લગ્નમાં ખર્ચાયેલા પૈસાથી ગામ માટે રસ્તો બનાવ્યો, ચંદ્રપુરનો આ વરરાજા સમાજ માટે ઉદાહરણ બન્યો
મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના એક વરરાજાએ પરંપરાગત ખર્ચાઓ ટાળીને 'સત્યશોધક' પરંપરામાં સાદગીથી લગ્ન કર્યા. હવે લગ્નમાં ખર્ચેલા પૈસાથી આ વરરાજાએ ગામમાં લાંબો રસ્તો બનાવ્યો. જો કે, રસ્તો કેટલો લાંબો બનાવ્યો તે જાણવા જેવું છે.

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના શ્રીકાંત એકુડેએ પોતાના લગ્નમાં ખર્ચેલા પૈસાથી ગામમાં 600 મીટર લાંબો રસ્તો બનાવ્યો. પરંપરાગત ખર્ચાઓ ટાળીને, તેણે ‘સત્યશોધક’ પરંપરામાં સાદગીથી લગ્ન કર્યા અને 90 વૃક્ષો વાવ્યા. લગ્નમાં ગિફટો લેવાનું ના પાડી તેણે ગામના લોકોની સુવિધાને પ્રાથમિકતા આપી.
600 મીટર લાંબો રસ્તો
લગ્નમાં લાખો રૂપિયા ખર્ચવામાં આવે છે અને એવામાં મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના યુવકે એક અનોખું કામ કર્યું છે. વારોરા તાલુકાના સુસા ગામના રહેવાસી શ્રીકાંત એકુડેએ લગ્નની વિધિઓ પર પૈસા ખર્ચવાને બદલે તે જ પૈસાથી ગામ માટે રસ્તો બનાવ્યો. શ્રીકાંતે 28 એપ્રિલના રોજ અંજલિ સાથે સાદગીથી લગ્ન કર્યા હતા. શ્રીકાંત જ્યોતિરાવ ફૂલેના ‘સત્યશોધક સમાજ’ની પ્રેરણાથી પ્રભાવિત છે, જેમાં દેખાડો ન કરવો અને સમાજસેવાને પ્રાથમિકતા આપવામાં આવે છે.
તેણે જણાવ્યું કે, તેઓએ લગ્નમાં પરંપરાગત ખર્ચ અને ગિફટો લેવાનું ના પાડી દીધી તેમજ માત્ર ₹ 50 હજાર ભેગા કરીને ગ્રામજનો અને ગ્રામ પંચાયતની મદદથી 600 મીટર લાંબો રસ્તો બનાવ્યો.
મહેમાનોને કહ્યું, ગિફ્ટ નહી લેવામાં આવે
શ્રીકાંતે કહ્યું, લોકો માટે તેમના ખેતરો સુધી પહોંચવું લગભગ અશક્ય બની ગયું હતું. સ્થાનિક લોકો અને ગ્રામ પંચાયતની મદદથી અમે રસ્તો બનાવ્યો છે. તેણે કહ્યું કે લોકો ડિવાઇસ, વાસણો અને ફર્નિચર જેવી ભેટો પર પૈસા ખર્ચ કરે છે. જો કે, શ્રીકાંતે તેમના મહેમાનોને કહ્યું કે, તેમના માટે આવી કોઈ પણ વસ્તુ ન ખરીદો.
અમે સુસા ગામમાં વાવેતર માટે પૈસા એકત્ર કર્યા, જ્યાં 36 વિવિધ પ્રકારના ફળના ઝાડ વાવવામાં આવ્યા. શ્રીકાંતે કહ્યું, આ પહેલ માત્ર પર્યાવરણ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ નથી પણ ગ્રામીણ વિકાસનું એક ઉત્તમ ઉદાહરણ પણ છે.