AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમરનાથ યાત્રા માટે હાઇટેક સુરક્ષા, જમ્મુમાં 600 CCTV કેમેરા ગોઠવાયા, જુઓ Video

અમરનાથ યાત્રા હવે આસ્થાની સાથે હાઇટેક સુરક્ષાનો પણ પર્યાય બની છે. 3 જુલાઈથી શરૂ થતી યાત્રા માટે જમ્મુમાં 600 સીસીટીવી કેમેરા, ડ્રોન સર્વેલન્સ અને સુરક્ષા દળો તૈનાત કરાયા છે.

અમરનાથ યાત્રા માટે હાઇટેક સુરક્ષા, જમ્મુમાં 600 CCTV કેમેરા ગોઠવાયા, જુઓ Video
| Updated on: Jun 29, 2026 | 10:32 PM
Share

આસ્થા અને ભક્તિનું પ્રતિક સમા પવિત્ર અમરનાથ યાત્રા આ વર્ષે અભૂતપૂર્વ હાઇટેક સુરક્ષા વ્યવસ્થા સાથે યોજાવા જઈ રહી છે. 3 જુલાઈથી શરૂ થનારી બાબા બરફાનીની પવિત્ર યાત્રા માટે સુરક્ષા એજન્સીઓએ આધુનિક ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કર્યો છે, જેથી લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. આ યાત્રા હવે માત્ર શ્રદ્ધાળુઓની આસ્થાની જ નહીં, પરંતુ ટેકનોલોજી દ્વારા સુદૃઢ કરાયેલી સુરક્ષાની પણ પ્રતિક બની છે.

જમ્મુ શહેરમાં કુલ 600 જેટલા હાઇટેક સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. આ અત્યાધુનિક કેમેરા 24 કલાક યાત્રાના મુખ્ય માર્ગો તેમજ શહેરભરની દરેક નાની-મોટી ગતિવિધિ પર સઘન નજર રાખશે. આ તમામ કેમેરામાંથી મળતી લાઇવ ફીડ સીધી જમ્મુના ઇન્ટિગ્રેટેડ કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરમાં પહોંચાડવામાં આવી રહી છે. આ કમાન્ડ સેન્ટરમાંથી સુરક્ષા કર્મીઓની ટીમ દરેક શંકાસ્પદ હિલચાલ પર સતત દેખરેખ રાખી રહી છે, જેથી કોઈપણ સંભવિત ખતરાને સમયસર ઓળખી શકાય અને તેને નિવારી શકાય.

વિશાળ વિસ્તારોનું નિરીક્ષણ થશે

સીસીટીવી કેમેરા ઉપરાંત, સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે ડ્રોન સર્વેલન્સનો પણ વ્યાપક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ડ્રોન માનવરહિત રીતે વિશાળ વિસ્તારોનું નિરીક્ષણ કરીને કંટ્રોલ સેન્ટરને મહત્ત્વપૂર્ણ માહિતી પૂરી પાડશે. જમીન પર સુરક્ષા માટે સીઆરપીએફ, સ્થાનિક પોલીસ દળ, અને ક્વિક રિસ્પોન્સ ટીમો (QRTs) ખડેપગે તૈનાત રહેશે. યાત્રા માર્ગો અને સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરીને સુરક્ષાનો અભેદ્ય કવચ બનાવવામાં આવ્યો છે.

આ સુરક્ષા વ્યવસ્થા પાછળનું મુખ્ય કારણ ઇન્ટેલિજન્સ એજન્સીઓ દ્વારા મળેલા ઇનપુટ્સ છે. વર્તમાનમાં જમ્મુ-કાશ્મીરમાં હાજર લગભગ 45 વિદેશી આતંકવાદીઓમાંથી કેટલાક અમરનાથ યાત્રામાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરી શકે છે તેવી માહિતી પ્રાપ્ત થઈ છે. આ ખતરાને ધ્યાનમાં રાખીને, પ્રશાસને આતંકવાદીઓને ઓળખવા, તેમની ગતિવિધિઓને રોકવા અને સર્વોપરી, બાબા બરફાનીના ભક્તોની યાત્રાને સુરક્ષિત, સુખમય અને સંપૂર્ણ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરાવી શકાય તેની ખાતરી કરી છે.

અમરનાથ યાત્રાની પ્રથમ પૂજા આજે થઈ ચૂકી છે અને 2 જુલાઈથી બાબા બરફાનીનો પહેલો જથ્થો જમ્મુના બેઝ કેમ્પ, યાત્રી ભવનથી રવાના થશે. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જમ્મુ અને કાશ્મીરમાં બાબા બરફાનીના દર્શન કરવા પહોંચશે ત્યારે તેમનો વાળ પણ વાંકો ન થાય તે માટે ટેકનોલોજી અને સુરક્ષા દળો બંને સંપૂર્ણ સજ્જ છે. આ તમામ તૈયારીઓ પ્રશાસન દ્વારા યાત્રાળુઓની સુવિધા અને સલામતી માટે જ કરવામાં આવી છે, જે આ વર્ષની અમરનાથ યાત્રાને અત્યાર સુધીની સૌથી સુરક્ષિત યાત્રાઓમાંથી એક બનાવશે.

પેટ્રોલ ડીઝલને લઈ મોટા સમાચાર, 1 જુલાઈથી થશે આ ફેરફાર, જાણી લો

Follow Us
મેન્સ સલૂનમાં પહોંચી 'રશિયન મહિલા'...! વીડિયો થયો વાયરલ
મેન્સ સલૂનમાં પહોંચી 'રશિયન મહિલા'...! વીડિયો થયો વાયરલ
સુરતમાં ભારે વરસાદથી જળબંબાકાર: NDRF તૈનાત, NH-48 પર ટ્રાફિકજામ
સુરતમાં ભારે વરસાદથી જળબંબાકાર: NDRF તૈનાત, NH-48 પર ટ્રાફિકજામ
'બંટવારા 1947'નું પહેલું ગીત 'કહાં ચલે ગયે હો રામ' રિલીઝ
'બંટવારા 1947'નું પહેલું ગીત 'કહાં ચલે ગયે હો રામ' રિલીઝ
ભારે વરસાદથી રેલવે વ્યવહાર ખોરવાયો, ટ્રેનો રદ થતાં મુસાફરો હેરાન
ભારે વરસાદથી રેલવે વ્યવહાર ખોરવાયો, ટ્રેનો રદ થતાં મુસાફરો હેરાન
નવસારીમાં પાલિકા દ્વારા 2 હજાર ફૂડ પેકેટ બનાવવાની કામગીરી શરૂ
નવસારીમાં પાલિકા દ્વારા 2 હજાર ફૂડ પેકેટ બનાવવાની કામગીરી શરૂ
નવસારીમાં પૂર્ણાના પૂરનુ એલર્ટ, નદીકાંઠાના 10 વિસ્તારોને સાબદા કરાયા
નવસારીમાં પૂર્ણાના પૂરનુ એલર્ટ, નદીકાંઠાના 10 વિસ્તારોને સાબદા કરાયા
બીલીમોરા શહેર પાણીમાં ગરકાવ, 25 થી વધુ લોકોનું રેસ્ક્યૂ - જુઓ Video
બીલીમોરા શહેર પાણીમાં ગરકાવ, 25 થી વધુ લોકોનું રેસ્ક્યૂ - જુઓ Video
દક્ષિણ ગુજરાતની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ
દક્ષિણ ગુજરાતની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ
કોથળામાંથી બિલાડું નીકળ્યું, ઘુમામાં ગાડી નીચે દીપડો નહી પરંતુ બિલાડી
કોથળામાંથી બિલાડું નીકળ્યું, ઘુમામાં ગાડી નીચે દીપડો નહી પરંતુ બિલાડી
વલસાડમાં આભ ફાટ્યું! 24 કલાકમાં 15.63 ઇંચ વરસાદ, શહેર બન્યું જળમગ્ન
વલસાડમાં આભ ફાટ્યું! 24 કલાકમાં 15.63 ઇંચ વરસાદ, શહેર બન્યું જળમગ્ન
g clip-path="url(#clip0_868_265)">