દેશમાં ગયા વર્ષે દરરોજ 31 બાળકોએ કરી આત્મહત્યા, NCRB ના ડેટા પર નિષ્ણાતોએ કહ્યું – કોરોનાને કારણે વધ્યું માનસિક દબાણ

કોવિડ-19 ના પરિણામે શાળાઓ બંધ થવા ઉપરાંત, સામાજિક એકલતાના કારણે બાળકો સહિત પુખ્ત વયના લોકોનું માનસિક સ્વાસ્થ્ય ખરાબ રીતે પ્રભાવિત થયું છે.

દેશમાં ગયા વર્ષે દરરોજ 31 બાળકોએ કરી આત્મહત્યા, NCRB ના ડેટા પર નિષ્ણાતોએ કહ્યું - કોરોનાને કારણે વધ્યું માનસિક દબાણ
Suicide
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2021 | 6:33 PM

વર્ષ 2020 માં ભારતમાં દરરોજ સરેરાશ 31 બાળકોએ આત્મહત્યા (Suicide) કરી હતી. સરકારી આંકડાઓમાં આ માહિતી બહાર આવી છે. નિષ્ણાતોએ આ માટે કોવિડ-19 મહામારીને (Corona Virus) કારણે બાળકો પરના માનસિક દબાણને જવાબદાર ગણાવ્યું છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના (NCRB) ડેટા અનુસાર, 2020 માં દેશમાં 11,396 બાળકોએ આત્મહત્યા કરી હતી, જે 2019 ની સરખામણીમાં 18 ટકા વધુ છે. NCRB ના ડેટા અનુસાર, 2019 માં 9,613 અને 2018 માં 9,413 બાળકોએ આત્મહત્યા કરી હતી.

NCRB ના ડેટા અનુસાર, 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોની આત્મહત્યાના મુખ્ય કારણો કૌટુંબિક સમસ્યાઓ (4,006), પ્રેમ સંબંધો (1,337), બીમારી (1,327) હતા. કેટલાક બાળકોના આત્મહત્યા માટે વૈચારિક કારણો બેરોજગારી, નાદારી, નપુંસકતા અને ડ્રગનો ઉપયોગ જેવા અન્ય પરિબળો હતા. નિષ્ણાતોના મતે રોગચાળાને (Corona Virus) કારણે શાળાઓ અને રમતગમતની પ્રવૃત્તિઓ બંધ થવાને કારણે બાળકોના માનસિક અને શારીરિક વિકાસ પર ખરાબ અસર પડી છે.

બાળ સુરક્ષા માટે કામ કરતી એનજીઓ (NGO) ‘સેવ ધ ચિલ્ડ્રન’ના ડેપ્યુટી ડાયરેક્ટર પ્રભાત કુમારે જણાવ્યું હતું કે, કોવિડ-19 ના પરિણામે શાળાઓ બંધ થવા ઉપરાંત, સામાજિક એકલતાના કારણે બાળકો સહિત પુખ્ત વયના લોકોનું માનસિક સ્વાસ્થ્ય ખરાબ રીતે પ્રભાવિત થયું છે.

કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા

બાળકો માટે મૈત્રીપૂર્ણ વાતાવરણ જરૂરી પ્રભાત કુમારે કહ્યું, આપણે એક સમાજ તરીકે રાષ્ટ્રીય માનવ મૂડી બનાવવા માટે બાળકોના શિક્ષણ અને શારીરિક સ્વાસ્થ્ય જેવી મૂળભૂત બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, પરંતુ તે દરમિયાન આપણે તેમના માનસિક સ્વાસ્થ્યની કાળજી લેતા નથી અથવા તેમને માનસિક અને સામાજિક રીતે સમર્થન આપતા નથી.

બાળકોમાં આત્મહત્યાના કેસોમાં સતત વધારો થતા સમગ્ર તંત્રની નિષ્ફળતા છતી થઈ છે. માતા-પિતા, પરિવાર, પડોશીઓ અને સરકારની સામૂહિક જવાબદારી છે કે બાળકો તેમના ઉજ્જવળ ભવિષ્યની રાહ જોઈ શકે અને તેમના સપના સાકાર કરી શકે તેવું અનુકૂળ વાતાવરણ ઊભું કરવું.

આ પણ વાંચો : ‘હું મરી જઈશ પણ ભાજપ સાથે કોઈ સંબંધ નહીં રાખું’, પ્રિયંકા ગાંધીએ સંકલ્પ રેલીમાં યોગી સરકાર પર કર્યા પ્રહાર

આ પણ વાંચો : ‘સમીર વાનખેડેને જાણી જોઈને બદનામ કરવામાં આવી રહ્યા છે’, રામદાસ આઠવલેએ કહ્યું- તે દલિત પરિવારના છે, તેમને અનામત લેવાનો અધિકાર

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">