યુપીના બહરાઈચમાં ભડકેલી હિંસાના 2 આરોપીને એન્કાઉન્ટર દરમિયાન પગમાં વાગી ગોળી, 5 ની કરાઈ ધરપકડ

યુપીના બહરાઈચમાં દુર્ગા પ્રતિમા વિસર્જન સમયે ભડકેલી હિંસાના 2 આરોપીઓનું એન્કાઉન્ટર કરાયુ છે. પોલીસે કૂલ 5 આરોપીની ધરપકડ કરી છે. આ આરોપીઓ નેપાળ ભાગવાની ફિરાકમાં હતા. જે આરોપીઓનું એન્કાઉન્ટર કરાયુ છે તેમના નામ સરફરાઝ ઉર્ફે રિંકુ અને ફહીમ છે.

યુપીના બહરાઈચમાં ભડકેલી હિંસાના 2 આરોપીને એન્કાઉન્ટર દરમિયાન પગમાં વાગી ગોળી, 5 ની કરાઈ ધરપકડ
Follow Us:
| Updated on: Oct 17, 2024 | 4:13 PM

ઉત્તરપ્રદેશના બહરાઈચ જિલ્લામાં દુર્ગા પ્રતિમા વિસર્જન સમયે ભડકેલી હિંસાના બંને આરોપીઓનુ પોલીસે એન્કાઉન્ટર કર્યુ છે. બંને આરોપી નેપાળ ભાગવાની ફિરાકમાં હતા. ઘટનાના દિવસથી પોલીસ તેમને શોધી રહી હતી. આજે પોલીસને તે બંનેનું લોકેશન મળ્યુ હતુ. જે બાદ એ લોકેશનને ટ્રેસ કરી પોલીસ તે બંને સુધી પહોંચી હતી. આરોપીઓના નામ સરફરાઝ ઉર્ફે રિંકુ અને ફહીમ છે. આ બંને અબ્દુલ હમીદના દીકરા છે. એડીજી લૉ એન્ડ ઓર્ડર અમિતાભ યશે જણાવ્યુ કે હજુ મોત અંગેની કોઈ પુષ્ટિ થઈ નથી. પરંતુ પોલીસે હિંસાના 5 આરોપીઓની ધરપકડ કરી છે. પ્રાથમિક વિગતો અનુસાર 2 ને એન્કાઉન્ટરમાં ગોળી વાગી છે. નેપાળ બોર્ડર નજીક હાંડા બસેહરી નહેર નજીક આ ઘટના ઘટી હતી.

તો ઘાયલ આરોપીઓની સારવાર કરનારા સામૂદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર નાનારાના ડૉક્ટરે જણાવ્યુ કે બંનેને પગમાં ગોળી વાગી છે. એકને જમણા પગમાં અને એકને ડાબા પગમાં ગોળી વાગી છે. બુલેટ એગ્જિટ પોઈન્ટ મળ્યો નથી આથી ગોળી હજુ અંદર ફસાયેલી છે. આથી તેમને જિલ્લા હોસ્પિટલે રેફર કરવામાં આવ્યા છે.

એવો પણ દાવો કરાઈ રહ્યો છે કે રામગોપાલ મિશ્રા નામના 22 વર્ષિય યુવકની ક્રુરતાપૂર્વક અને અત્યંત બિભત્સ રીતે કરાયેલી હત્યામાં પણ આ બંને સામેલ હતા. આ બંને એ જ અન્યો  સાથે મળી રામગોપાલ પર ગોળી ચલાવી હતી. ઘટના સમયના કેટલાક વીડિયો ફુટેજ સામે આવ્યા છે. જેમા અબ્દુલ હામિદની છત પર ચાર થી પાંચ લોકો જોવા મળી રહ્યા છે.

કોઈ પણ સંજોગોમાં સવારે આટલા વાગ્યા સુધીમાં પથારી છોડી દેવી, જયા કિશોરીએ જણાવ્યું કારણ
સવારે ખાલી પેટે ગોળનું સેવન કરવાથી જાણો શું થાય છે?
છોડના પાન પર વારંવાર આવી જાય છે ફૂગ ? આ ટીપ્સ અપનાવો
Spinach : લીલી શાકભાજી પાલકમાં કયા વિટામિન હોય છે? નિષ્ણાતો પાસેથી જાણો
આજનું રાશિફળ તારીખ : 17-10-2024
લોરેન્સ બિશ્નોઈના દુશ્મનોનું લિસ્ટ, જુઓ યાદીમાં કોના નામ ?

બહરાઈચમાં આ કારણથી ભડકી હતી હિંસા

રવિવારે રેહુઆ મંસૂર ગામમાં દુર્ગાપ્રતિમા વિસર્જન માટે ભીડ જમા થઈ હતી અને સાંજે મુસ્લિમ એરિયામાંથી દુર્ગા વિસર્જન માટે સરઘસ નીકળ્યુ હતુ. આ સરઘસમાં રામગોપાલ મિશ્રા નામનો 22 વર્ષનો યુવક પણ સામેલ હતો. જ્યારે આ સરઘસ મહારાજગંજ બજારમાં એક સમુદાય વિશેષના મોહલ્લામાંથી પસાર થયુ તો બંને જૂથો વચ્ચે બોલાચાલી થઈ હતી. આક્ષેપ છે કે આ દરમિયાન અગાશી પરથી કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો. જેના કારણે વિસર્જનમાં ભાગદોડ મચી ગઈ હતી.

આ દરમિયાન ટોળામાંથી કેટલાક લોકો રામગોપાલ મિશ્રા નામના યુવકને ખેંચીને લઈ ગયા અને તેની સાથે નિર્દયતાથી મારપીટ કરી. તેના પગની આંગળીઓના તમામ નખ કાપી કાઢી નાખવામાં આવ્યા. ધારદાર હથિયાર વડે તેની આંખો ફોડવાની કોશિષ કરાઈ, જે બાદ તેને ઈલેક્ટ્રીક શોક આપવામાં આવ્યો અને ત્યારબાદ તેની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી. રામ ગોપાલ મિશ્રા સાથે ટોળાએ બર્બરતા, ક્રુરતા અને જંગલિયતની તમામ હદો પાર કરી દીધી.

આ તરફ જ્યારે રામગોપાલ મિશ્રાની હત્યાના સમાચારે મોટી બબાલનું સ્વરૂપ લઈ લીધુ અને હિંદુ સમુદાયના ટોળાઓએ પ્રતિક્રિયા રૂપે મહારાજગંજ કસ્બામાં તોડફોડ કરી, ગાડીઓને આગને હવાલે કરી. હોસ્પિટલમાં આગ લગાવી દીધી. આક્રોષિત પ્રદર્શનકર્તાઓએ આરોપીના ઘર સહિત અનેક વાહનોમાં તોડફોડ અને આગચંપી કરી. આ હિંસા બીજા દિવસે પણ શરૂ રહી. જેને પહલે જિલ્લામાં ભારે પોલીસ ફોર્સ તૈનાત કરવાની ફરજ પડી. ખુદ મુખ્યમંત્રી યોગીએ આ મામલે સંજ્ઞાન લીધુ અને હાલ પરિસ્થિતિ પર કાબુ કરી લેવાયો છે.

 દેશના તમામ  સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
રાજકોટના વાગુદડ ખાતે ગેરકાયદેસર બનાવેલા આશ્રમ પર ફરી વળ્યું બુલડોઝર
રાજકોટના વાગુદડ ખાતે ગેરકાયદેસર બનાવેલા આશ્રમ પર ફરી વળ્યું બુલડોઝર
અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્ય પર ઘેરાયુ વધુ એક માવઠાનું સંકટ
અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્ય પર ઘેરાયુ વધુ એક માવઠાનું સંકટ
દિવાળી પહેલા EDની તવાઈ, ગુજરાતની 23 કંપનીઓ પર દરોડા
દિવાળી પહેલા EDની તવાઈ, ગુજરાતની 23 કંપનીઓ પર દરોડા
થલતેજમાં બંધ પડેલા આવાસને લઈ તંત્ર હરકતમાં, AMCએ લીધો મોટો નિર્ણય
થલતેજમાં બંધ પડેલા આવાસને લઈ તંત્ર હરકતમાં, AMCએ લીધો મોટો નિર્ણય
પોરબંદરના રાણાવાવ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો
પોરબંદરના રાણાવાવ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો
અમરેલીના ગ્રામ્ય પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસ્યો ધોધમાર વરસાદ
અમરેલીના ગ્રામ્ય પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસ્યો ધોધમાર વરસાદ
ગુજરાતમાં વંટોળ સાથે વરસાદની આગાહી ! આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વંટોળ સાથે વરસાદની આગાહી ! આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
અમદાવાદની શાંતિ એશિયાટિક સ્કૂલ ખાતે 'જુનિયર પ્રભાત'ની શરૂઆત
અમદાવાદની શાંતિ એશિયાટિક સ્કૂલ ખાતે 'જુનિયર પ્રભાત'ની શરૂઆત
g clip-path="url(#clip0_868_265)">