Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM-GKAY હેઠળ ગુજરાતના 14 કરોડ લોકોને લાભ, 1329 કરોડની ફૂડ સબસિડી પ્રાપ્ત

PM-GKAY હેઠળ, ગુજરાત માટે કેન્દ્ર સરકારે કુલ રૂ. 9,69,614.09 કરોડનું ભંડોળ ફાળવ્યું છે. કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્યાન્ન અને જાહેર વિતરણ રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાએ જણાવ્યું હતું કે, FCI દ્વારા 81.35 કરોડ લોકોને મફત અનાજ પુરુ પાડવામાં આવે છે અને આ યોજના હેઠળ 80.56 કરોડ લાભાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

PM-GKAY હેઠળ ગુજરાતના 14 કરોડ લોકોને લાભ, 1329 કરોડની ફૂડ સબસિડી પ્રાપ્ત
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 26, 2025 | 9:07 PM

ભારત સરકારની મહત્વપૂર્ણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PM-GKAY) દ્વારા છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતના લગભગ 14 કરોડ લોકો લાભાન્વિત થયા છે. આ યોજના હેઠળ ગુજરાતને 2021-22 થી 2024-25 દરમિયાન રૂ. 1329 કરોડની ફૂડ સબસિડી આપવામાં આવી છે.

કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્યાન્ન અને જાહેર વિતરણ રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયા દ્વારા 25 માર્ચ 2025ના રોજ રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણીના પ્રશ્નનો જવાબ આપતા આ માહિતી રજૂ કરવામાં આવી.

કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્યાન્ન અને જાહેર વિતરણ રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં PM-GKAY અંતર્ગત 2021-22માં 3.45 કરોડ, 2022-23માં 3.44 કરોડ, 2023-24માં 3.52 કરોડ અને 2024-25ના વર્ષમાં 28 ફેબ્રુઆરી 2025 સુધીમાં 3.68 કરોડ લાભાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, રાષ્ટ્રીય ખાદ્ય નિગમ (FCI) અને અન્ય સંસ્થાઓ દ્વારા ખાદ્ય પ્રદાન અને આ વિતરણના ખર્ચ માટે રાજ્યને રૂ. 694 કરોડની સહાય પણ આપવામાં આવી છે.

Navratri: નવરાત્રી દરમિયાન ભૂલથી પણ આ વસ્તુઓ ન ખરીદો, તમારા જીવનમાં ગરીબી છવાઈ જશે!
તુલસીના છોડમાં કીડીઓનું નીકળવું કઈ વાતનો આપે છે સંકેત?
ચૈત્ર નવરાત્રી આજથી શરૂ ! આ 5 રાશિઓનું ભાગ્ય ચમકી ઉઠશે
Plant in pot : ઘરે જ તૈયાર કરો જૈવિક ખાતર, આ રહી સાચી અને સરળ રીત
આજનું રાશિફળ તારીખ : 30-03-2025
શુભમન ગિલે IPLમાં નવો રેકોર્ડ બનાવ્યો

PM-GKAY હેઠળ, ગુજરાત માટે કેન્દ્ર સરકારે કુલ રૂ. 9,69,614.09 કરોડનું ભંડોળ ફાળવ્યું છે. કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્યાન્ન અને જાહેર વિતરણ રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાએ જણાવ્યું હતું કે, FCI દ્વારા 81.35 કરોડ લોકોને મફત અનાજ પુરુ પાડવામાં આવે છે અને આ યોજના હેઠળ 80.56 કરોડ લાભાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત, કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્યાન્ન અને જાહેર વિતરણ રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાએ  સ્પષ્ટ કર્યો કે, નાણા મંત્રાલય સમગ્ર ભંડોળ ફાળવે છે, જ્યારે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને ખાદ્ય સબસિડી અને વિતરણ માટે કેન્દ્રીય સહાય આપવામાં આવે છે.

PM-GKAY ના અમલથી, ગુજરાતમાં ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને મહત્વપૂર્ણ ખાદ્ય સબસિડી મળી રહી છે, જે તેમના જીવનના ગુણવત્તાને સુધારવા માટે મોટું પગથિયું સાબિત થઈ રહી છે.

રાજ્યસભામાં થતી મહત્વની તમામ કાર્યવાહી અંગેના સમાચાર જાણવા માટે આપ અહીંયા ક્લિક કરો.

g clip-path="url(#clip0_868_265)">