AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સમીર વાનખેડેની ખાતાકીય તપાસનો ધમધમાટ શરૂ, NCBએ ઇન્સ્પેક્ટર આશિષ રંજન પ્રસાદનું નિવેદન નોંધ્યુ

સમીર વાનખેડે પર લાંચ લેવાના આરોપોની તપાસ કરી રહેલી વિજિલન્સ ટીમે ઈન્સ્પેક્ટર આશિષ રંજન પ્રસાદનું નિવેદન નોંધ્યુ છે.

સમીર વાનખેડેની ખાતાકીય તપાસનો ધમધમાટ શરૂ, NCBએ ઇન્સ્પેક્ટર આશિષ રંજન પ્રસાદનું નિવેદન નોંધ્યુ
Sameer Wankhede
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 29, 2021 | 6:28 PM
Share

Sameer Wankhede Case : સમીર વાનખેડે પર લગાવવામાં આવેલા આરોપ પર વિજિલન્સ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ખાતાકીય તપાસ માટે વિજિલન્સ ટીમ (Vigilance Team) સતત સાક્ષીઓના નિવેદનો નોંધી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, NCBના ઇન્સ્પેક્ટર આશિષ રંજન પ્રસાદે NCB વિજિલન્સ ટીમની સામે 4 પાનાનું નિવેદન લખ્યું છે.

NCBએ ઇન્સ્પેક્ટર આશિષ રંજન પ્રસાદનું નિવેદન નોંધી તપાસ તેજ કરી

NCB વિજિલન્સ ટીમે ઈન્સ્પેક્ટરને 2 ઓક્ટોબરની સમગ્ર ઘટના ક્રમિક રીતે પૂછી હતી અને તે નિવેદનના રૂપમાં લખવામાં આવ્યું છે. પંચ પ્રભાકર અને કિરણ ગોસાવી પહેલા આશિષ રંજન (Ashish Ranjan Prashad) પ્રથમ સીઝર અધિકારી છે. આથી, તેમનું નિવેદન મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મળતા અહેવાલ અનુસાર, વિજિલન્સ ટીમે તેમનું નિવેદન નોંધતી વખતે વીડિયોગ્રાફી પણ કરી હતી.

વિવાદોમાં ફસાયા વાનખેડે

બીજી તરફ, નવાબ મલિક NCB ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે (Officer Sameer Wankhede) પર રોજ નવા ખુલાસા કરી રહ્યા છે. તેણે ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી દરમિયાન વાનખેડે પર દાઢીવાળો વ્યક્તિ હોવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારથી સતત આ સવાલો ઉઠતા હતા કે આ દાઢીવાળો માણસ કોણ છે. ત્યારે આજે નવાબ મલિકે ખુલાસો કર્યો છે કે તે દાઢીવાળો વ્યક્તિ કોણ છે.

નવાબ મલિકે વાનખેડે પર ગંભીર આરોપ લગાવ્યા

નવાબ મલિકે કહ્યું કે ક્રુઝ ડ્રગ્સ પાર્ટીમાં (Cruise Drugs Party) દાઢીવાળો કોણ હતો? આ દાઢીવાળા ફેશન ટીવીના ઈન્ડિયા હેડ કાશિફ ખાન છે. તે ફેશનના નામે પોર્નોગ્રાફી, ડ્રગ્સ, સેક્સ રેકેટનો ધંધો કરે છે. ઉપરાંત તેમને સમીર વાનખેડે સાથે તેના સંબંધો છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે સમીર વાનખેડેએ કાશિફ ખાન પર ઘણી વખત દરોડા અટકાવ્યા હતા. આથી આ વિવાદ વધુ વણસ્યો છે.

એનસીપી નેતાએ (Nawab Malik) વધુમાં કહ્યું કે સમીર વાનખેડેના પરિવારે સીએમને પત્ર લખ્યો છે કે તેઓ મરાઠી છે અને મરાઠી સીએમ હોવાને કારણે મુખ્યમંત્રીએ તેમની મદદ કરવી જોઈએ. પરંતુ મારો પરિવાર 70 વર્ષથી આ શહેરમાં રહે છે. મારો જન્મ 1959માં થયો હતો, ત્યારથી હું આ શહેરનો નાગરિક છું.

આ પણ વાંચો: સમીર વાનખેડેના ધર્મને લઈને કેમ થઈ રહ્યો છે વિવાદ ? જાણો TV9 સાથેની વાતચીતમાં તેમના પરિવારે શું કહ્યુ……

Follow Us
ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ
ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ
પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, 2.13 લાખની ઉચાપતનો દાવો
પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, 2.13 લાખની ઉચાપતનો દાવો
તાપીઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે બબાલનો કેસ
તાપીઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે બબાલનો કેસ
પ્રવેશોત્સવમાં ચોંકાવનારો કિસ્સો: 9મા ધોરણના વિદ્યાર્થીને ABCD ન આવડી
પ્રવેશોત્સવમાં ચોંકાવનારો કિસ્સો: 9મા ધોરણના વિદ્યાર્થીને ABCD ન આવડી
જંગલેશ્વરની તોડફોડ પાછળ કરેલા જંગલ જેવા ખર્ચનો હિસાબ કિતાબ આપોઃ સરકાર
જંગલેશ્વરની તોડફોડ પાછળ કરેલા જંગલ જેવા ખર્ચનો હિસાબ કિતાબ આપોઃ સરકાર
સુરતમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા લાખો લીટર પાણીનો વેડફાટ !
સુરતમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા લાખો લીટર પાણીનો વેડફાટ !
નાસીરનગર ડિમોલિશન મામલે પોલીસ અને તંત્રને હાઈકોર્ટની ફટકાર
નાસીરનગર ડિમોલિશન મામલે પોલીસ અને તંત્રને હાઈકોર્ટની ફટકાર
ભગવાનનો વૈદિક મંત્રોચ્ચાર સાથે જળાભિષેક કરાયો
ભગવાનનો વૈદિક મંત્રોચ્ચાર સાથે જળાભિષેક કરાયો
રાજકારણમાંથી નિવૃત્તિ લઈ સલાહકાર સમિતિમાં જોડાવાની ગણતરી
રાજકારણમાંથી નિવૃત્તિ લઈ સલાહકાર સમિતિમાં જોડાવાની ગણતરી
દેશના 22 રાજ્યોમાં ચોમાસાનું આગમન, ક્યાંક વરસાદ તો ક્યાંક હીટવેવનો ડબલ
દેશના 22 રાજ્યોમાં ચોમાસાનું આગમન, ક્યાંક વરસાદ તો ક્યાંક હીટવેવનો ડબલ
g clip-path="url(#clip0_868_265)">