AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અદાણીનો મેગા પ્લાન! ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને પોર્ટ વ્યવસાય સહિતના ક્ષેત્રોમાં ₹12 લાખ કરોડનું રોકાણ થશે

દેશનું અગ્રણી બિઝનેસ હાઉસ અદાણી ગ્રુપ આગામી 6 વર્ષમાં ભારતમાં ₹12 લાખ કરોડનું રોકાણ કરશે. આ રોકાણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, માઇનિંગ, રિન્યૂએબલ એનર્જિ અને પોર્ટ વ્યવસાય સહિતના ક્ષેત્રોમાં કરવામાં આવશે.

અદાણીનો મેગા પ્લાન! ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને પોર્ટ વ્યવસાય સહિતના ક્ષેત્રોમાં ₹12 લાખ કરોડનું રોકાણ થશે
| Updated on: Dec 10, 2025 | 8:57 PM
Share

દેશનું અગ્રણી બિઝનેસ હાઉસ અદાણી ગ્રુપ આગામી 6 વર્ષમાં ભારતમાં ₹12 લાખ કરોડનું રોકાણ કરશે. આ રોકાણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, માઇનિંગ, રિન્યૂએબલ એનર્જિ અને પોર્ટ વ્યવસાય સહિતના ક્ષેત્રોમાં કરવામાં આવશે.

દેશનું અગ્રણી બિઝનેસ હાઉસ અદાણી ગ્રુપ આગામી 6 વર્ષમાં ભારતમાં ₹12 લાખ કરોડનું રોકાણ કરશે. સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, અદાણી ગ્રુપ આગામી 6 વર્ષમાં ₹12 લાખ કરોડ સુધીનું રોકાણ કરવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે, આ રોકાણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, માઇનિંગ, રિન્યૂએબલ એનર્જિ અને પોર્ટ વ્યવસાય સહિતના ક્ષેત્રોમાં કરવામાં આવશે.

ગૌતમ અદાણીએ શું કહ્યું?

ગૌતમ અદાણીએ કહ્યું કે, “દેશમાં રોકાણની અપાર તકો છે. અમે આગામી 6 વર્ષમાં ભારતમાં ₹10 થી 12 લાખ કરોડનું રોકાણ કરીશું.” તેમણે વધુમાં કહ્યું કે, કોર્પોરેટ ભારત અને ઉદ્યોગપતિઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભરતાના આહ્વાનમાં જોડાઈ રહ્યા છે, જેને તેમણે ભારતની નવી સ્વતંત્રતા તરીકે વર્ણવી હતી.”

રોકાણ ક્યાં કરવામાં આવશે?

તેમણે કહ્યું કે, પ્રસ્તાવિત રોકાણોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, માઇનિંગ, રિન્યૂએબલ એનર્જિ અને પોર્ટ વ્યવસાય ક્ષેત્રનો સમાવેશ થશે. અદાણીએ કહ્યું કે, ‘અમે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી નવીનીકરણીય ઉર્જા કંપનીઓમાંની એક બનવા માટે રોકાણ કર્યું છે.’

6 કરોડથી વધુ ઘરોને વીજળી આપવા બરાબર છે

અદાણી ગ્રુપ ગુજરાતના ખાવડામાં 520 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલ વિશ્વનું સૌથી મોટું રિન્યુએબલ એનર્જી પાર્ક બનાવી રહ્યું છે. સંપૂર્ણ ક્ષમતા સાથે, આ પાર્ક વર્ષ 2030 સુધીમાં 30 ગીગાવોટ ગ્રીન એનર્જી ઉત્પન્ન કરે તેવી અપેક્ષા છે, જે વાર્ષિક 6 કરોડથી વધુ ઘરોને વીજળી આપવા બરાબર છે. અદાણી ગ્રુપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝે 10 ડિસેમ્બરના રોજ તેનો 24,000 કરોડ રૂપિયાનો રાઇટ્સ ઇશ્યૂ બંધ કર્યો.

દેશ અને દુનિયાના વિશેષ સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.

Follow Us
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ
ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ
g clip-path="url(#clip0_868_265)">