Mumbai: ગોવા પહોંચ્યું કોર્ડેલિયા ક્રુઝ સ્ટાફ સહિત 66 લોકો કોવિડ પોઝિટિવ, તમામ લોકોને બહાર આવવા પર નો એન્ટ્રી

પોઝિટિવ ક્રૂ મેમ્બરને જહાજની અંદર Isolationમાં છે અધિકારીઓએ કડક સૂચના આપી છે કે આરટી-પીસીઆર ટેસ્ટ રિપોર્ટ આવે તે પહેલા કોઈએ જહાજમાંથી ઉતરવું નહીં.

Mumbai: ગોવા પહોંચ્યું કોર્ડેલિયા ક્રુઝ સ્ટાફ સહિત 66 લોકો કોવિડ પોઝિટિવ, તમામ લોકોને બહાર આવવા પર નો એન્ટ્રી
File Picture of Cordelia
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 04, 2022 | 9:59 AM

Mumbai:બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન (SRK)ના પુત્ર આર્યન ખાન(Aryan Khan)ની ડ્રગ પાર્ટીમાંથી ધરપકડ થયા બાદ લાઇમલાઇટમાં આવેલી કોર્ડેલિયા ક્રૂઝ (Cordelia cruise Corona Cases)ફરી એકવાર વિવાદમાં છે. આ વખતે કોર્ડેલિયા ક્રૂઝ (Cordelia cruise) નવા વર્ષની પાર્ટી માટે 2000 લોકો સાથે મુંબઈથી ગોવા જઈ રહી હતી, પરંતુ અત્યાર સુધીમાં ક્રૂઝના સ્ટાફ સહિત 66 લોકો કોરોનાથી સંક્રમિત જોવા મળ્યા છે.

ક્રૂ મેમ્બરનો રિપોર્ટ પોઝિટિવ

ગોવાના આરોગ્ય પ્રધાન વિશ્વજીત રાણેએ જણાવ્યું હતું કે, ક્રૂઝ પરના કુલ 2016 લોકો હાલ માટે Isolationમાં છે તેમને બહાર આવવાની મંજૂરી નથી.તમને જણાવી દઈએ કે, સોમવારે ક્રૂઝના એક ક્રૂ મેમ્બરનો Antigen રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તમામ 2000 મુસાફરો અને 16 ક્રૂ મેમ્બરનો આરટી-પીસીઆર ટેસ્ટ (RT-PCR test) કરવામાં આવ્યો હતો, ત્યારબાદ જહાજ પરના તમામ લોકો ફસાયેલા છે. કોર્ડેલિયા ક્રુઝ મુંબઈથી ગોવા જવા રવાના થઈ હતી. અત્યારે તે ગોવામાં મોર્મુગાવ પોર્ટ ક્રુઝ ટર્મિનલ પાસે છે. હવે ત્યાંની સરકારે જહાજને ડોક કરવાની મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો છે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

રિપોર્ટ આવે ત્યાં સુધી જહાજમાં જ રહેવું પડશે

પોઝિટિવ ક્રૂ મેમ્બરને જહાજની અંદર આઈસોલેટ કરવામાં આવ્યા છે. અધિકારીઓએ કડક સૂચના આપી છે કે, આરટી-પીસીઆર ટેસ્ટ રિપોર્ટ આવે તે પહેલા કોઈએ જહાજમાંથી ઉતરવું નહીં. મહારાષ્ટ્રમાં કોરોના મહામારી દરમિયાન લાગાવવામાં આવેલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અમલમાં છે. આ હેઠળ માસ્ક વિના જાહેર સ્થળોએ જવું અને સોશિયલ ડિસ્ટસના નિયમનું પાલન કરવું ફરજિયાત છે.

ક્રૂઝમાં રેસ્ટોરન્ટ, બાર, ચિલ્ડ્રન પ્લે એરિયા અને જિમ જેવી સુવિધાઓ

જો કે, ક્રુઝ પર જાહેર કરવામાં આવેલ પાર્ટીના વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે અહીં હાજર લોકો દ્વારા આવા કોઈ નિયમનું પાલન કરવામાં આવ્યું નથી. આ ક્રૂઝ મુંબઈથી ગોવા, લક્ષદ્વીપ અને કોચી માટે બુક કરવામાં આવી રહી છે. કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 2022માં વિદેશ પ્રવાસ શરૂ કરવામાં આવશે. આ ક્રૂઝમાં રેસ્ટોરન્ટ, બાર, ઓપન સિનેમા, ચિલ્ડ્રન પ્લે એરિયા અને જિમ જેવી સુવિધાઓ છે.

બોમ્બે હાઈકોર્ટમાં નવા નિયમો લાગુ

મહારાષ્ટ્રમાં ઓમિક્રોન અને કોરોના સંક્રમણના વધતા જતા કેસોને કારણે વકીલો અને અરજદારોના ધસારાને ઘટાડવા માટે બોમ્બે હાઈકોર્ટે મંગળવારથી સુનાવણી માટે હાઇબ્રિડ સિસ્ટમ (વર્ચ્યુઅલ અને ફિઝિકલ) અપનાવવાનો નિર્ણય લીધો છે. આ માટે એક SOP પણ જાહેર કરવામાં આવી છે.ફિઝિકલ સુનાવણી માટે મંજૂર લોકોની સંખ્યાને મર્યાદિત કરીને, SOPમાં કહેવામાં આવ્યું કે, ફક્ત રેકોર્ડ પરના વકીલો, વરિષ્ઠ વકીલો અને રજિસ્ટર્ડ કારકુનને જ ફાઇલો લઈ જવાની મંજૂરી આપવામાં આવશે. વધુમાં કાનૂની સહાયની ગેરહાજરીમાં જ અરજદારો અથવા પક્ષકારોને પ્રવેશની મંજૂરી આપવામાં આવશે.

ન્યાયમૂર્તિ અમજદ સૈયદની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં હાઇબ્રિડ મોડમાં સુનાવણી હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં મહારાષ્ટ્રના વિવિધ બાર એસોસિએશનો અને મ્યુનિસિપલ સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ હાજર હતા. મુંબઈમાં રવિવારે 8000 થી વધુ COVID-19 કેસ નોંધાયા હતા, જ્યારે રાજ્યભરમાં 50 ઓમિક્રોન કેસ નોંધાયા હતા.

આ પણ વાંચો : Birth Anniversary : ગુજરાતમાં જન્મેલી નિરુપા રોય, જાણો કેવી રીતે બોલિવૂડની ફેવરિટ ‘માં’ બની

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">