Parliament Monsoon Session 2022 : સંસદના ચોમાસુ સત્ર પહેલા કેન્દ્ર સરકારે આજે બોલાવી સર્વપક્ષીય બેઠક, PM મોદી પણ હાજરી આપે તેવી શક્યતા

Parliament Monsoon Session : આ પહેલા શનિવારે પણ સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી હતી. આ દરમિયાન લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ તમામ પક્ષોને ગૃહમાં શાંતિ અને ગરિમા જાળવવા માટે આહ્વાન કર્યું હતું.

Parliament Monsoon Session 2022 : સંસદના ચોમાસુ સત્ર પહેલા કેન્દ્ર સરકારે આજે બોલાવી સર્વપક્ષીય બેઠક, PM મોદી પણ હાજરી આપે તેવી શક્યતા
pm narendra modi ( fille photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 17, 2022 | 8:55 AM

સંસદનું ચોમાસુ સત્ર (Parliament Monsoon Session) આવતીકાલે એટલે કે 18મી જુલાઈથી શરૂ થઈ રહ્યું છે. આ ચોમાસુ સત્ર પહેલા કેન્દ્ર સરકારે આજે સર્વપક્ષીય બેઠક (all party meeting) બોલાવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપી શકે છે. સંસદનું ચોમાસુ સત્ર 18 જુલાઈથી શરૂ થશે અને 12 ઓગસ્ટ સુધી ચાલશે. માનવામાં આવી રહ્યું છે કે આ વખતે ચોમાસુ સત્ર તોફાની બની રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ પહેલા શનિવારે પણ સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી હતી. આ દરમિયાન લોકસભા સ્પીકર ઓમ બિરલાએ (Lok Sabha Speaker Om Birla) તમામ પક્ષોને ગૃહમાં શાંતિ અને ગરિમા જાળવવા માટે આહ્વાન કર્યું હતું.

કહેવામાં આવી રહ્યું છે કે આ સમયગાળા દરમિયાન કેન્દ્ર સરકાર આ ચોમાસુ સત્રને લઈને વિરોધ પક્ષો સાથે ચર્ચા કરશે. શનિવારે યોજાયેલી સર્વપક્ષીય બેઠકમાં માહિતી આપવામાં આવી હતી કે સંસદના કામકાજની સૂચિ અનુસાર, ગૃહોમાં 14 પેન્ડિંગ બિલ અને 24 નવા બિલ સામેલ છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સભ્યોને માહિતી આપી હતી કે સત્ર દરમિયાન કુલ 18 બેઠકો યોજાશે અને તેનો કુલ સમયગાળો 108 કલાકનો રહેશે. જેમાં લગભગ 62 કલાક સરકારી કામકાજ માટે રહેશે. જ્યારે બાકીનો સમય પ્રશ્નકાળ, શૂન્ય કલાક અને બિન-સરકારી કામકાજ માટે ફાળવવામાં આવશે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

શનિવારની બેઠકમાં મોટાભાગના વિપક્ષો ગેરહાજર

18 જુલાઈથી શરૂ થઈ રહેલા સંસદના ચોમાસુ સત્ર પહેલા શનિવારે યોજાયેલી સર્વપક્ષીય બેઠકમાં વિપક્ષે સત્રમાં અગ્નિપથ યોજના અને ખેડૂતોના મુદ્દાઓ પર ચર્ચા કરવાની માંગ કરી છે. જ્યારે, મોટાભાગના વિરોધ પક્ષો શનિવારે બેઠકમાં ગેરહાજર રહ્યા હતા. કોંગ્રેસ તરફથી અધીર રંજન ચૌધરી અને ડીએમકે તરફથી ટીઆર બાલુએ બેઠકમાં હાજરી આપી હતી. YSR કોંગ્રેસ પાર્ટી, રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટી અને અપના દળ (S) ના નેતાઓએ બેઠકમાં હાજરી આપી હતી.

Latest News Updates

ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
g clip-path="url(#clip0_868_265)">