વખાણ પણ કર્યા હતા.

બિહારમાં કેન્દ્ર સરકાર દ્વારા 3,400 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ અમલમાં મુકાયા

નીતિશ કુમાર પર કટાક્ષ કરતા અમિત શાહે કહ્યું કે, તેઓ પલટુરામ છે જે PM મોદીના કારણે CM બન્યા છે. તેમણે કહ્યું કે મોદી સરકારે સમગ્ર દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર કામ કર્યું છે. માત્ર બિહારમાં જ કેન્દ્ર સરકાર દ્વારા 3,400 કરોડ રૂપિયાના રાષ્ટ્રીય ધોરીમાર્ગના પ્રોજેક્ટ અમલમાં મુકાયા છે. મુંગેરમાં એન્જિનિયરિંગ કોલેજ અને મેડિકલ કોલેજ પણ પીએમ મોદીએ બનાવી છે. રોડવેઝ માટે 3 લાખ કરોડ રૂપિયા અને 13 ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસવે માત્ર પીએમ મોદી સરકારની ભેટ છે.

જન કલ્યાણકારી યોજનાઓનો લાભ દરેક જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી પહોંચ્યો

અમિત શાહે કહ્યું કે PM મોદીની સરકારે ભારતને ગર્વના 9 વર્ષ આપ્યા છે. આ સાથે જ તેમણે કહ્યુ કે 9 વર્ષ સુધી દેશના ગરીબો માટે કામ કર્યું છે. તેમના નેતૃત્વમાં જન કલ્યાણકારી યોજનાઓનો લાભ દેશના દરેક જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી પહોંચી રહ્યો છે. વડાપ્રધાન મોદીના વિદેશ પ્રવાસ પર કહ્યું કે, તેમને અન્ય દેશોમાંથી જે સન્માન મળી રહ્યું છે તે ભાજપ કે પીએમ મોદીનું સન્માન નથી, પરંતુ તે સમગ્ર દેશનું સન્માન છે.

આ પણ વાંચો : Rahul Gandhi Manipur Visit: મણિપુરમાં ‘રાહુલ ગો બેક’ ના નારા લાગ્યા, ભાજપના કોંગેસ નેતા પર પ્રહાર

પીએમ નરેન્દ્ર મોદીએ કાશ્મીરમાંથી કલમ 370 હટાવી

બિહારમાં સભાને સંબોધતા અમિત શાહે કહ્યું કે, પીએમ મોદીએ તે કરી બતાવ્યું જે કોઈએ વિચાર્યું પણ ન હતું. તેમણે કહ્યું કે પીએમ મોદીએ સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક દ્વારા પાકિસ્તાનની અંદર ઘૂસીને આતંકને ખતમ કરવાનું કામ કર્યું છે. પીએમ નરેન્દ્ર મોદીએ કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દીધી છે. સાથે જ તેમણે દેશને સુરક્ષિત કરવાનું કામ કર્યું છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
g clip-path="url(#clip0_868_265)">