AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતનો પશ્ચિમી તટ ચક્રવાત સામે ટકી રહેવા માટે સારી રીતે તૈયાર : govt agencies

2021 માં ચક્રવાત તાઉતે પછી, અરબી સમુદ્રમાં બિપરજોય સૌથી મજબૂત ચક્રવાત છે, સરકાર તેને પહોંચી વળવા માટે યોગ્ય મહેનત કરી રહી છે.

ભારતનો પશ્ચિમી તટ ચક્રવાત સામે ટકી રહેવા માટે સારી રીતે તૈયાર : govt agencies
Biparjoy
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 13, 2023 | 7:40 PM
Share

જ્યારે ભારત હવામાન વિભાગ (IMD) એ જાન્યુઆરી 2022 માં પ્રથમ વખત ‘ભારતના આબોહવા જોખમો અને નબળાઈ પારખવા માટે એટલાસ’ લોન્ચ કર્યું હતું ત્યારે, ત્યારે તેણે ચક્રવાત માટે ‘ચક્રાવત સામે નબળા પડી જાય તેવા રાજ્યો અને તેના જીલ્લા ઓળખ્યા હતા. આ યાદીમાં ભારતના પૂર્વ કિનારે તમિલનાડુ, આંધ્રપ્રદેશમાં 9, ઓડિશામાં 6, પુડુચેરી અને પશ્ચિમ બંગાળમાં 3 અને આંદામાન અને નિકોબાર ટાપુઓમાંના નામ જાહેર કર્યા હતા.

આ પણ વાંચો :Gujarati Video: બિપોરજોય વાવાઝોડાની દરિયાકિનારે અસર, ગોમતી કાંઠે 20 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા

પશ્ચિમ કિનારે આવેલ ગુજરાત, જે અત્યંત ગંભીર ચક્રવાતી વાવાઝોડા બિપરજોયની અસર સહન કરવા માટે તૈયાર છે તે યાદીમાં ક્યાંય નથી. અને તેમ છતાં, આટલા વર્ષોમાં બીજી વખત એવું બન્યું છે કે પશ્ચિમના મોટાભાગના રાજ્યના ઓછામાં ઓછા ત્રણ જિલ્લાઓ અરબી સમુદ્રમાંથી નીકળતા સૌથી ભયંકર તોફાનોનો સામનો કરશે.

સોમવારની સાંજના IMD બુલેટિનમાં જણાવ્યું હતું કે બિપરજોય 125ની મહત્તમ પવનની ઝડપ સાથે અત્યંત તીવ્ર ચક્રવાતી વાવાઝોડા તરીકે 15 થી 16 જૂન સુધીમાં બપોર સુધીમાં માંડવી (ગુજરાત) અને કરાચી (પાકિસ્તાન) વચ્ચેના સૌરાષ્ટ્ર અને કચ્છ અને અડીને આવેલા પાકિસ્તાનના દરિયાકાંઠાને પર ટકરાશે. હાલ આ ચક્રાવાતની 135 કિલોમીટર પ્રતિ કલાક (kmph) થી 150 kmph ની ઝડપ છે

IMD મુજબ, અરબી સમુદ્ર કરતા બંગાળની ખાડીમાં ચક્રવાતની આવર્તન વધુ છે, જેનું પ્રમાણ 4:1 છે. IMD ડેટા મુજબ, જેમા તાઉતેનો પણ સમાવેશ થાય છે.

હવે, 2021 માં ચક્રવાત તાઉતે પછી, બિપરજોય એ અરબી સમુદ્રમાં સૌથી મજબૂત ચક્રવાત છે. 2021 માં, તાઉતેના લગભગ એક મહિના પછી, ગુજરાત સરકારે સૌરાષ્ટ્ર પ્રદેશમાં માછીમારોને રૂ. 12.6 કરોડ ચૂકવ્યા, જ્યાં લગભગ 2,000 બોટ આંશિક અથવા સંપૂર્ણ રીતે નુકસાન પામી હતી.ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને આસપાસના જંગલોમાં 3.5 મિલિયન વૃક્ષો પડી ગયા હતા, જોકે પશુઓ અને પશુધનના નુકસાનનો ઉલ્લેખ નથી. સદનસીબે, ગુજરાતમાં 100 કરતા ઓછા લોકો સુધી જીવ ગુમાવ્યો હતો (અન્ય રાજ્યોમાં કેટલાક લોકોના મોત થયા હતા).

કેવી છે તૈયારી ?

ભારત પાસે ચક્રવાત ચેતવણી સેવાઓ અને દરિયાઈ હવામાન સેવાઓ છે; પૂર્વ અને પશ્ચિમ કિનારાને આવરી લેતા સાત સ્થાપિત ચેતવણી કેન્દ્રો છે. આ પૈકી ત્રણ એરિયા સાયક્લોન વોર્નિંગ સેન્ટર્સ (ACWCs) છે જે ચેન્નાઈ, મુંબઈ અને કોલકાતા ખાતે સ્થિત છે અને બાકીના ચાર અમદાવાદ, તિરુવનંતપુરમ, વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વર ખાતે આવેલા સાયક્લોન વોર્નિંગ સેન્ટર્સ (CWCs) છે.

સાચા ટ્રેક અને તીવ્રતાની આગાહી માટે, બંગાળની ખાડી અને અરબી સમુદ્ર માટે મોડલ સમાન છે. “પરંતુ બંગાળની ખાડીની તુલનામાં, અરબી સમુદ્રના ક્ષેત્રમાં નિરીક્ષણ પ્રણાલી નબળી છે,” મહાપાત્રાએ ન્યૂઝ9 પ્લસને જણાવ્યું.

પૂર્વ કિનારા તરફ, બાંગ્લાદેશ અને મ્યાનમાર તેમના સાધનો સાથે ઓછામાં ઓછા અવલોકનોમાં ફાળો આપે છે અને પ્રમાણમાં, બંગાળની ખાડીમાં buoysની સંખ્યા વધારે છે. તેનાથી વિપરીત, પશ્ચિમ કિનારે, પાકિસ્તાન, યમન અથવા તો સોમાલિયા – અરબી સમુદ્રના કિનાર દેશો – ભાગ્યે જ મોડેલમાં ડેટા પ્રદાન કરે છે અને ફ્લોટ્સ પણ નાના છે.

ઉપગ્રહ તસવીરો આ તમામ ક્ષેત્રો માટે મુખ્ય રીતે મદદ કરે છે, મહાપાત્રાએ ઉમેર્યું હતું કે, ” જે તે સ્થળે સપાટી પરથી ડેટા મળે એ વધુ સારું છે.”

પર્યાપ્ત પૂર્વ ચેતવણી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રસાર પ્રણાલી

ભારત કુદરતી જોખમો, ખાસ કરીને ભૂકંપ, પૂર, દુષ્કાળ, ચક્રવાત અને ભૂસ્ખલન માટે અત્યંત સંવેદનશીલ છે. અંદાજે, 40% વસ્તી દરિયાકાંઠાના 100 કિલોમીટરની અંદર રહે છે – ભારતમાં 7,500 કિલોમીટર લાંબી દરિયાકિનારો છે – અને તે હાલ ગંભીર ચક્રવાતોના સંપર્કમાં છે.

1999 માં ઓડિશા સુપર સાયક્લોન આપત્તિમાં 10,000 થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતા – ભારત સરકારે 2005 માં વિશ્વ બેંકની મદદથી નેશનલ સાયક્લોન રિસ્ક મિટિગેશન પ્રોજેક્ટ (NCRMP) હાથ ધર્યો હતો. પ્રારંભિક ચેતવણી એ પ્રોજેક્ટ હેઠળ IMD દ્વારા લેવામાં આવતું મહત્વનુ પગલું હતું.

સત્તાવાર રેકોર્ડ મુજબ, તેના ચાર ઘટકો હતા: પૂર્વ ચેતવણી પ્રસાર સિસ્ટમ (EWDS) અને દરિયાકાંઠાના સમુદાયો માટે ક્ષમતા નિર્માણ; ચક્રવાત જોખમ ઘટાડવાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર; રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરની ક્ષમતા નિર્માણ અને જ્ઞાન નિર્માણ માટે ટેકનિકલ સહાય અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ અને અમલીકરણ સપોર્ટ.

ઘણા વર્ષોથી, પૂર્વ કિનારા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું, ખાસ કરીને પ્રથમ તબક્કામાં સૌથી વધુ સંવેદનશીલ આંધ્રપ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ, ઓડિશાએ સફળતાપૂર્વક ચક્રવાત-આશ્રયસ્થાનોનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને જરૂરી સાધનસામગ્રીનો ઉપયોગ ઉપલબ્ધ કરવામાં આવ્યો હતો

“અમે (ભારત) છેલ્લા 15 વર્ષોમાં ચક્રવાતથી મૃત્યુદરમાં 90% સુધીનો ઘટાડો કર્યો છે. પૂર્વ અને પશ્ચિમ બંને કિનારા પર, અમારી પાસે ચક્રવાત માટે પ્રારંભિક ચેતવણી પ્રણાલીનું લગભગ 100% કવરેજ છે,એવું આઈએમડીના ડિરેક્ટર જનરલ ડૉ. મૃત્યુંજય મહાપાત્રાએ ગયા વર્ષે મીડિયાને જણાવ્યું હતું.

જો કે, NCRMP તબક્કો II એ પશ્ચિમ કિનારે પણ ચક્રવાતની તૈયારીઓને પ્રોત્સાહન આપ્યું હતું. ગોવાએ 12 બહુહેતુક ચક્રવાત આશ્રયસ્થાનો (MPCS) બનાવ્યા અને 315 કિલોમીટરના કેબલ ભૂગર્ભમાં નાખ્યા; ગુજરાતે 175 કિલોમીટરના કનેક્ટિંગ રોડ સાથે 76 MPCS બાંધ્યા; કર્ણાટક 11 MPCS જ્યારે કેરળ 17.

‘વર્તમાન વિજ્ઞાન’ના જાન્યુઆરી 2021ના અંકમાં, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના ભૂતપૂર્વ સચિવ, શૈલેષ નાયકે – જેઓ તે સમયે બેંગલુરુ સ્થિત નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ એડવાન્સ સ્ટડીઝ સાથે હતા -એ લખ્યું: “ભારતમાં, સમયાંતરે, ખાસ કરીને પૂર્વ કિનારે, આગાહીમાં સ્થાનિક સમુદાયોનો વિશ્વાસ તેમજ સ્થાનિક વહીવટમાં અનેકગણો વધારો કર્યો છે.

લોકો હવે ચક્રવાતના સંભવિત જોખમોથી વાકેફ છે. લોકોને, ખાસ કરીને વિદ્યાર્થીઓને વિજ્ઞાન,સાથે સંકળાયેલા જોખમો, સામાજિક અસર અને નિવારક પગલાં વિશે શિક્ષિત કરવા આવી રહ્યા છે . એવું જોવામાં આવ્યું છે કે ઘણા ગામોમાં લોકોને સંભવિત ખતરા વિશે માહિતગાર કરવા તેમજ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં અને જરૂરી રાહત પૂરી પાડવામાં વહીવટીતંત્રને મદદ કરવા સ્વયંસેવકો છે.

કૃષ્ણ વત્સા, સભ્ય, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA)એ કહ્યું: “ઓડિશા અને ગુજરાતના ગામડાઓની સરખામણી કરવી તે ખૂબ જ અયોગ્ય છે. ગુજરાતમાં સાયક્લોન આશ્રયસ્થાનોની સંખ્યા ઓછી હોઈ શકે છે કારણ કે સામાન્ય રીતે ગુજરાતના લોકોની આર્થિક સ્થિતી સારી છે, ગુજરાતમાં આવાસની ગુણવત્તા પણ ઘણી સારી છે.”

NDMA દ્વારા પરિસ્થિતિ પર કડક નજર રાખવામાં આવી રહી હોવાનું જણાવતા વત્સાએ કહ્યું, “અમે એડવાઈઝરી જાહેર કરી રહ્યા છીએ અને ટ્રેક રાખીએ છીએ.”

અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
g clip-path="url(#clip0_868_265)">