National: ખાસ કિસ્સાઓમાં ગર્ભાવસ્થાના 24 અઠવાડિયા સુધી ગર્ભપાતને મંજૂરી આપવામાં આવી

TV9 GUJARATI

|

Updated on: Oct 14, 2021 | 1:17 PM

સરકારે નવા નિયમો જાહેર કર્યા છે જે અંતર્ગત મહિલાઓની અમુક કેટેગરી માટે સગર્ભાવસ્થા સમાપ્ત કરવાની એટલે કે એબોર્શનની મર્યાદા 20 થી 24 અઠવાડિયા સુધી વધારી દેવામાં આવી છે.

National: ખાસ કિસ્સાઓમાં ગર્ભાવસ્થાના 24 અઠવાડિયા સુધી ગર્ભપાતને મંજૂરી આપવામાં આવી
Abortion allowed till 24 weeks of pregnancy in special cases

સરકારે નવા નિયમો જાહેર કર્યા છે જે અંતર્ગત મહિલાઓની અમુક કેટેગરી માટે સગર્ભાવસ્થા સમાપ્ત કરવાની એટલે કે એબોર્શનની મર્યાદા 20 થી 24 અઠવાડિયા સુધી વધારી દેવામાં આવી છે. નવા નિયમો મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નેન્સી (એમેન્ડમેન્ટ) એક્ટ, 2021 હેઠળ આવે છે જે આ વર્ષની શરૂઆતમાં સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યા હતા.

નવા નિયમો હેઠળ, સાત ચોક્કસ કેટેગરી 24 અઠવાડિયા સુધી ગર્ભાવસ્થા સમાપ્ત કરવા માટે પાત્ર રહેશે: જાતીય હુમલો અથવા બળાત્કાર, સગીર, ચાલુ ગર્ભાવસ્થા દરમિયાન વૈવાહિક સ્થિતિમાં ફેરફાર જેમ કે વિધવાપણું અને છૂટાછેડા, શારીરિક વિકલાંગતા ધરાવતી સ્ત્રીઓ, માનસિક રીતે બીમાર સ્ત્રીઓ, ગર્ભની ખોડખાંપણ કે જે જીવન સાથે અસંગત રહેવાનું નોંધપાત્ર જોખમ ધરાવે છે અથવા જો બાળકનો જન્મ થાય છે, તો તે ગંભીર શારીરિક અથવા માનસિક વિકૃતિઓથી પીડિત થઈ શકે છે, આવી અલગ અલગ સાત જેટલી કેટેગરી નક્કી કરવામાં આવી છે.

નવા નિયમો મુજબ, ગર્ભની ખોડખાંપણના કિસ્સાઓમાં 24 અઠવાડિયા પછી ગર્ભાવસ્થા સમાપ્ત થઈ શકે છે કે નહીં તે નક્કી કરવા માટે રાજ્ય-સ્તરના મેડિકલ બોર્ડની સ્થાપના કરવામાં આવશે, જ્યાં જીવન, શારીરિક અથવા માનસિક વિકૃતિઓ અથવા વિકલાંગતા સાથે અસંગતતાના નોંધપાત્ર જોખમ છે.

અગાઉ, ગર્ભપાત ગર્ભધારણના 12 સપ્તાહની અંદર કરવામાં આવે તો એક ડોક્ટરનો અભિપ્રાય અને 12 થી 20 સપ્તાહ વચ્ચે બે ડોક્ટરોનો અભિપ્રાય જરૂરી હતો. નવા નિયમો અનુસાર, આ સમયગાળા પછી ગર્ભાવસ્થા સમાપ્ત થઈ શકે કે નહીં તે નક્કી કરવા માટે રાજ્ય-સ્તરનું મેડિકલ બોર્ડ બનાવવામાં આવશે. નિયમો જણાવે છે કે મેડિકલ બોર્ડ દ્વારા યોગ્ય વિચારણા કર્યા બાદ અને મહિલા માટે જો એબૉર્શનની પ્રક્રિયા સલામત રહેશે તેની ખાતરી કર્યા બાદ જ આ પ્રકારનો નિર્ણય લઈ શકાય છે.

મેડિકલ બોર્ડનું કાર્ય મહિલા અને તેના રિપોર્ટ્સની તપાસ કરવાનું છે જો તે ગર્ભાવસ્થાની તબીબી સમાપ્તિ માટે સંપર્ક કરે અને ગર્ભાવસ્થા સમાપ્ત કરવા અથવા વિનંતી પ્રાપ્ત થયાના ત્રણ દિવસમાં સમાપ્તિ માટેની વિનંતીને નકારવા અંગે અભિપ્રાય આપે તે જરૂરી છે.

બધી મહિલાઓ માટે હોવું જોઈએ: નિષ્ણાતો પોપ્યુલેશન ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પૂનમ મુત્રેજાએ એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે, “અમે નવા નિયમોનું સ્વાગત કરીએ છીએ. સપ્તાહનો સગર્ભાવસ્થા સમયગાળો તમામ મહિલાઓ માટે હોવો જોઈએ અને માત્ર ‘મહિલાઓની વિશેષ કેટેગરી’ માટે નહીં. તેણીએ ઉમેર્યું, “રાજ્ય મેડિકલ બોર્ડની રચના ગર્ભપાત સેવાઓમાં મહિલાઓની પહોંચ માટે સંભવિત અવરોધો ઉભા કરી શકે છે કારણ કે ઘણી મહિલાઓને પછીથી ખબર પડે છે કે તેઓ ગર્ભવતી છે.”

આ પણ વાંચો : પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહની સારા સ્વાસ્થય માટે PM મોદીએ કરી પ્રાર્થના, માંડવિયાએ રૂબરૂ પૂછ્યા ખબર અંતર

આ પણ વાંચો : 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં ED એ નોરા ફતેહીને સમન્સ પાઠવ્યું, જેક્લિનની પણ ફરી પૂછપરછ કરવામાં આવશે

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati