AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અદાણીનો મેગા પ્લાન! ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને પોર્ટ વ્યવસાય સહિતના ક્ષેત્રોમાં ₹12 લાખ કરોડનું રોકાણ થશે

દેશનું અગ્રણી બિઝનેસ હાઉસ અદાણી ગ્રુપ આગામી 6 વર્ષમાં ભારતમાં ₹12 લાખ કરોડનું રોકાણ કરશે. આ રોકાણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, માઇનિંગ, રિન્યૂએબલ એનર્જિ અને પોર્ટ વ્યવસાય સહિતના ક્ષેત્રોમાં કરવામાં આવશે.

અદાણીનો મેગા પ્લાન! ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને પોર્ટ વ્યવસાય સહિતના ક્ષેત્રોમાં ₹12 લાખ કરોડનું રોકાણ થશે
| Updated on: Dec 10, 2025 | 8:57 PM
Share

દેશનું અગ્રણી બિઝનેસ હાઉસ અદાણી ગ્રુપ આગામી 6 વર્ષમાં ભારતમાં ₹12 લાખ કરોડનું રોકાણ કરશે. આ રોકાણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, માઇનિંગ, રિન્યૂએબલ એનર્જિ અને પોર્ટ વ્યવસાય સહિતના ક્ષેત્રોમાં કરવામાં આવશે.

દેશનું અગ્રણી બિઝનેસ હાઉસ અદાણી ગ્રુપ આગામી 6 વર્ષમાં ભારતમાં ₹12 લાખ કરોડનું રોકાણ કરશે. સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, અદાણી ગ્રુપ આગામી 6 વર્ષમાં ₹12 લાખ કરોડ સુધીનું રોકાણ કરવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે, આ રોકાણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, માઇનિંગ, રિન્યૂએબલ એનર્જિ અને પોર્ટ વ્યવસાય સહિતના ક્ષેત્રોમાં કરવામાં આવશે.

ગૌતમ અદાણીએ શું કહ્યું?

ગૌતમ અદાણીએ કહ્યું કે, “દેશમાં રોકાણની અપાર તકો છે. અમે આગામી 6 વર્ષમાં ભારતમાં ₹10 થી 12 લાખ કરોડનું રોકાણ કરીશું.” તેમણે વધુમાં કહ્યું કે, કોર્પોરેટ ભારત અને ઉદ્યોગપતિઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભરતાના આહ્વાનમાં જોડાઈ રહ્યા છે, જેને તેમણે ભારતની નવી સ્વતંત્રતા તરીકે વર્ણવી હતી.”

રોકાણ ક્યાં કરવામાં આવશે?

તેમણે કહ્યું કે, પ્રસ્તાવિત રોકાણોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, માઇનિંગ, રિન્યૂએબલ એનર્જિ અને પોર્ટ વ્યવસાય ક્ષેત્રનો સમાવેશ થશે. અદાણીએ કહ્યું કે, ‘અમે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી નવીનીકરણીય ઉર્જા કંપનીઓમાંની એક બનવા માટે રોકાણ કર્યું છે.’

6 કરોડથી વધુ ઘરોને વીજળી આપવા બરાબર છે

અદાણી ગ્રુપ ગુજરાતના ખાવડામાં 520 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલ વિશ્વનું સૌથી મોટું રિન્યુએબલ એનર્જી પાર્ક બનાવી રહ્યું છે. સંપૂર્ણ ક્ષમતા સાથે, આ પાર્ક વર્ષ 2030 સુધીમાં 30 ગીગાવોટ ગ્રીન એનર્જી ઉત્પન્ન કરે તેવી અપેક્ષા છે, જે વાર્ષિક 6 કરોડથી વધુ ઘરોને વીજળી આપવા બરાબર છે. અદાણી ગ્રુપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝે 10 ડિસેમ્બરના રોજ તેનો 24,000 કરોડ રૂપિયાનો રાઇટ્સ ઇશ્યૂ બંધ કર્યો.

દેશ અને દુનિયાના વિશેષ સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારનું પ્લેન ક્રેશમાં મોત
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારનું પ્લેન ક્રેશમાં મોત
રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો વધ્યો, તાપમાન વધઘટ રહેવાની કરાઈ આગાહી
રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો વધ્યો, તાપમાન વધઘટ રહેવાની કરાઈ આગાહી
નાણાકીય લાભ થવાની શક્યતા છે, સકારાત્મક વલણ જાળવી રાખો
નાણાકીય લાભ થવાની શક્યતા છે, સકારાત્મક વલણ જાળવી રાખો
ગણતંત્ર દિવસે સોનુ નિગમનો અનોખો અંદાજ, સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ !
ગણતંત્ર દિવસે સોનુ નિગમનો અનોખો અંદાજ, સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ !
સનાતન ધર્મના લોકો નિરાશ થાય તેવી સરકાર આ દેશમાં હવે ક્યારેય નહીં આવે
સનાતન ધર્મના લોકો નિરાશ થાય તેવી સરકાર આ દેશમાં હવે ક્યારેય નહીં આવે
હવે પદ્મ શ્રી હાજી કાસમનું નામ મતદાર યાદીમાંથી કમી કરવાનો આરોપ
હવે પદ્મ શ્રી હાજી કાસમનું નામ મતદાર યાદીમાંથી કમી કરવાનો આરોપ
પદ્મ શ્રી હાજી રમકડુંનુ નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવાનો કારસો
પદ્મ શ્રી હાજી રમકડુંનુ નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવાનો કારસો
24 કલાકમાં બદલાશે તમારા શહેરનું હવામાન
24 કલાકમાં બદલાશે તમારા શહેરનું હવામાન
'મધર ઓફ ઓલ ડીલ્સથી કઈ કઈ વસ્તુઓ થશે સસ્તી ?
'મધર ઓફ ઓલ ડીલ્સથી કઈ કઈ વસ્તુઓ થશે સસ્તી ?
ગાંધીધામમાં હિસ્ટ્રીશીટર મુસ્તાક નાગીયાના દબાણો પર ફરી વળ્યું બુલડોઝર
ગાંધીધામમાં હિસ્ટ્રીશીટર મુસ્તાક નાગીયાના દબાણો પર ફરી વળ્યું બુલડોઝર
g clip-path="url(#clip0_868_265)">