AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai: ગોવા પહોંચ્યું કોર્ડેલિયા ક્રુઝ સ્ટાફ સહિત 66 લોકો કોવિડ પોઝિટિવ, તમામ લોકોને બહાર આવવા પર નો એન્ટ્રી

પોઝિટિવ ક્રૂ મેમ્બરને જહાજની અંદર Isolationમાં છે અધિકારીઓએ કડક સૂચના આપી છે કે આરટી-પીસીઆર ટેસ્ટ રિપોર્ટ આવે તે પહેલા કોઈએ જહાજમાંથી ઉતરવું નહીં.

Mumbai: ગોવા પહોંચ્યું કોર્ડેલિયા ક્રુઝ સ્ટાફ સહિત 66 લોકો કોવિડ પોઝિટિવ, તમામ લોકોને બહાર આવવા પર નો એન્ટ્રી
File Picture of Cordelia
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 04, 2022 | 9:59 AM
Share

Mumbai:બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન (SRK)ના પુત્ર આર્યન ખાન(Aryan Khan)ની ડ્રગ પાર્ટીમાંથી ધરપકડ થયા બાદ લાઇમલાઇટમાં આવેલી કોર્ડેલિયા ક્રૂઝ (Cordelia cruise Corona Cases)ફરી એકવાર વિવાદમાં છે. આ વખતે કોર્ડેલિયા ક્રૂઝ (Cordelia cruise) નવા વર્ષની પાર્ટી માટે 2000 લોકો સાથે મુંબઈથી ગોવા જઈ રહી હતી, પરંતુ અત્યાર સુધીમાં ક્રૂઝના સ્ટાફ સહિત 66 લોકો કોરોનાથી સંક્રમિત જોવા મળ્યા છે.

ક્રૂ મેમ્બરનો રિપોર્ટ પોઝિટિવ

ગોવાના આરોગ્ય પ્રધાન વિશ્વજીત રાણેએ જણાવ્યું હતું કે, ક્રૂઝ પરના કુલ 2016 લોકો હાલ માટે Isolationમાં છે તેમને બહાર આવવાની મંજૂરી નથી.તમને જણાવી દઈએ કે, સોમવારે ક્રૂઝના એક ક્રૂ મેમ્બરનો Antigen રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તમામ 2000 મુસાફરો અને 16 ક્રૂ મેમ્બરનો આરટી-પીસીઆર ટેસ્ટ (RT-PCR test) કરવામાં આવ્યો હતો, ત્યારબાદ જહાજ પરના તમામ લોકો ફસાયેલા છે. કોર્ડેલિયા ક્રુઝ મુંબઈથી ગોવા જવા રવાના થઈ હતી. અત્યારે તે ગોવામાં મોર્મુગાવ પોર્ટ ક્રુઝ ટર્મિનલ પાસે છે. હવે ત્યાંની સરકારે જહાજને ડોક કરવાની મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો છે.

રિપોર્ટ આવે ત્યાં સુધી જહાજમાં જ રહેવું પડશે

પોઝિટિવ ક્રૂ મેમ્બરને જહાજની અંદર આઈસોલેટ કરવામાં આવ્યા છે. અધિકારીઓએ કડક સૂચના આપી છે કે, આરટી-પીસીઆર ટેસ્ટ રિપોર્ટ આવે તે પહેલા કોઈએ જહાજમાંથી ઉતરવું નહીં. મહારાષ્ટ્રમાં કોરોના મહામારી દરમિયાન લાગાવવામાં આવેલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અમલમાં છે. આ હેઠળ માસ્ક વિના જાહેર સ્થળોએ જવું અને સોશિયલ ડિસ્ટસના નિયમનું પાલન કરવું ફરજિયાત છે.

ક્રૂઝમાં રેસ્ટોરન્ટ, બાર, ચિલ્ડ્રન પ્લે એરિયા અને જિમ જેવી સુવિધાઓ

જો કે, ક્રુઝ પર જાહેર કરવામાં આવેલ પાર્ટીના વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે અહીં હાજર લોકો દ્વારા આવા કોઈ નિયમનું પાલન કરવામાં આવ્યું નથી. આ ક્રૂઝ મુંબઈથી ગોવા, લક્ષદ્વીપ અને કોચી માટે બુક કરવામાં આવી રહી છે. કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 2022માં વિદેશ પ્રવાસ શરૂ કરવામાં આવશે. આ ક્રૂઝમાં રેસ્ટોરન્ટ, બાર, ઓપન સિનેમા, ચિલ્ડ્રન પ્લે એરિયા અને જિમ જેવી સુવિધાઓ છે.

બોમ્બે હાઈકોર્ટમાં નવા નિયમો લાગુ

મહારાષ્ટ્રમાં ઓમિક્રોન અને કોરોના સંક્રમણના વધતા જતા કેસોને કારણે વકીલો અને અરજદારોના ધસારાને ઘટાડવા માટે બોમ્બે હાઈકોર્ટે મંગળવારથી સુનાવણી માટે હાઇબ્રિડ સિસ્ટમ (વર્ચ્યુઅલ અને ફિઝિકલ) અપનાવવાનો નિર્ણય લીધો છે. આ માટે એક SOP પણ જાહેર કરવામાં આવી છે.ફિઝિકલ સુનાવણી માટે મંજૂર લોકોની સંખ્યાને મર્યાદિત કરીને, SOPમાં કહેવામાં આવ્યું કે, ફક્ત રેકોર્ડ પરના વકીલો, વરિષ્ઠ વકીલો અને રજિસ્ટર્ડ કારકુનને જ ફાઇલો લઈ જવાની મંજૂરી આપવામાં આવશે. વધુમાં કાનૂની સહાયની ગેરહાજરીમાં જ અરજદારો અથવા પક્ષકારોને પ્રવેશની મંજૂરી આપવામાં આવશે.

ન્યાયમૂર્તિ અમજદ સૈયદની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં હાઇબ્રિડ મોડમાં સુનાવણી હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં મહારાષ્ટ્રના વિવિધ બાર એસોસિએશનો અને મ્યુનિસિપલ સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ હાજર હતા. મુંબઈમાં રવિવારે 8000 થી વધુ COVID-19 કેસ નોંધાયા હતા, જ્યારે રાજ્યભરમાં 50 ઓમિક્રોન કેસ નોંધાયા હતા.

આ પણ વાંચો : Birth Anniversary : ગુજરાતમાં જન્મેલી નિરુપા રોય, જાણો કેવી રીતે બોલિવૂડની ફેવરિટ ‘માં’ બની

Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">