AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lok Sabha: મણિપુર મુદ્દે લોકસભામાં અમિત શાહનું નિવેદન, કહ્યું- અમે તૈયાર છીએ, વિપક્ષ કેમ નથી કરી રહ્યો ચર્ચા

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગૃહમાં કહ્યું કે, હું વિપક્ષના તમામ સભ્યોને વિનંતી કરું છું, સરકાર અને વિપક્ષના સભ્યોએ સંવેદનશીલ મુદ્દા પર ચર્ચાની માગ કરી છે. હું ગૃહમાં ચર્ચા માટે તૈયાર છું, વિપક્ષ શા માટે ચર્ચા કરવા નથી માંગતો. મારી અપીલ છે કે ચર્ચા થવી જોઈએ.

Lok Sabha: મણિપુર મુદ્દે લોકસભામાં અમિત શાહનું નિવેદન, કહ્યું- અમે તૈયાર છીએ, વિપક્ષ કેમ નથી કરી રહ્યો ચર્ચા
Amit Shah
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2023 | 4:24 PM
Share

મણિપુર મુદ્દે (Manipur Violence) વિપક્ષ સંસદમાં હંગામો મચાવી રહ્યો છે અને સોમવારે પણ સંસદના બંને ગૃહોમાં કામકાજ થઈ શક્યું નહોતું. વિરોધ પક્ષોની માગ છે કે પીએમ મોદીએ મણિપુર મુદ્દે ગૃહમાં નિવેદન આપવું જોઈએ. આ દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે (Amit Shah) લોકસભામાં નિવેદન આપ્યું હતું અને વિપક્ષને ગૃહમાં ચર્ચા કરવાની અપીલ કરી હતી.

હું ગૃહમાં ચર્ચા માટે તૈયાર છું: અમિત શાહ

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગૃહમાં કહ્યું કે, હું વિપક્ષના તમામ સભ્યોને વિનંતી કરું છું, સરકાર અને વિપક્ષના સભ્યોએ સંવેદનશીલ મુદ્દા પર ચર્ચાની માગ કરી છે. હું ગૃહમાં ચર્ચા માટે તૈયાર છું, વિપક્ષ શા માટે ચર્ચા કરવા નથી માંગતો. મારી અપીલ છે કે ચર્ચા થવી જોઈએ અને સત્ય સમગ્ર દેશ સમક્ષ જાહેર થાય, તે ખૂબ જ જરૂરી છે.

પોલીસે 4 લોકોની ધરપકડ કરી હતી

મણિપુરમાં બે મહિલાઓનો રોડ પર નિર્વસ્ત્ર કરી રસ્તા પર ફેરવવામાં આવી હોવાનો વીડિયો વાયરલ થયો હતો, જેના પર હંગામો થયો હતો. 4 મેની આ ઘટનાનો વીડિયો જુલાઈમાં વાયરલ થયો હતો અને ત્યારબાદ પોલીસે 4 લોકોની ધરપકડ કરી હતી. વિપક્ષ આ મુદ્દે ચર્ચાની માગ કરી રહ્યો છે, પરંતુ જ્યારથી ચોમાસુ સત્ર શરૂ થયું છે ત્યારથી વિપક્ષનો હોબાળો ચાલી રહ્યો છે.

અમિત શાહે વિપક્ષ પર નિશાન સાધ્યું

આ પહેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ ગૃહમાં નિવેદન આપતાં વિપક્ષને ગૃહને ચાલવા દેવાની અપીલ કરી હતી. રાજનાથ સિંહે આરોપ લગાવ્યો હતો કે, વિપક્ષ પોતે જ ચર્ચા થવા દેવા માંગતો નથી, તેથી તેઓ વારંવાર હંગામો મચાવી રહ્યા છે. રાજનાથ બાદ હવે અમિત શાહે પણ વિપક્ષ પર નિશાન સાધ્યું છે અને ચર્ચા ન કરવાનો આરોપ લગાવ્યો છે.

આ પણ વાંચો : Breaking News: AAP સાંસદ સંજય સિંહ સમગ્ર સત્ર માટે રાજ્યસભામાંથી સસ્પેન્ડ, મણિપુર મુદ્દે સંસદમાં હંગામો

સંસદના ચોમાસુ સત્રની શરૂઆતથી જ મણિપુર મુદ્દે હોબાળો ચાલી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સત્રની શરૂઆત પહેલા ગૃહની બહાર નિવેદન આપ્યું હતું અને મણિપુરની ઘટના પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ રાજ્ય સરકારોને આવી ઘટનાઓમાં કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
ઉદ્ઘાટન નથી થયું ને રોડ બિસમાર થયો, જવાબદારો સામે કાર્યવાહી ક્યારે?
ઉદ્ઘાટન નથી થયું ને રોડ બિસમાર થયો, જવાબદારો સામે કાર્યવાહી ક્યારે?
યુસુફ પઠાણને ઝટકો ! પ્લોટની થશે હરાજી, પાલિકાનો મોટો નિર્ણય
યુસુફ પઠાણને ઝટકો ! પ્લોટની થશે હરાજી, પાલિકાનો મોટો નિર્ણય
ગુજરાતના ખેડૂતો માટે મોટી રાહત, સરકારે ખેતી અંગે લીધો મોટો નિર્ણય
ગુજરાતના ખેડૂતો માટે મોટી રાહત, સરકારે ખેતી અંગે લીધો મોટો નિર્ણય
નર્મદા ભાજપના આગેવાનોને ગાંધીનગર બોલાવી મોવડીમંડળે ખખડાવ્યા
નર્મદા ભાજપના આગેવાનોને ગાંધીનગર બોલાવી મોવડીમંડળે ખખડાવ્યા
દેશમાં છેલ્લા 12 દિવસથી કેમ આગળ નથી વધતુ નૈઋત્યનું ચોમાસુ ?
દેશમાં છેલ્લા 12 દિવસથી કેમ આગળ નથી વધતુ નૈઋત્યનું ચોમાસુ ?
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, તમે સહેલાઈથી બધાનું ધ્યાન ખેંચી શકશો
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, તમે સહેલાઈથી બધાનું ધ્યાન ખેંચી શકશો
અલ-નીનો સંકટ વચ્ચે ભૂપેન્દ્ર યાદવનું મોટું નિવેદન, જુઓ Video
અલ-નીનો સંકટ વચ્ચે ભૂપેન્દ્ર યાદવનું મોટું નિવેદન, જુઓ Video
મુખ્ય પ્રધાને યુવતીને કહ્યું, તારી જવાબદારી અમારી, જુઓ વીડિયો
મુખ્ય પ્રધાને યુવતીને કહ્યું, તારી જવાબદારી અમારી, જુઓ વીડિયો
ઓપરેશન ડેલ્ટા હન્ટમાં ઝડપાયેલી મહિલાને બચાવવા પતિએ PMને લખ્યો પત્ર
ઓપરેશન ડેલ્ટા હન્ટમાં ઝડપાયેલી મહિલાને બચાવવા પતિએ PMને લખ્યો પત્ર
અંબાલાલ પટેલ હવે નહીં કરે આગાહી?વિરોધ બાદ હવામાન વિભાગે કહી આ મોટી વાત
અંબાલાલ પટેલ હવે નહીં કરે આગાહી?વિરોધ બાદ હવામાન વિભાગે કહી આ મોટી વાત
g clip-path="url(#clip0_868_265)">