AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CBIએ મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડેની 6 કલાક સુધી કરી પૂછપરછ, અનિલ દેશમુખ કેસમાં પરમબીર સિંહને ધમકી આપવાનો આરોપ

શુક્રવારે CBI અધિકારીઓએ સંજય પાંડેને પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ સાથે સંબંધિત કેસના સંબંધમાં પૂછપરછ માટે બોલાવ્યા હતા. આ પૂછપરછ લગભગ છ કલાક સુધી ચાલી હતી.

CBIએ મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડેની 6 કલાક સુધી કરી પૂછપરછ, અનિલ દેશમુખ કેસમાં પરમબીર સિંહને ધમકી આપવાનો આરોપ
Sanjay Pandey, Police Commissioner of Mumbai
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 12, 2022 | 6:46 PM
Share

મુંબઈ પોલીસના નવા કમિશનર સંજય પાંડેની સીબીઆઈએ (CBI) છ કલાક સુધી પૂછપરછ કરી. સંજય પાંડે (Sanjay Pandey) પર અનિલ દેશમુખ કેસને લઈને પરમબીર સિંહને ધમકી આપવાનો આરોપ છે. સીબીઆઈએ છ કલાકની આ પૂછપરછમાં સંજય પાંડેનું નિવેદન નોંધ્યું છે. શુક્રવારે સીબીઆઈ અધિકારીઓએ સંજય પાંડેને પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ સાથે સંબંધિત કેસના સંબંધમાં પૂછપરછ માટે બોલાવ્યા હતા. સીબીઆઈ સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, પાંડેએ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ સાથે સંબંધિત કેસમાં મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહને દેશમુખ સામેની ફરિયાદ પાછી ખેંચી લેવા માટે તેમને ફોન કરીને ધમકી આપી હતી.

તત્કાલિન ગૃહમંત્રી અનિલ દેશમુખના આદેશ પર મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહની હોમગાર્ડ વિભાગમાં બદલી કરવામાં આવી હતી. આ પછી પરમબીર સિંહે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને ગયા વર્ષે માર્ચમાં અનિલ દેશમુખ પર ઘણા આરોપો લગાવ્યા હતા. તેમાંથી સૌથી મોટો આરોપ મુંબઈ પોલીસ અધિકારીઓનો ઉપયોગ કરીને મુંબઈના બાર અને રેસ્ટોરન્ટમાંથી 100 કરોડ રૂપિયાની ઉચાપત કરવાનો હતો.

આ પછી વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે અનિલ દેશમુખ પર અધિકારીઓની ટ્રાન્સફર પોસ્ટિંગમાં લાંચ લેવાનો આરોપ લગાવ્યો હતો. જ્યારે CBI અને ED જેવી કેન્દ્રીય તપાસ એજન્સીઓએ અનિલ દેશમુખના કેસની તપાસ શરૂ કરી ત્યારે મની લોન્ડરિંગના વધુ કેસો ખુલતા રહ્યા. આ તમામ આરોપોને કારણે અનિલ દેશમુખે રાજીનામું આપવું પડ્યું હતું.

પરમબીરને દેશમુખ સામેના આરોપો પાછા ખેંચવાની ધમકી આપી

જે સમયે અનિલ દેશમુખ સામે આ કાર્યવાહી ચાલી રહી હતી તે સમયે સંજય પાંડે મહારાષ્ટ્રના ડીજીપીનો વધારાનો હવાલો સંભાળી રહ્યા હતા. તેમણે પરમબીર સિંહ પર અનિલ દેશમુખ સામેના આરોપો પાછા ખેંચવા દબાણ કર્યું હતું. આ દરમિયાન પરમબીર સિંહ પર મુંબઈ અને થાણેના કેટલાક પોલીસ સ્ટેશનોમાં બિલ્ડરો અને વેપારીઓ પાસેથી પૈસા પડાવવાનો પણ આરોપ હતો. રાજ્ય સરકાર દ્વારા તે નોંધાયેલા કેસોની તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પછી પરમબીર સિંહે તેમની સામેની તપાસ બંધ કરવા હાઈકોર્ટમાં અપીલ કરી હતી. ત્યારે તેમણે સંજય પાંડેની વાતચીતની ટેપ બહાર પાડી. આ વાતચીતમાં પાંડેએ પરમબીર સિંહને ફોન કર્યો અને અનિલ દેશમુખ પર લાગેલા આરોપોથી સંબંધિત પત્ર પાછો ખેંચવા કહ્યું. સાથે જ તેવી ધમકી પણ આપી કે, જો તેઓ આમ નહીં કરે તો તેમની સામે વધુ કેસ નોંધવામાં આવશે.

સીબીઆઈએ મુંબઈ હાઈકોર્ટને જણાવ્યું હતું કે સંજય પાંડે અને પરમબીર સિંહ વચ્ચેની વાતચીત દર્શાવે છે કે રાજ્ય સરકાર અનિલ દેશમુખને કેન્દ્રીય તપાસ એજન્સીઓથી બચાવવાનો પ્રયાસ કરી રહી છે. હાઈકોર્ટમાં અપીલ કરતી વખતે મહારાષ્ટ્ર સરકારે અનિલ દેશમુખનો કેસ મહારાષ્ટ્રની SITને સોંપવાનું કહ્યું હતું.

આ પણ વાંચો :  Maharashtra: ટ્રાન્સફર-પોસ્ટિંગ કૌભાંડના સંબંધમાં મુંબઈ પોલીસે મોકલી દેવેન્દ્ર ફડણવીસને નોટિસ, આવતીકાલે હાજર થશે પૂર્વ મુખ્યમંત્રી

Follow Us
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
g clip-path="url(#clip0_868_265)">