Maharashtra: મુખ્યમંત્રી એકનાથ શિંદેને ઉદ્ધવ ઠાકરેએ આપ્યો ઝટકો, પક્ષ વિરોધી કાર્યવાહીના આરોપમાં શિવસેના વિધાનમંડળ પક્ષના નેતાના પદ પરથી હટાવ્યા

શિંદે જૂથના પ્રવક્તાએ આ કાર્યવાહી વિશે કહ્યું કે એકનાથ શિંદે (Eknath Shinde) આ સમયે મહારાષ્ટ્રના નેતા બની ગયા છે. તેમના પર કરવામાં આવેલી આ કાર્યવાહીથી કોઈ ફરક પડતો નથી.

Maharashtra: મુખ્યમંત્રી એકનાથ શિંદેને ઉદ્ધવ ઠાકરેએ આપ્યો ઝટકો, પક્ષ વિરોધી કાર્યવાહીના આરોપમાં શિવસેના વિધાનમંડળ પક્ષના નેતાના પદ પરથી હટાવ્યા
CM Eknath Shinde & Uddhav Thackeray (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2022 | 11:54 PM

એકનાથ શિંદે (Eknath Shinde) મુખ્યમંત્રી બનતાની સાથે જ તેમના પર મોટી કાર્યવાહી કરતા શિવસેના પાર્ટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ તેમને પાર્ટીના નેતા પદ પરથી હટાવી દીધા છે. ઉદ્ધવ ઠાકરેએ (Uddhav Thackeray) પક્ષ વિરોધી પગલાં લેવાનો આરોપ લગાવીને આ કાર્યવાહી કરી છે. શિંદે પર પાર્ટી વિરુદ્ધ બળવો કરવાનો આરોપ છે. તેમના પર 39 ધારાસભ્યો સાથે પાર્ટીમાં બળવો કરવાનો અને પછી પાર્ટીને કબજે કરવાનું કાવતરું ઘડવાનો આરોપ છે. કાર્યવાહી અંગેનો પત્ર પણ એકનાથ શિંદેને મોકલવામાં આવ્યો છે. શુક્રવારે બપોરે, ઉદ્ધવ ઠાકરેએ શિવસેના ભવનમાં તેમની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે શિવસેનાને બહાર રાખીને તથાકથિત શિવસેનાના સીએમ ન બની શકે અને સાંજે ઉદ્ધવ ઠાકરેએ આ નિર્ણય લીધો.

શિંદે જૂથના પ્રવક્તાએ આ કાર્યવાહી વિશે કહ્યું કે એકનાથ શિંદે આ સમયે મહારાષ્ટ્રના નેતા બની ગયા છે. તેમના પર કરવામાં આવેલી આ કાર્યવાહીથી કોઈ ફરક પડતો નથી. દીપક કેસરકર ઉદ્ધવ ઠાકરેના આ નિર્ણય સામે વધુ કંઈ બોલવા માટે સંમત ન હતા. તેમનું કહેવું છે કે તેઓ ઉદ્ધવ ઠાકરેનું સન્માન કરે છે, તેથી તેમની વિરુદ્ધ કોઈ નિવેદન નહીં આપે.

શિંદેએ TV9ને કહ્યું- ઉદ્ધવના રાજીનામાનો અફસોસ છે, પરંતુ 50 સમર્થકોના અસ્તિત્વનો સવાલ હતો

આ દરમિયાન મુખ્યમંત્રી બન્યા બાદ એકનાથ શિંદેએ અમારી સહયોગી ન્યૂઝ ચેનલ TV9 મરાઠીને પોતાનો પહેલો ઈન્ટરવ્યુ આપતા કહ્યું કે તેઓ સત્તા ખાતર મુખ્યમંત્રી બન્યા નથી. તેમના સમર્થક 50 લોકોના અસ્તિત્વની લડાઈ હતી. તેમણે કહ્યું, “મારા માટે પણ આ અણધાર્યું હતું કે માત્ર 50 ધારાસભ્યોનું સમર્થન હોવા છતાં ભાજપે બાળાસાહેબના એક સામાન્ય શિવસૈનિકને મુખ્યમંત્રી બનવાની તક આપી. ખાસ કરીને દેવેન્દ્ર ફડણવીસે મોટું મન રાખ્યું.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

શિંદેએ કહ્યું કે ઉદ્ધવ ઠાકરેનું રાજીનામું દુઃખદ છે, પરંતુ અમે તેમને વારંવાર સમજાવીને થાકી ગયા હતા કે, જેમની સાથે ગઠબંધનની જાહેરાત કરીને ચૂંટણી જીતી છે તેમની સાથે જ સરકાર બનાવવી જોઈએ. પરંતુ ઉદ્ધવ ઠાકરેએ તેમની વાતને અવગણી હતી. શિંદેએ આદિત્ય ઠાકરેના એ દાવાને પણ નકારી કાઢ્યો હતો કે ઉદ્ધવ ઠાકરેએ પોતે 20 મેના રોજ તેમને મુખ્યમંત્રી પદની ઓફર કરી હતી.

ઉલ્લેનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ ચાલી રહ્યું હતું. શિવસેનાના નેતૃત્વવાળી અને કોંગ્રેસ તેમજ એનસીપી સાથે ગઠબંધનમાં રહેલી મહાવિકાસ અઘાડી સરકાર પડી ગઈ હતી. તેમજ ઉદ્ધવ ઠાકરે રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ એકનાથ શિંદે મુખ્યમંત્રી બન્યા.

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">