AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઉત્તરાખંડ સરકારનો મોટો નિર્ણય, જોશીમઠના દરેક પીડિત પરિવારને 1.5 લાખ રૂપિયાની સહાય મળશે

ઉત્તરાખંડ હવામાન વિભાગે (IMD) વરસાદ અને હિમવર્ષાને લઈને એલર્ટ જાહેર કર્યું છે, જેમાં તેઓએ 12 જાન્યુઆરીએ પણ ઉત્તરાખંડના ઘણા વિસ્તારોમાં હિમવર્ષા સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. હાલમાં તો માત્ર ઝરમર વરસાદ વરસી રહ્યો છે પરંતુ આ હળવા વરસાદે સૌની ચિંતા વધારી દીધી છે.

ઉત્તરાખંડ સરકારનો મોટો નિર્ણય, જોશીમઠના દરેક પીડિત પરિવારને 1.5 લાખ રૂપિયાની સહાય મળશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 11, 2023 | 3:21 PM
Share

જોશીમઠમાં 700 થી વધુ મકાનોમાં તિરાડો પડી છે અને ઘણાને તેમના ઘર છોડવાની ફરજ પાડવામાં આવી છે. આ દરમિયાન ઉત્તરાખંડ રાજ્ય સરકારે પીડિતો માટે વળતરની રકમમાં વધારો કર્યો છે. હવે દરેક પીડિત પરિવારને વળતર તરીકે 1.5 લાખ રૂપિયા આપવામાં આવશે. આ પહેલા સરકારે દરેક પરિવારને 5,000 રૂપિયા આપવાનું કહ્યું હતું. TV9 ભારતવર્ષે સરકારના આ નિર્ણય પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. આ પછી સીએમના સચિવ મીનાક્ષી સુંદરમે કહ્યું છે કે, હવે તાત્કાલિક રાહત તરીકે 50 હજાર રૂપિયા આપવામાં આવશે, જ્યારે ઘરના વળતર પેઠે 1 લાખ રૂપિયા એડજસ્ટ કરવામાં આવશે.

CM ધામીએ કહ્યું કે જે લોકોને નુકસાન થયું છે તેમને બજાર દરે વળતર મળશે, વળતરની રકમ અસરગ્રસ્ત લોકો સાથે ચર્ચા કર્યા પછી જ નક્કી કરવામાં આવશે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે પૃથ્વીની હિલચાલને કારણે ગમે ત્યારે કોઈ મોટી દુર્ઘટના થઈ શકે છે. સાથે જ જોશીમઠમાં આકાશમાંથી પણ વરસાદના રૂપમાં આફત વરસી શકે છે. વૈજ્ઞાનિકોએ દાવો કર્યો હતો કે 11-12 જાન્યુઆરીએ જોશીમઠ અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. આ વરસાદને કારણે જોશીમઠની સમસ્યામાં વધુ વધારો થશે.

ઉત્તરાખંડના ઘણા વિસ્તારોમાં હિમવર્ષા સાથે વરસાદની સંભાવના

હવામાન વિભાગની આગાહી સાચી ઠરી અને બુધવારે વરસાદ શરૂ થયો હતો. હાલમાં તો માત્ર ઝરમર વરસાદ વરસી રહ્યો છે પરંતુ આ હળવા વરસાદે સૌની ચિંતા વધારી દીધી છે. ઉત્તરાખંડ હવામાન વિભાગે વરસાદ અને હિમવર્ષાને લઈને એલર્ટ જાહેર કર્યું છે, જેમાં તેઓએ 12 જાન્યુઆરીએ પણ ઉત્તરાખંડના ઘણા વિસ્તારોમાં હિમવર્ષા સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.

જોશીમઠ શહેરમાં મોડી સાંજે 10 મીમી સુધી વરસાદ પડવાની સંભાવના

જોશીમઠમાં ભૂસ્ખલનને કારણે 723 મકાનોમાં તિરાડો પડી ગઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 11 જાન્યુઆરીએ ઉત્તરકાશી, ચમોલી, બાગેશ્વર પિથોરાગઢ અને રુદ્રપ્રયાગ જેવા ઊંચાઈવાળા વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જોશીમઠ શહેરમાં મોડી સાંજે 10 મીમી સુધી વરસાદ પડવાની સંભાવના છે. આ સાથે 12 જાન્યુઆરીએ પણ 10 થી 20 મીમી વરસાદની શક્યતા છે.

વરસાદને કારણે લોકોની મુશ્કેલી વધી શકે છે

હવામાન વિભાગના ડાયરેક્ટર વિક્રમ સિંહે કહ્યું કે, જ્યારે આ પાણી જોશીમઠમાં ભૂસ્ખલન અને મોટી તિરાડોમાં જશે ત્યારે તે ભૂસ્ખલનને વધુ વેગ આપશે. જોશીમઠને લઈને ઉત્તરાખંડ સરકાર દ્વારા બુધવારે એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. ઉત્તરાખંડ સરકારે ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે જોશીમઠના લોકોને બદ્રીનાથની જેમ વળતર આપવામાં આવશે નહીં. આ પ્રેસ કોન્ફરન્સ ખુદ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીના સચિવ આર. મીનાક્ષી સુંદરમે કરી હતી.

Follow Us
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
g clip-path="url(#clip0_868_265)">