AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CBIએ મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડેની 6 કલાક સુધી કરી પૂછપરછ, અનિલ દેશમુખ કેસમાં પરમબીર સિંહને ધમકી આપવાનો આરોપ

શુક્રવારે CBI અધિકારીઓએ સંજય પાંડેને પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ સાથે સંબંધિત કેસના સંબંધમાં પૂછપરછ માટે બોલાવ્યા હતા. આ પૂછપરછ લગભગ છ કલાક સુધી ચાલી હતી.

CBIએ મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડેની 6 કલાક સુધી કરી પૂછપરછ, અનિલ દેશમુખ કેસમાં પરમબીર સિંહને ધમકી આપવાનો આરોપ
Sanjay Pandey, Police Commissioner of Mumbai
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 12, 2022 | 6:46 PM
Share

મુંબઈ પોલીસના નવા કમિશનર સંજય પાંડેની સીબીઆઈએ (CBI) છ કલાક સુધી પૂછપરછ કરી. સંજય પાંડે (Sanjay Pandey) પર અનિલ દેશમુખ કેસને લઈને પરમબીર સિંહને ધમકી આપવાનો આરોપ છે. સીબીઆઈએ છ કલાકની આ પૂછપરછમાં સંજય પાંડેનું નિવેદન નોંધ્યું છે. શુક્રવારે સીબીઆઈ અધિકારીઓએ સંજય પાંડેને પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ સાથે સંબંધિત કેસના સંબંધમાં પૂછપરછ માટે બોલાવ્યા હતા. સીબીઆઈ સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, પાંડેએ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ સાથે સંબંધિત કેસમાં મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહને દેશમુખ સામેની ફરિયાદ પાછી ખેંચી લેવા માટે તેમને ફોન કરીને ધમકી આપી હતી.

તત્કાલિન ગૃહમંત્રી અનિલ દેશમુખના આદેશ પર મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહની હોમગાર્ડ વિભાગમાં બદલી કરવામાં આવી હતી. આ પછી પરમબીર સિંહે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને ગયા વર્ષે માર્ચમાં અનિલ દેશમુખ પર ઘણા આરોપો લગાવ્યા હતા. તેમાંથી સૌથી મોટો આરોપ મુંબઈ પોલીસ અધિકારીઓનો ઉપયોગ કરીને મુંબઈના બાર અને રેસ્ટોરન્ટમાંથી 100 કરોડ રૂપિયાની ઉચાપત કરવાનો હતો.

આ પછી વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે અનિલ દેશમુખ પર અધિકારીઓની ટ્રાન્સફર પોસ્ટિંગમાં લાંચ લેવાનો આરોપ લગાવ્યો હતો. જ્યારે CBI અને ED જેવી કેન્દ્રીય તપાસ એજન્સીઓએ અનિલ દેશમુખના કેસની તપાસ શરૂ કરી ત્યારે મની લોન્ડરિંગના વધુ કેસો ખુલતા રહ્યા. આ તમામ આરોપોને કારણે અનિલ દેશમુખે રાજીનામું આપવું પડ્યું હતું.

પરમબીરને દેશમુખ સામેના આરોપો પાછા ખેંચવાની ધમકી આપી

જે સમયે અનિલ દેશમુખ સામે આ કાર્યવાહી ચાલી રહી હતી તે સમયે સંજય પાંડે મહારાષ્ટ્રના ડીજીપીનો વધારાનો હવાલો સંભાળી રહ્યા હતા. તેમણે પરમબીર સિંહ પર અનિલ દેશમુખ સામેના આરોપો પાછા ખેંચવા દબાણ કર્યું હતું. આ દરમિયાન પરમબીર સિંહ પર મુંબઈ અને થાણેના કેટલાક પોલીસ સ્ટેશનોમાં બિલ્ડરો અને વેપારીઓ પાસેથી પૈસા પડાવવાનો પણ આરોપ હતો. રાજ્ય સરકાર દ્વારા તે નોંધાયેલા કેસોની તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પછી પરમબીર સિંહે તેમની સામેની તપાસ બંધ કરવા હાઈકોર્ટમાં અપીલ કરી હતી. ત્યારે તેમણે સંજય પાંડેની વાતચીતની ટેપ બહાર પાડી. આ વાતચીતમાં પાંડેએ પરમબીર સિંહને ફોન કર્યો અને અનિલ દેશમુખ પર લાગેલા આરોપોથી સંબંધિત પત્ર પાછો ખેંચવા કહ્યું. સાથે જ તેવી ધમકી પણ આપી કે, જો તેઓ આમ નહીં કરે તો તેમની સામે વધુ કેસ નોંધવામાં આવશે.

સીબીઆઈએ મુંબઈ હાઈકોર્ટને જણાવ્યું હતું કે સંજય પાંડે અને પરમબીર સિંહ વચ્ચેની વાતચીત દર્શાવે છે કે રાજ્ય સરકાર અનિલ દેશમુખને કેન્દ્રીય તપાસ એજન્સીઓથી બચાવવાનો પ્રયાસ કરી રહી છે. હાઈકોર્ટમાં અપીલ કરતી વખતે મહારાષ્ટ્ર સરકારે અનિલ દેશમુખનો કેસ મહારાષ્ટ્રની SITને સોંપવાનું કહ્યું હતું.

આ પણ વાંચો :  Maharashtra: ટ્રાન્સફર-પોસ્ટિંગ કૌભાંડના સંબંધમાં મુંબઈ પોલીસે મોકલી દેવેન્દ્ર ફડણવીસને નોટિસ, આવતીકાલે હાજર થશે પૂર્વ મુખ્યમંત્રી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">