Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CBIએ મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડેની 6 કલાક સુધી કરી પૂછપરછ, અનિલ દેશમુખ કેસમાં પરમબીર સિંહને ધમકી આપવાનો આરોપ

શુક્રવારે CBI અધિકારીઓએ સંજય પાંડેને પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ સાથે સંબંધિત કેસના સંબંધમાં પૂછપરછ માટે બોલાવ્યા હતા. આ પૂછપરછ લગભગ છ કલાક સુધી ચાલી હતી.

CBIએ મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડેની 6 કલાક સુધી કરી પૂછપરછ, અનિલ દેશમુખ કેસમાં પરમબીર સિંહને ધમકી આપવાનો આરોપ
Sanjay Pandey, Police Commissioner of Mumbai
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 12, 2022 | 6:46 PM

મુંબઈ પોલીસના નવા કમિશનર સંજય પાંડેની સીબીઆઈએ (CBI) છ કલાક સુધી પૂછપરછ કરી. સંજય પાંડે (Sanjay Pandey) પર અનિલ દેશમુખ કેસને લઈને પરમબીર સિંહને ધમકી આપવાનો આરોપ છે. સીબીઆઈએ છ કલાકની આ પૂછપરછમાં સંજય પાંડેનું નિવેદન નોંધ્યું છે. શુક્રવારે સીબીઆઈ અધિકારીઓએ સંજય પાંડેને પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ સાથે સંબંધિત કેસના સંબંધમાં પૂછપરછ માટે બોલાવ્યા હતા. સીબીઆઈ સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, પાંડેએ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ સાથે સંબંધિત કેસમાં મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહને દેશમુખ સામેની ફરિયાદ પાછી ખેંચી લેવા માટે તેમને ફોન કરીને ધમકી આપી હતી.

તત્કાલિન ગૃહમંત્રી અનિલ દેશમુખના આદેશ પર મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહની હોમગાર્ડ વિભાગમાં બદલી કરવામાં આવી હતી. આ પછી પરમબીર સિંહે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને ગયા વર્ષે માર્ચમાં અનિલ દેશમુખ પર ઘણા આરોપો લગાવ્યા હતા. તેમાંથી સૌથી મોટો આરોપ મુંબઈ પોલીસ અધિકારીઓનો ઉપયોગ કરીને મુંબઈના બાર અને રેસ્ટોરન્ટમાંથી 100 કરોડ રૂપિયાની ઉચાપત કરવાનો હતો.

આ પછી વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે અનિલ દેશમુખ પર અધિકારીઓની ટ્રાન્સફર પોસ્ટિંગમાં લાંચ લેવાનો આરોપ લગાવ્યો હતો. જ્યારે CBI અને ED જેવી કેન્દ્રીય તપાસ એજન્સીઓએ અનિલ દેશમુખના કેસની તપાસ શરૂ કરી ત્યારે મની લોન્ડરિંગના વધુ કેસો ખુલતા રહ્યા. આ તમામ આરોપોને કારણે અનિલ દેશમુખે રાજીનામું આપવું પડ્યું હતું.

અચાનક નોળિયો દેખાવો કઈ વાતનો સંકેત આપે છે? જાણો શુભ કે અશુભ
શુભમન ગિલના પરિવારમાં કોણ છે? જુઓ ફોટો
Kitchen Tiles color: રસોડામાં કયા રંગની ટાઇલ્સનો ઉપયોગ કરવો જોઈએ?
સૌથી વધુ પૈસાદાર અભિનેત્રીના પરિવારમાં કોણ કોણ છે, ચાલો જાણીએ
AC કયા ટેમ્પરેચર પર ચલાવવાથી વીજળીનું બિલ ઓછું આવે છે? જાણો અહીં
IPL ક્રિકેટર રજત પાટીદારની અટકનો ઈતિહાસ જાણો

પરમબીરને દેશમુખ સામેના આરોપો પાછા ખેંચવાની ધમકી આપી

જે સમયે અનિલ દેશમુખ સામે આ કાર્યવાહી ચાલી રહી હતી તે સમયે સંજય પાંડે મહારાષ્ટ્રના ડીજીપીનો વધારાનો હવાલો સંભાળી રહ્યા હતા. તેમણે પરમબીર સિંહ પર અનિલ દેશમુખ સામેના આરોપો પાછા ખેંચવા દબાણ કર્યું હતું. આ દરમિયાન પરમબીર સિંહ પર મુંબઈ અને થાણેના કેટલાક પોલીસ સ્ટેશનોમાં બિલ્ડરો અને વેપારીઓ પાસેથી પૈસા પડાવવાનો પણ આરોપ હતો. રાજ્ય સરકાર દ્વારા તે નોંધાયેલા કેસોની તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પછી પરમબીર સિંહે તેમની સામેની તપાસ બંધ કરવા હાઈકોર્ટમાં અપીલ કરી હતી. ત્યારે તેમણે સંજય પાંડેની વાતચીતની ટેપ બહાર પાડી. આ વાતચીતમાં પાંડેએ પરમબીર સિંહને ફોન કર્યો અને અનિલ દેશમુખ પર લાગેલા આરોપોથી સંબંધિત પત્ર પાછો ખેંચવા કહ્યું. સાથે જ તેવી ધમકી પણ આપી કે, જો તેઓ આમ નહીં કરે તો તેમની સામે વધુ કેસ નોંધવામાં આવશે.

સીબીઆઈએ મુંબઈ હાઈકોર્ટને જણાવ્યું હતું કે સંજય પાંડે અને પરમબીર સિંહ વચ્ચેની વાતચીત દર્શાવે છે કે રાજ્ય સરકાર અનિલ દેશમુખને કેન્દ્રીય તપાસ એજન્સીઓથી બચાવવાનો પ્રયાસ કરી રહી છે. હાઈકોર્ટમાં અપીલ કરતી વખતે મહારાષ્ટ્ર સરકારે અનિલ દેશમુખનો કેસ મહારાષ્ટ્રની SITને સોંપવાનું કહ્યું હતું.

આ પણ વાંચો :  Maharashtra: ટ્રાન્સફર-પોસ્ટિંગ કૌભાંડના સંબંધમાં મુંબઈ પોલીસે મોકલી દેવેન્દ્ર ફડણવીસને નોટિસ, આવતીકાલે હાજર થશે પૂર્વ મુખ્યમંત્રી

100થી વધુ લોકો ગેરકાયદે હોવાનું તપાસમાં ખુલ્યું
100થી વધુ લોકો ગેરકાયદે હોવાનું તપાસમાં ખુલ્યું
આ 5 રાશિના જાતકોને આજે જીવનમા પ્રગતિના સંકેત મળશે
આ 5 રાશિના જાતકોને આજે જીવનમા પ્રગતિના સંકેત મળશે
ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! ગરમ પવન ફૂંકાવાની આગાહી
ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! ગરમ પવન ફૂંકાવાની આગાહી
નર્મદા ડેમના અસરગ્રસ્તોની લડત : ટાવર પર ચઢીને કર્યો વિરોધ
નર્મદા ડેમના અસરગ્રસ્તોની લડત : ટાવર પર ચઢીને કર્યો વિરોધ
ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના નિવેદનથી પાટીદાર સમુદાયમાં રોષ ફેલાયો
ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના નિવેદનથી પાટીદાર સમુદાયમાં રોષ ફેલાયો
જામનગરમાં પોલીસ એકશનમાં ! 31 પાકિસ્તાની નાગરિકોને આપ્યું અલ્ટિમેટમ
જામનગરમાં પોલીસ એકશનમાં ! 31 પાકિસ્તાની નાગરિકોને આપ્યું અલ્ટિમેટમ
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ બહાર ગેરકાયદે બાંગ્લાદેશીઓએ કર્યો હંગામો
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ બહાર ગેરકાયદે બાંગ્લાદેશીઓએ કર્યો હંગામો
અમદાવાદમાં શોર્ટ ટર્મ વિઝા પર રહેતા 386 પાકિસ્તાની નાગરિક
અમદાવાદમાં શોર્ટ ટર્મ વિઝા પર રહેતા 386 પાકિસ્તાની નાગરિક
પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવાની કાર્યવાહી હાથ ધરી
પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવાની કાર્યવાહી હાથ ધરી
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
g clip-path="url(#clip0_868_265)">