AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Agnipath: ગૃહમંત્રી અમિત શાહે શેર કર્યો અગ્નિપથ યોજના અંગેનો વીડિયો, જણાવ્યું કે કઈ જગ્યાએ અગ્નિવીરોને અનામત મળશે

ગૃહમંત્રી અમિત શાહના (Home Minister Amit Shah) કાર્યાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે અગ્નિવીરોને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF) અને કોસ્ટ ગાર્ડ જેવી સેવાઓમાં પણ અનામત આપવામાં આવશે.

Agnipath: ગૃહમંત્રી અમિત શાહે શેર કર્યો અગ્નિપથ યોજના અંગેનો વીડિયો, જણાવ્યું કે કઈ જગ્યાએ અગ્નિવીરોને અનામત મળશે
Home Minister Amit Shah shares video on Agnipath project, where firefighters will get reservation
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 20, 2022 | 7:05 AM
Share

Agnipath Scheme: કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલી અગ્નિપથ ભરતી (Agnipath Scheme) યોજના વિરુદ્ધ છેલ્લા 3 દિવસથી દેશના વિવિધ ભાગોમાં હિંસા થઈ રહી છે. આ દરમિયાન બિહાર, તેલંગાણા સહિત કેટલાક રાજ્યોમાં વાહનો અને ટ્રેનોને પણ સળગાવી દેવામાં આવી છે. જો કે સરકાર દ્વારા આ યોજનાના ફાયદાઓ સતત જણાવવામાં આવી રહ્યા છે. દરમિયાન, ગૃહ પ્રધાન અમિત શાહે (Home Minister Amit Shah)રવિવારે એક વીડિયો ટ્વીટ કર્યો અને અગ્નિવીરોને ભાવિ લાભ વિશે જણાવ્યું. આ સાથે જ ગૃહ મંત્રાલય દ્વારા લોકોને ઉશ્કેરવા માટે 35 વ્હોટ્સએપ ગ્રુપ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

ગૃહમંત્રી અમિત શાહના કાર્યાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે અગ્નિવીરોને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF) અને કોસ્ટ ગાર્ડ જેવી સેવાઓમાં પણ અનામત આપવામાં આવશે. તેમણે ટ્વિટ કરીને કહ્યું છે કે, ‘રાષ્ટ્રની રક્ષાની ભાવનાને સરકારનું સમર્થન મળી રહ્યું છે. CAPF, આસામ રાઇફલ્સ, કોસ્ટ ગાર્ડ અને ડિફેન્સ પીએસયુમાં 10 ટકા આરક્ષણ ઉપલબ્ધ રહેશે. હવે દેશની સેના અગ્નિવીરોના નવા જોશ અને જુસ્સાથી સજ્જ થશે. 

ઘણા વિસ્તારોમાં 10 ટકા અનામતનો લાભ

આ સાથે ગૃહમંત્રીના કાર્યાલય તરફથી ટ્વીટ કરવામાં આવ્યું છે કે ભારત સરકારના વિવિધ મંત્રાલયો, રાજ્ય પોલીસ અને ઘણા સરકારી વિભાગોએ 4 વર્ષ પછી અગ્નિવીરોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવામાં યોગદાન આપવા માટે ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. સંરક્ષણ મંત્રાલય હેઠળ કોસ્ટ ગાર્ડ અને ડિફેન્સ પીએસયુમાં 10 ટકા રિઝર્વેશન હશે. આ સાથે ગૃહ મંત્રાલય હેઠળ CAPF અને આસામ રાઈફલ્સમાં 10 ટકા અનામત આપવામાં આવશે. 

ટ્વીટમાં વધુમાં જણાવાયું છે કે ભારતીય નૌકાદળ હેઠળ મર્ચન્ટ નેવીમાં પ્રવેશ માટે 6 સેવા ક્ષેત્રો જાહેર કરવામાં આવ્યા છે. વધુમાં, શિક્ષણ મંત્રાલય હેઠળની સેવામાં તાલીમને ગ્રેજ્યુએશન માટે ક્રેડિટ તરીકે માન્યતા આપવામાં આવશે. જણાવી દઈએ કે રવિવારે ત્રણેય સેનાઓએ પ્રેસ કોન્ફરન્સ કરીને અગ્નિપથ પ્લાન વિશે જાણકારી આપી હતી. આ દરમિયાન અગ્નિવીરોને કેવી રીતે લાભ મળશે તે જણાવવામાં આવ્યું હતું.

g clip-path="url(#clip0_868_265)">