AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફરી ચર્ચાનું કેન્દ્ર બન્યુ બાગેશ્વર ધામ, 10 વર્ષીય બાળકીનુ મોત થતા પરિવારજનોનો આક્રોશ આસમાને

બાળકીના પરિવારજનોએ અહીં ચમત્કાર સાંભળ્યો, ત્યારે તેઓ બાગેશ્વર ધામમાં લઈ આવ્યા, તેમણે ભભૂતિ આપી. એવી અપેક્ષા હતી કે તેનો જીવ બચી જશે, પરંતુ તેનુ મોત થઈ ગયુ.

ફરી ચર્ચાનું કેન્દ્ર બન્યુ બાગેશ્વર ધામ, 10 વર્ષીય બાળકીનુ મોત થતા પરિવારજનોનો આક્રોશ આસમાને
Bageshwar Dham
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 20, 2023 | 9:25 AM
Share

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી આ દિવસોમાં ચર્ચામાં છે. આ દરમિયાન વધુ એક સમાચાર આવી રહ્યા છે. ધામમાં આવેલી 10 વર્ષની બાળકીનું મોત થતા ચકચાર મચી જવા પામી છે. બાળકી 17 ફેબ્રુઆરીએ બાગેશ્વર ધામમાં આવી હતી. સંબંધીઓના જણાવ્યા અનુસાર, બાળકીને હુમલા આવતા હતા. જ્યારે તેણે અહીં ચમત્કાર સાંભળ્યો, ત્યારે તેઓ બાગેશ્વર ધામમાં લઈ આવ્યા, તેમણે ભભૂતિ આપી. એવી અપેક્ષા હતી કે તેનો જીવ બચી જશે, પરંતુ તેનુ મોત થઈ ગયુ.

સંબંધીઓને લાગ્યું કે બાળકી સૂઈ ગઈ પણ……!

મળતી માહિતી મુજબ, 10 વર્ષની બાળકી વિષ્ણુ કુમારી તેના પિતા બુધરામ, તેની માતા ધમ્મુ દેવી અને માસી ગુડ્ડી સાથે બાડમેરથી 17 ફેબ્રુઆરીના રોજ બાગેશ્વર ધામ આવી હતી. ધામમાં બાળકીની નાજુક તબિયતને લીધે તે આખી રાત જાગતી રહી, જેના કારણે બપોરે જ્યારે તેની આંખો ઝબકી ત્યારે સંબંધીઓને લાગ્યું કે બાળક સૂઈ ગયુ છે. પરંતુ શરીરમાં કોઈ હિલચાલ ન થતાં તેઓ ગભરાઈ ગયા, જેથી તેઓ તેને જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડોક્ટરે તપાસ કરતા બાળકીને મૃત જાહેર કરી હતી.

 પરિવારજનોમાં પારાવાર રોષ જોવા મળ્યો હતો

મૃતક બાળકીની માસી ગુડ્ડીએ જણાવ્યું હતુ કે તે દોઢ વર્ષથી ધામમાં આવી રહી છે. જ્યારે તેમને બાબાજી પાસે લઈ જવામાં આવ્યા ત્યારે તેમણે તેમને ભભૂતિ પણ આપી, પરંતુ તેનાથી તે બચી શકી નહી. બાબાજીએ કહ્યું કે તે શાંત થઈ ગઈ છે, આમને દૂર લઈ જઓ. હોસ્પિટલ ચેકઅપ અને મૃત્યુની પુષ્ટિ કર્યા બાદ પરિવારજનોમાં પારાવાર રોષ જોવા મળ્યો હતો.

આ દરમિયાન વધુ એક તસવીર સામે આવી જે માનવતાને શરમાવે છે.બાળકીના મૃતદેહને હોસ્પિટલથી એમ્બ્યુલન્સ સુધી લઈ જવા માટે સ્ટ્રેચર પણ મળ્યુ ન હતું. બાળકીની માસી ગુડ્ડી પોતે મૃતદેહને ખોળામાં લઈને હોસ્પિટલની બહારની એમ્બ્યુલન્સમાં લઈ ગઈ.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">