AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખના જામીન નામંજૂર, મની લોન્ડરિંગ કેસમાં મુંબઈની વિશેષ અદાલતનો નિર્ણય

સીબીઆઈએ 21 એપ્રિલ 2021ના રોજ એફઆઈઆર નોંધાયા બાદ તપાસ શરૂ કરી. બાદમાં જ્યારે મની લોન્ડરિંગ સાથે જોડાયેલા વધુ મામલા ખુલ્યા તો CBI બાદ EDએ પણ તપાસ શરૂ કરી.

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખના જામીન નામંજૂર, મની લોન્ડરિંગ કેસમાં મુંબઈની વિશેષ અદાલતનો નિર્ણય
Former Home Minister Anil Deshmukh (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 14, 2022 | 7:30 PM
Share

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની (Anil Deshmukh) જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. મુંબઈની વિશેષ પીએમએલએ કોર્ટે (Mumbai Special PMLA Court) મની લોન્ડરિંગ કેસમાં દેશમુખની જામીન અરજી ફગાવી દીધી છે. અનિલ દેશમુખે સ્પેશિયલ પીએમએલએ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. કોર્ટે આ અરજીને ફગાવી દીધી હતી. અરજી ફગાવી દેતા કોર્ટે કહ્યું કે તેની સામે પૂરતા પુરાવા છે. તેથી તેની જામીન અરજી મંજૂર કરી શકાય નહીં. અનિલ દેશમુખની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા 1 નવેમ્બર 2021 ના ​​રોજ મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. દેશમુખ હાલ મુંબઈની આર્થર રોડ જેલમાં ન્યાયિક કસ્ટડીમાં છે.

અનિલ દેશમુખની અરજી સામે EDએ અપીલ કરી હતી કે દેશમુખ આ કેસમાં મુખ્ય આરોપી હોવાથી તેને જામીન ન મળવા જોઈએ. EDની આ અપીલને સ્વીકારીને કોર્ટે અનિલ દેશમુખની અરજીને ફગાવી દીધી છે. જણાવી દઈએ કે મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે અનિલ દેશમુખ પર મુંબઈના બાર અને રેસ્ટોરન્ટમાંથી 100 કરોડ રૂપિયાની ઉચાપત કરવા માટે પોલીસ અધિકારીઓનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો.

અનિલ દેશમુખ સામે પૂરતા પુરાવા છે

ભ્રષ્ટાચાર અને પદના દુરુપયોગના કેસમાં પૂરતા પુરાવા જોઈને, સીબીઆઈએ 21 એપ્રિલ 2021ના રોજ એફઆઈઆર નોંધાયા બાદ તપાસ શરૂ કરી. બાદમાં જ્યારે મની લોન્ડરિંગ સાથે જોડાયેલા વધુ મામલા ખુલ્યા તો CBI બાદ EDએ પણ તપાસ શરૂ કરી. દરમિયાન, અનિલ દેશમુખ અને બરતરફ કરાયેલા પોલીસ અધિકારી સચિન વાજે સોમવારે ચાંદીવાલ કમિશન સમક્ષ હાજર થયા હતા. પરમબીર સિંહના આરોપોની તપાસ માટે રાજ્ય સરકાર વતી આ કમિશનની રચના કરવામાં આવી છે.

દરમિયાન શુક્રવારે સીબીઆઈના અધિકારીઓએ આર્થર રોડ જેલમાં જઈને ભ્રષ્ટાચારના કેસમાં અનિલ દેશમુખનું નિવેદન નોંધ્યું હતું. આ સમયે અનિલ દેશમુખના વકીલ પણ ત્યાં હાજર હતા. અનિલ દેશમુખે પરમબીર સિંહના 100 કરોડની ખંડણીના આરોપને નકારી કાઢ્યા છે.

અનિલ દેશમુખનું કહેવું છે કે તેમણે ગૃહમંત્રી હોવાને કારણે મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટકોથી ભરેલી કાર અને પછી તે કારના માલિકની હત્યાના કેસને યોગ્ય રીતે હેન્ડલ ન કરી શકવા બદલ પરમબીર સિંહને મુંબઈ પોલીસ કમિશનર પાસે મોકલ્યા. પદ પરથી હટાવ્યા બાદ બદલી કરવામાં આવી હતી. જેના કારણે તેણે આ આરોપ લગાવ્યો છે.

આ પણ વાંચો : Maharashtra : સોલાપુરમાં ગમખ્વાર અકસ્માત, દેવદર્શને જઈ રહેલા 4 ભક્તોના ઘટનાસ્થળે મોત

આ પણ વાંચો : શિવાજી પાસે કેટલી તલવારો હતી, તેના નામ શું હતા? આજકાલ ક્યાં છે અને ઈંગ્લેન્ડ સાથે શું સંબંધ છે? જાણો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">