AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહની સારા સ્વાસ્થય માટે PM મોદીએ કરી પ્રાર્થના, માંડવિયાએ રૂબરૂ પૂછ્યા ખબર અંતર

આ દરમ્યાન, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના નેતા ડો. મનમોહન સિંહને મળવા AIIMS પહોચ્યા હતા

પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહની સારા સ્વાસ્થય માટે PM મોદીએ કરી પ્રાર્થના, માંડવિયાએ રૂબરૂ પૂછ્યા ખબર અંતર
PM Narendra Modi- File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 14, 2021 | 11:38 AM
Share

વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહ (Ex PM Manmohan Singh) ના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી. તેમણે ટ્વિટ કરીને લખ્યું, હું ડો મનમોહન સિંહજીના સારા સ્વાસ્થ્ય અને જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.

આ દરમ્યાન, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના નેતા ડો. મનમોહન સિંહને મળવા AIIMS પહોચ્યા હતા, આપણે જણાવી દઈએ કે ડો. મનમોહન સિંહને ગઈ કાલે દિલ્હીની એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે.

પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહની તબિયત મંગળવારે અચાનક બગડી પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહની તબિયત મંગળવારે અચાનક બગડી ગઈ હતી. તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી અને સતત છાતીમાં દબાણ રહેવાની ફરિયાદ હતી. તેમને તાત્કાલિક અસરથી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) ના CN ટાવરમાં દાખલ કરવામા આવ્યાં છે, જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી છે. AIIMS ડો.મનમોહન સિંહની તપાસ માટે મેડિકલ બોર્ડ બનાવી રહી છે, જેનું નેતૃત્વ AIIMSના ડોક્ટર રણદીપ ગુલેરિયા કરશે.

મનમોહન સિંહ પણ આ વર્ષે 19 એપ્રિલે કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. તેમને AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને હળવો તાવ આવ્યા બાદ તપાસમાં કોરોના વાયરસથી ચેપ લાગ્યો હતો. ભૂતપૂર્વ વડાપ્રધાને 4 માર્ચ અને 3 એપ્રિલે કોરોના રસીના બે ડોઝ લીધા હતા. ડો.મનમોહન સિંહ કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે અને હાલમાં રાજસ્થાનથી રાજ્યસભાના સભ્ય છે. તેઓ 2004 થી 2014 સુધી દેશના વડાપ્રધાન હતા. 2009 માં તેમણે AIIMS માં બાયપાસ સર્જરી કરાવી હતી.

ડો. મનમોહન સિંહ, જે ભારતના 14 મા વડાપ્રધાન હતા, તેઓ એક વિચારક અને વિદ્વાન તરીકે જાણીતા છે. તેમનો જન્મ અવિભાજિત ભારતના પંજાબ પ્રાંતના એક ગામમાં 26 સપ્ટેમ્બર 1932 ના રોજ થયો હતો. તેમણે વર્ષ 1948 માં પંજાબ યુનિવર્સિટીમાંથી મેટ્રિક પૂર્ણ કર્યું. તે પછી તેમણે યુકેની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી આગળનું શિક્ષણ મેળવ્યું.

આ પણ વાંચો: IPL 2021: ધોની પાસે તૈયાર થયો, અને રાજસ્થાન થી કોલકાતા પહોચેલો રાહુલ ત્રિપાઠી 2021 ની સિઝનમાં ચમકી ઉઠ્યો

આ પણ વાંચો: Blackout in Kabul : કાબુલની વિજળી થઇ ગૂલ, તાલિબાનીઓને કારણે અફઘાનિસ્તાનમાં અંધારપટ

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">