AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શિક્ષણ મિશન પર પીએમ મોદીએ કહ્યું- નેશનલ ડિજિટલ યુનિવર્સિટી, ભારતની શિક્ષણ પ્રણાલીમાં એક અનોખું અને અભૂતપૂર્વ પગલું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શિક્ષણ મંત્રાલય દ્વારા આયોજિત વેબિનાર સત્રને સંબોધિત કર્યું હતું. ડિજિટલ કનેક્ટિવિટી પર વાત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિજિટલ યુનિવર્સિટી વિશે વાત કરી હતી.

શિક્ષણ મિશન પર પીએમ મોદીએ કહ્યું- નેશનલ ડિજિટલ યુનિવર્સિટી, ભારતની શિક્ષણ પ્રણાલીમાં એક અનોખું અને અભૂતપૂર્વ પગલું
PM Narendra Modi (file photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 21, 2022 | 1:21 PM
Share

National Digital University: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શિક્ષણ મંત્રાલય દ્વારા આયોજિત વેબિનાર સત્રને સંબોધિત કર્યું હતું. ડિજિટલ કનેક્ટિવિટી પર વાત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) ડિજિટલ યુનિવર્સિટી વિશે વાત કરી. આ દરમિયાન તેમણે કહ્યું કે, આજની યુવા પેઢી દેશના ભવિષ્યના સુકાની છે, તેઓ ભવિષ્યના રાષ્ટ્ર ઘડવૈયા છે. આ દરમિયાન તેમણે રાષ્ટ્રીય બજેટમાં શિક્ષણ ક્ષેત્રે કરવામાં આવેલા ફેરફારો વિશે પણ વાત કરી. એમ પીએમ મોદીએ કહ્યું, 2022 ના બજેટમાં શિક્ષણ (Education Budget 2022) ક્ષેત્ર સાથે સંબંધિત પાંચ બાબતો પર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે.

જેમાં પ્રથમ આપણી શિક્ષણ પ્રણાલીનો વિસ્તાર કરવો અને તેની ગુણવત્તા સુધારવાનો છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, વૈશ્વિક મહામારીના આ સમયમાં ડિજિટલ કનેક્ટિવિટીએ (Digital connectivity) આપણી શિક્ષણ પ્રણાલીને જીવંત રાખી છે. અમે જોઈ રહ્યા છીએ કે, ભારતમાં ડિજિટલ વિભાજન કેવી રીતે ઝડપથી ઘટી રહ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વેબિનારને સંબોધિત કરતા જણાવ્યું કે, કેન્દ્રીય બજેટ 2022ની શિક્ષણ ક્ષેત્ર પર કેવી સકારાત્મક અસર પડશે. આ દરમિયાન તેમણે કહ્યું કે, પછી તે ઈ-વિદ્યા હોય, વન ક્લાસ વન ચેનલ હોય, ડિજિટલ લેબ હોય, ડિજિટલ યુનિવર્સિટી હોય, આવી શૈક્ષણિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર યુવાનોને ઘણી મદદ કરશે.

પીએમ મોદીએ શિક્ષણ મંત્રાલયના વેબિનારને સંબોધિત કર્યું

શિક્ષણ ક્ષેત્રના વિસ્તરણ માટે 5 વાત જરૂરીઃ પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું કે, 2022ના બજેટમાં શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલી પાંચ બાબતો પર ઘણો ભાર આપવામાં આવ્યો છે. આમાં, પ્રથમ – Universalization of Quality Education, જે આપણી શિક્ષણ પ્રણાલીને વિસ્તૃત કરશે, તેની ગુણવત્તામાં સુધારો કરશે અને શિક્ષણ ક્ષેત્રની ક્ષમતામાં વધારો કરશે, આ માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.

બીજું કૌશલ્ય વિકાસ છે. PMએ કહ્યું કે, દેશમાં ડિજિટલ સ્કિલિંગ ઇકોસિસ્ટમ હોવી જોઈએ, કૌશલ્ય વિકાસ ઉદ્યોગની માંગ અનુસાર હોવો જોઈએ, ઉદ્યોગ જોડાણ વધુ સારું હોવું જોઈએ, તેના પર ધ્યાન આપવામાં આવ્યું છે. ત્રીજું મહત્ત્વનું પાસું શહેરી આયોજન અને ડિઝાઇન છે. આમાં ભારતના પ્રાચીન અનુભવ અને જ્ઞાનને આજે આપણા શિક્ષણમાં સામેલ કરવાની જરૂર છે.

ચોથું મહત્ત્વનું પાસું છે- આંતરરાષ્ટ્રીયકરણ: ભારતમાં વિશ્વ કક્ષાની વિદેશી યુનિવર્સિટીઓનું આગમન, જે આપણા ઔદ્યોગિક વિસ્તારો છે. જેમ કે ગિફ્ટ સિટી, પણ ફિનટેક સંસ્થાઓ સાથે ત્યાં આવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી છે. તે જ સમયે, એક પાંચમું મહત્વનું પાસું છે – AVGC – એટલે કે, Animation Visual Effects Gaming Comic, તે બધામાં રોજગારીની અપાર તકો છે. એક વિશાળ વૈશ્વિક બજાર છે.

આ પણ વાંચો: Tata Group ની આ કંપની 1000 નવી ભરતી કરશે, કર્મચારીઓની સંખ્યામાં મોટો વધારો થશે

આ પણ વાંચો: ICSI CS Result 2021: કંપની સેક્રેટરી, પ્રોફેશનલ અને એક્ઝિક્યુટિવ રિઝલ્ટ 25 ફેબ્રુઆરીએ થશે જાહેર, આ રીતે થશે ચેક

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">