Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કાયદાઓમાં સુધારો કરવા માટે સાંસદો સહિત અન્ય હિતધારકો પાસેથી માંગ્યા સૂચનો

શાહે જણાવ્યુ હતુ કે, સંસદ લોકશાહીના ત્રણ મહત્વના સ્તંભોમાંનું એક છે અને કાયદા ઘડતરની પ્રક્રિયામાં સંસદ સભ્યોની મહત્વની ભૂમિકા હોવાથી, ફોજદારી કાયદાઓમાં વ્યાપક સુધારાની આ કવાયતમાં તેમના સૂચનો પણ મહત્વના છે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કાયદાઓમાં સુધારો કરવા માટે સાંસદો સહિત અન્ય હિતધારકો પાસેથી માંગ્યા સૂચનો
Union Home Minister Amit shah (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 12, 2022 | 2:39 PM

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ભારતીય દંડ સંહિતા, CrPC અને ભારતીય પુરાવા અધિનિયમમાં સૂચિત સુધારા અંગે સંસદના સભ્યો (Members of Parliament), ભારતના મુખ્ય ન્યાયાધીશ, (Chief Justice) ઉચ્ચ ન્યાયાલયોના મુખ્ય ન્યાયાધીશ, રાજ્યના મુખ્ય પ્રધાન, કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રશાસક, બાર કાઉન્સિલ અને કાયદા યુનિવર્સિટીઓને અને અન્ય હિતધારકો પાસેથી સૂચનો માગ્યા છે.

સાંસદો અને અન્ય હિતધારકોને લખેલા પત્રમાં ગૃહમંત્રીએ (Home Minister Amit Shah) કહ્યું કે, ભારતીય લોકશાહીના સાત દાયકાના અનુભવમાં ફોજદારી કાયદાઓ, ખાસ કરીને આઈપીસી 1860, ફોજદારી પ્રક્રિયાની સંહિતા (CRPC) 1973 અને ભારતીય પુરાવાઓની વ્યાપક સમીક્ષાની આવશ્યકતા છે. અધિનિયમ 1872 અને તેને લોકોની સમકાલીન જરૂરિયાતો અને આકાંક્ષાઓ અનુસાર ફેરફાર કરવાની જરૂર જણાય છે.

ભારત સરકાર કેન્દ્રિત કાનૂની માળખું બનાવવા માગે છે : શાહ

અમિત શાહે વધુમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસ’ના તેના મંત્ર સાથે ભારતના તમામ નાગરિકોને ઝડપી ન્યાય સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. ઉપરાંત તેણે કહ્યુ કે, આ બંધારણીય અને લોકશાહી(Democracy)  આકાંક્ષાઓને આધારે સરકારે ફોજદારી કાયદાના માળખામાં વ્યાપક ફેરફારો કરવાનો નિર્ણય કર્યો છે.

સફેદ નહીં પણ કાળું હોય છે આ પ્રાણીનું દૂધ !
Kitchen Vastu Tips: તમારા રસોડામાં લીલો ગ્રેનાઈટનો પથ્થર છે? તે કેવું ફળ આપશે તે જાણો
Tea: ચા પીતા પહેલા પાણી પીવું કે પછી પીવું?
ઘરમાં કે ઘરની બહાર વડના ઝાડનું ઉગવું શુભ છે કે અશુભ?
અહીં મુસ્લિમ છોકરીઓ અન્ય ધર્મના લોકો સાથે કરી શકે છે લગ્ન...
દુનિયામાં ગમે ત્યાં નોકરી મેળવવી છે સરળ, આ 5 ભાષાઓ શીખી લો

 હિતધારકોની ભાગીદારીથી જ આ સફળ થઈ શકશે

ભારત સરકાર દ્વારા ફોજદારી ન્યાય પ્રણાલીમાં નમૂનારૂપ પરિવર્તન લાવવાનો આ પ્રયાસ વાસ્તવમાં જનભાગીદારીની જ એક કવાયત હશે, જે તમામ હિતધારકોની ભાગીદારીથી જ સફળ થઈ શકે છે.ગૃહ પ્રધાને જણાવ્યુ હતુ કે તેમણે ભારતના મુખ્ય ન્યાયાધીશ, (Chief Justice) ઉચ્ચ ન્યાયાલયોના મુખ્ય ન્યાયાધીશ, રાજ્યના મુખ્ય પ્રધાન, કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રશાસક, બાર કાઉન્સિલ અને કાયદા યુનિવર્સિટીઓને તેમના સૂચનો મોકલવા વિનંતી કરી છે.

સંસદ લોકશાહીના ત્રણ મહત્વના સ્તંભોમાનું એક

શાહે વધુમાં જણાવ્યુ હતુ કે, સંસદ (Parliament)  લોકશાહીના ત્રણ મહત્વના સ્તંભોમાંનું એક છે અને કાયદા ઘડતરની પ્રક્રિયામાં સંસદ સભ્યોની મહત્વની ભૂમિકા હોવાથી, ફોજદારી કાયદાઓમાં વ્યાપક સુધારાની આ કવાયતમાં તેમના સૂચનો પણ મહત્વના છે. તેથી IPC, CrPC અને ભારતીય પુરાવા અધિનિયમમાં સુધારા અંગે તમારા મૂલ્યવાન સૂચનો વહેલામાં વહેલી તકે મોકલવા વિનંતી છે.

આ પણ વાંચો : PM Security Breach Case: વડાપ્રધાન મોદીની સુરક્ષામાં ચૂક મુદ્દે સુપ્રીમ કોર્ટે 4 સદસ્ય વાળી કમિટીની રચના કરી, ભૂતપૂર્વ ન્યાયાધીશ ઈન્દુ મલ્હોત્રા અધ્યક્ષતા કરશે

માત્ર 30 રુપિયાના ભાડાની તકરારમાં હત્યા, જુઓ CCTV
માત્ર 30 રુપિયાના ભાડાની તકરારમાં હત્યા, જુઓ CCTV
સુરતના અમરોલી વિસ્તારમાં બ્રાન્ડેડ કંપનીના નામે નકલી શેમ્પુ વેચતા
સુરતના અમરોલી વિસ્તારમાં બ્રાન્ડેડ કંપનીના નામે નકલી શેમ્પુ વેચતા
સુરતમાંથી ઝડપાયુ વધુ એક બાળ મજૂરી કરાવવાનું કૌભાંડ- Video
સુરતમાંથી ઝડપાયુ વધુ એક બાળ મજૂરી કરાવવાનું કૌભાંડ- Video
સુરતમાં SMCએ 6 લાખથી વધુનો ગાંજો કર્યો જપ્ત- જુઓ Video
સુરતમાં SMCએ 6 લાખથી વધુનો ગાંજો કર્યો જપ્ત- જુઓ Video
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
કલોલ મહેસાણા હાઈવે સ્થિત પેટ્રોલ પંપ નજીક અચાનક ભભુકી ઉઠી ભીષણ આગ
કલોલ મહેસાણા હાઈવે સ્થિત પેટ્રોલ પંપ નજીક અચાનક ભભુકી ઉઠી ભીષણ આગ
વિદેશ જવા માટે બોગસ એફિડેવિટ કરવાનું રેકેટ ઝડપાયું
વિદેશ જવા માટે બોગસ એફિડેવિટ કરવાનું રેકેટ ઝડપાયું
ડીસા અગ્નિકાંડમાં SITની રચનાના 15 દિવસ બાદ પણ રિપોર્ટ નથી કરાયો સબમિટ
ડીસા અગ્નિકાંડમાં SITની રચનાના 15 દિવસ બાદ પણ રિપોર્ટ નથી કરાયો સબમિટ
JEE મેઇન્સ સેશન 2 નું પરિણામ જાહેર, ગુજરાતના 2 વિદ્યાર્થીઓએ બાજી મારી
JEE મેઇન્સ સેશન 2 નું પરિણામ જાહેર, ગુજરાતના 2 વિદ્યાર્થીઓએ બાજી મારી
આ રાશિના જાતકો જાતકોને આજે વિદેશ પ્રવાસ પર જવાના ચાન્સ બનશે
આ રાશિના જાતકો જાતકોને આજે વિદેશ પ્રવાસ પર જવાના ચાન્સ બનશે
g clip-path="url(#clip0_868_265)">