UP Election 2022: પીલીભીતમાં અમિત શાહે કહ્યું- સમાજવાદી પાર્ટીએ તેના ચૂંટણી ઢંઢેરામાં આતંકવાદીઓને મુક્ત કરવાનું આપ્યુ હતુ વચન

UP Vidhan Sabha Election 2022 અમિત શાહે કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીએ શીખોના બલિદાનને સન્માન આપવાનું કામ કર્યું છે.

UP Election 2022: પીલીભીતમાં અમિત શાહે કહ્યું- સમાજવાદી પાર્ટીએ તેના ચૂંટણી ઢંઢેરામાં આતંકવાદીઓને મુક્ત કરવાનું આપ્યુ હતુ વચન
Home Minister Amit Shah (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 21, 2022 | 3:51 PM

ભારતીય જનતા પાર્ટીના (BJP) ચાણક્ય ગણાતા ગૃહપ્રધાન અમિત શાહે  (Amit Shah) ઉત્તર પ્રદેશમાં 2022ની વિધાનસભા ચૂંટણીના ચોથા તબક્કાના મતદાનવાળા વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. પીલીભીતમાં ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે સમાજવાદી પાર્ટી (Samajwadi Party) અને કોંગ્રેસ તેમજ સપાના નેતાઓ ઉપર વાકપ્રહાર કર્યા હતા, તેમણે પીલીભીતના (Pilibhit) તમામ ભાજપના ઉમેદવારોની તરફેણમાં સભાને સંબોધિત કરી હતી. પીલીભીતમાં 23 ફેબ્રુઆરીએ મતદાન થશે.

અમિત શાહે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી આતંકવાદીઓની સાથે છે. સમાજવાદી પાર્ટીએ ચૂંટણી ઘોષણાપત્રમાં આતંકવાદીઓને મુક્ત કરવાનું વચન આપ્યું હતું. તેમણે જનતાને પૂછ્યું કે શું વોટના લોભમાં આતંકવાદીઓને સમર્થન કરનારાઓએ વોટ આપવો જોઈએ ખરો ? અમિત શાહે કહ્યું કે સપા અને કોંગ્રેસે આતંકવાદ સામેની લડાઈ નબળી પાડી છે. તેમણે કહ્યું કે અમારો સંકલ્પ દેશ અને દુનિયામાં આતંકવાદ ફેલાવનારાઓને જડમૂળથી ઉખેડી નાખવાનો છે. પ્રિયંકા ગાંધી કહે છે કે આતંકવાદ એક નિરર્થક વસ્તુ છે. તેને રોકવો અર્થહીન છે. તેમના નેતા સલમાન ખુર્શીદ કહે છે કે, અમદાવાદ બ્લાસ્ટમાં પકડાયેલા લોકો નિર્દોષ છે.

અમિત શાહે કહ્યું કે પીલીભીતના લોકોએ ત્રણ તબક્કાનું પરિણામ જાણવુ જોઈએ. આમાં સપા અને બસપા બન્ને સાફ થઈ ગયા છે. કોંગ્રેસ તો દૂરબીનથી જોતા પણ કયાય દેખાતી નથી. અમિત શાહે કહ્યું કે, ભાજપ સરકારે ગરીબ કલ્યાણ, કાયદો અને વ્યવસ્થા, યુવાનો માટે પાંચ વર્ષ જે કામ કર્યું છે તેના કારણે ત્રણ તબક્કામાં ભાજપની લહેર પ્રસરી છે. સાતમા તબક્કા સુધીમાં તો ભાજપ તરફી આ લહેર સુનામીમાં ફેરવાઈ જશે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

આ પહેલા અમિત શાહે કહ્યું હતું કે રાજા મોરધ્વજની પવિત્ર ભૂમિ પર હું તમારું સ્વાગત કરું છું. પીએમ નરેન્દ્ર મોદીએ શીખોના બલિદાનને સન્માન આપવાનું કામ કર્યું છે. અમિત શાહે કહ્યું કે જ્યારે મોદીજી વડાપ્રધાન બનવા માટે ચૂંટાયા ત્યારે તેમણે કહ્યું હતું કે ભાજપ સરકાર ગરીબ, પછાત અને દલિત લોકોની સરકાર છે. અમે તેને આગળ લઈ જવા માટે કામ કરીએ છીએ. સપા, બસપા કે કોંગ્રેસે ક્યારેય પણ ગરીબોના ઘરે ગેસ સિલિન્ડર પહોંચાડ્યા નથી. ભાજપ સરકારે ગેસ સિલિન્ડર, શૌચાલય, આવાસ, વીજળી આપીને ગરીબોને માન આપ્યું છે. તમારા જીવનમાંથી અંધકાર દૂર કરવાનું કામ ભાજપ કરી રહી છે. તમારા ઘરોમાં 24 કલાક વીજળી છે. સપા સરકારમાં ક્યારેય 24 કલાક વીજળી નહોતી. અમે સ્વાસ્થ્ય ખર્ચમાં 5 લાખ રૂપિયા સુધીનો વધારો કરીને 15 કરોડ ગરીબોને રાહત આપી છે.

આ પણ વાંચોઃ

Karnataka : હિજાબ વિવાદ વચ્ચે બજરંગદળના કાર્યકર્તાની હત્યાથી રાજકારણ ગરમાયુ, કલમ 144 લગાવાઈ, શાળા-કોલેજ બંધ

આ પણ વાંચોઃ

શિક્ષણ મિશન પર પીએમ મોદીએ કહ્યું- નેશનલ ડિજિટલ યુનિવર્સિટી, ભારતની શિક્ષણ પ્રણાલીમાં એક અનોખું અને અભૂતપૂર્વ પગલું

Latest News Updates

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">