સમીર વાનખેડેની ખાતાકીય તપાસનો ધમધમાટ શરૂ, NCBએ ઇન્સ્પેક્ટર આશિષ રંજન પ્રસાદનું નિવેદન નોંધ્યુ

સમીર વાનખેડે પર લાંચ લેવાના આરોપોની તપાસ કરી રહેલી વિજિલન્સ ટીમે ઈન્સ્પેક્ટર આશિષ રંજન પ્રસાદનું નિવેદન નોંધ્યુ છે.

સમીર વાનખેડેની ખાતાકીય તપાસનો ધમધમાટ શરૂ, NCBએ ઇન્સ્પેક્ટર આશિષ રંજન પ્રસાદનું નિવેદન નોંધ્યુ
Sameer Wankhede
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 29, 2021 | 6:28 PM

Sameer Wankhede Case : સમીર વાનખેડે પર લગાવવામાં આવેલા આરોપ પર વિજિલન્સ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ખાતાકીય તપાસ માટે વિજિલન્સ ટીમ (Vigilance Team) સતત સાક્ષીઓના નિવેદનો નોંધી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, NCBના ઇન્સ્પેક્ટર આશિષ રંજન પ્રસાદે NCB વિજિલન્સ ટીમની સામે 4 પાનાનું નિવેદન લખ્યું છે.

NCBએ ઇન્સ્પેક્ટર આશિષ રંજન પ્રસાદનું નિવેદન નોંધી તપાસ તેજ કરી

NCB વિજિલન્સ ટીમે ઈન્સ્પેક્ટરને 2 ઓક્ટોબરની સમગ્ર ઘટના ક્રમિક રીતે પૂછી હતી અને તે નિવેદનના રૂપમાં લખવામાં આવ્યું છે. પંચ પ્રભાકર અને કિરણ ગોસાવી પહેલા આશિષ રંજન (Ashish Ranjan Prashad) પ્રથમ સીઝર અધિકારી છે. આથી, તેમનું નિવેદન મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મળતા અહેવાલ અનુસાર, વિજિલન્સ ટીમે તેમનું નિવેદન નોંધતી વખતે વીડિયોગ્રાફી પણ કરી હતી.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

વિવાદોમાં ફસાયા વાનખેડે

બીજી તરફ, નવાબ મલિક NCB ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે (Officer Sameer Wankhede) પર રોજ નવા ખુલાસા કરી રહ્યા છે. તેણે ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી દરમિયાન વાનખેડે પર દાઢીવાળો વ્યક્તિ હોવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારથી સતત આ સવાલો ઉઠતા હતા કે આ દાઢીવાળો માણસ કોણ છે. ત્યારે આજે નવાબ મલિકે ખુલાસો કર્યો છે કે તે દાઢીવાળો વ્યક્તિ કોણ છે.

નવાબ મલિકે વાનખેડે પર ગંભીર આરોપ લગાવ્યા

નવાબ મલિકે કહ્યું કે ક્રુઝ ડ્રગ્સ પાર્ટીમાં (Cruise Drugs Party) દાઢીવાળો કોણ હતો? આ દાઢીવાળા ફેશન ટીવીના ઈન્ડિયા હેડ કાશિફ ખાન છે. તે ફેશનના નામે પોર્નોગ્રાફી, ડ્રગ્સ, સેક્સ રેકેટનો ધંધો કરે છે. ઉપરાંત તેમને સમીર વાનખેડે સાથે તેના સંબંધો છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે સમીર વાનખેડેએ કાશિફ ખાન પર ઘણી વખત દરોડા અટકાવ્યા હતા. આથી આ વિવાદ વધુ વણસ્યો છે.

એનસીપી નેતાએ (Nawab Malik) વધુમાં કહ્યું કે સમીર વાનખેડેના પરિવારે સીએમને પત્ર લખ્યો છે કે તેઓ મરાઠી છે અને મરાઠી સીએમ હોવાને કારણે મુખ્યમંત્રીએ તેમની મદદ કરવી જોઈએ. પરંતુ મારો પરિવાર 70 વર્ષથી આ શહેરમાં રહે છે. મારો જન્મ 1959માં થયો હતો, ત્યારથી હું આ શહેરનો નાગરિક છું.

આ પણ વાંચો: સમીર વાનખેડેના ધર્મને લઈને કેમ થઈ રહ્યો છે વિવાદ ? જાણો TV9 સાથેની વાતચીતમાં તેમના પરિવારે શું કહ્યુ……

Latest News Updates

લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
g clip-path="url(#clip0_868_265)">