AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સમીર વાનખેડેની ખાતાકીય તપાસનો ધમધમાટ શરૂ, NCBએ ઇન્સ્પેક્ટર આશિષ રંજન પ્રસાદનું નિવેદન નોંધ્યુ

સમીર વાનખેડે પર લાંચ લેવાના આરોપોની તપાસ કરી રહેલી વિજિલન્સ ટીમે ઈન્સ્પેક્ટર આશિષ રંજન પ્રસાદનું નિવેદન નોંધ્યુ છે.

સમીર વાનખેડેની ખાતાકીય તપાસનો ધમધમાટ શરૂ, NCBએ ઇન્સ્પેક્ટર આશિષ રંજન પ્રસાદનું નિવેદન નોંધ્યુ
Sameer Wankhede
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 29, 2021 | 6:28 PM
Share

Sameer Wankhede Case : સમીર વાનખેડે પર લગાવવામાં આવેલા આરોપ પર વિજિલન્સ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ખાતાકીય તપાસ માટે વિજિલન્સ ટીમ (Vigilance Team) સતત સાક્ષીઓના નિવેદનો નોંધી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, NCBના ઇન્સ્પેક્ટર આશિષ રંજન પ્રસાદે NCB વિજિલન્સ ટીમની સામે 4 પાનાનું નિવેદન લખ્યું છે.

NCBએ ઇન્સ્પેક્ટર આશિષ રંજન પ્રસાદનું નિવેદન નોંધી તપાસ તેજ કરી

NCB વિજિલન્સ ટીમે ઈન્સ્પેક્ટરને 2 ઓક્ટોબરની સમગ્ર ઘટના ક્રમિક રીતે પૂછી હતી અને તે નિવેદનના રૂપમાં લખવામાં આવ્યું છે. પંચ પ્રભાકર અને કિરણ ગોસાવી પહેલા આશિષ રંજન (Ashish Ranjan Prashad) પ્રથમ સીઝર અધિકારી છે. આથી, તેમનું નિવેદન મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મળતા અહેવાલ અનુસાર, વિજિલન્સ ટીમે તેમનું નિવેદન નોંધતી વખતે વીડિયોગ્રાફી પણ કરી હતી.

વિવાદોમાં ફસાયા વાનખેડે

બીજી તરફ, નવાબ મલિક NCB ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે (Officer Sameer Wankhede) પર રોજ નવા ખુલાસા કરી રહ્યા છે. તેણે ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી દરમિયાન વાનખેડે પર દાઢીવાળો વ્યક્તિ હોવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારથી સતત આ સવાલો ઉઠતા હતા કે આ દાઢીવાળો માણસ કોણ છે. ત્યારે આજે નવાબ મલિકે ખુલાસો કર્યો છે કે તે દાઢીવાળો વ્યક્તિ કોણ છે.

નવાબ મલિકે વાનખેડે પર ગંભીર આરોપ લગાવ્યા

નવાબ મલિકે કહ્યું કે ક્રુઝ ડ્રગ્સ પાર્ટીમાં (Cruise Drugs Party) દાઢીવાળો કોણ હતો? આ દાઢીવાળા ફેશન ટીવીના ઈન્ડિયા હેડ કાશિફ ખાન છે. તે ફેશનના નામે પોર્નોગ્રાફી, ડ્રગ્સ, સેક્સ રેકેટનો ધંધો કરે છે. ઉપરાંત તેમને સમીર વાનખેડે સાથે તેના સંબંધો છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે સમીર વાનખેડેએ કાશિફ ખાન પર ઘણી વખત દરોડા અટકાવ્યા હતા. આથી આ વિવાદ વધુ વણસ્યો છે.

એનસીપી નેતાએ (Nawab Malik) વધુમાં કહ્યું કે સમીર વાનખેડેના પરિવારે સીએમને પત્ર લખ્યો છે કે તેઓ મરાઠી છે અને મરાઠી સીએમ હોવાને કારણે મુખ્યમંત્રીએ તેમની મદદ કરવી જોઈએ. પરંતુ મારો પરિવાર 70 વર્ષથી આ શહેરમાં રહે છે. મારો જન્મ 1959માં થયો હતો, ત્યારથી હું આ શહેરનો નાગરિક છું.

આ પણ વાંચો: સમીર વાનખેડેના ધર્મને લઈને કેમ થઈ રહ્યો છે વિવાદ ? જાણો TV9 સાથેની વાતચીતમાં તેમના પરિવારે શું કહ્યુ……

પોલીસે હાજરી ભરવા નહીં જવુ પડે સ્ટેશને, ઓલ ઈન વન નવી 'પ્રમાણ' એપ લોન્ચ
પોલીસે હાજરી ભરવા નહીં જવુ પડે સ્ટેશને, ઓલ ઈન વન નવી 'પ્રમાણ' એપ લોન્ચ
પ્રેમલગ્ન બાદ યુવતીઓને ધિક્કારવી ન જોઈએ- મહિલા આયોગના ચેરમેન
પ્રેમલગ્ન બાદ યુવતીઓને ધિક્કારવી ન જોઈએ- મહિલા આયોગના ચેરમેન
વાતાવરણમાં આવશે 'પલટો' ! હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી
વાતાવરણમાં આવશે 'પલટો' ! હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી
અરવલ્લીને લઈને સુપ્રીમ કોર્ટે પોતાના જ ચુકાદા સામે આપ્યો સ્ટે
અરવલ્લીને લઈને સુપ્રીમ કોર્ટે પોતાના જ ચુકાદા સામે આપ્યો સ્ટે
સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માનવ મહેરામણ ઉમટ્યું, ડિસેમ્બરમાં લાખોની ભીડ
સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માનવ મહેરામણ ઉમટ્યું, ડિસેમ્બરમાં લાખોની ભીડ
ફાર્મા ફેક્ટરીમાં બનતો હતો નશો!, 22 કિલો અલ્પ્રાઝોલમ કર્યો જપ્ત
ફાર્મા ફેક્ટરીમાં બનતો હતો નશો!, 22 કિલો અલ્પ્રાઝોલમ કર્યો જપ્ત
ધારાસભ્ય યોગેશ પટેલને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ કરાયો
ધારાસભ્ય યોગેશ પટેલને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ કરાયો
આજનું હવામાન : ગુજરાતના મોટાભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો નોંધાયો
આજનું હવામાન : ગુજરાતના મોટાભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો નોંધાયો
દ્વારકામાં છેતરપિંડી અને કાળી કરતૂતનો પર્દાફાશ - જુઓ Video
દ્વારકામાં છેતરપિંડી અને કાળી કરતૂતનો પર્દાફાશ - જુઓ Video
પ્રેમલગ્ન બાદ પાટીદાર સમાજના રોષનો ભોગ બનેલી ગાયિકા આરતીએ ઠાલવી વેદના
પ્રેમલગ્ન બાદ પાટીદાર સમાજના રોષનો ભોગ બનેલી ગાયિકા આરતીએ ઠાલવી વેદના
g clip-path="url(#clip0_868_265)">