મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચે વધી રહ્યો છે સીમા વિવાદ, શિંદે સરકાર વહેલી સુનાવણી ઈચ્છે છે

આ વિવાદ 1960ના દાયકામાં ભાષાકીય આધાર પર રાજ્યોના પુનર્ગઠન પછીનો છે. બેલાગવીને લઈને મહારાષ્ટ્ર (Maharashtra-Karnataka)અને કર્ણાટક વચ્ચે દાયકાઓ જૂનો સરહદ વિવાદ બંને પક્ષોના તાજેતરના નિવેદનોને કારણે ફરી ચર્ચામાં છે.

મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચે વધી રહ્યો છે સીમા વિવાદ, શિંદે સરકાર વહેલી સુનાવણી ઈચ્છે છે
The Shinde government wants an early hearing due to the growing border dispute between Maharashtra and Karnataka
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 25, 2022 | 8:13 AM

છેલ્લા 6 દાયકાથી ચાલી રહેલ મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચેનો સીમા વિવાદ ફરી એકવાર વધતો જણાઈ રહ્યો છે. કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ દ્વારા મંગળવારે આપવામાં આવેલા નિવેદન બાદ આ ઘટના બની છે, જેમાં તેમણે મહારાષ્ટ્રના 40 ગામોનો દાવો કર્યો હતો. ત્યારથી, મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને કર્ણાટકના મુખ્ય પ્રધાન બોમ્માઈ વચ્ચેની બયાનબાજી તેજ થઈ ગઈ છે. ફડણવીસે એમ પણ કહ્યું છે કે મહારાષ્ટ્રનું કોઈ ગામ ક્યાંય નહીં જાય. જોકે સરહદ વિવાદનો આ મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. માનવામાં આવી રહ્યું છે કે સુપ્રીમ કોર્ટ આ અંગે ટૂંક સમયમાં સુનાવણી કરી શકે છે.

મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચે બેલાગવી (અગાઉનું બેલગામ) પર દાયકાઓ જૂનો સરહદ વિવાદ બંને પક્ષોના તાજેતરના નિવેદનોને કારણે ફરીથી સમાચારમાં છે. બોમાઈએ સોમવારે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટમાં સરહદ વિવાદનો મુદ્દો ઉઠાવવા માટે તેમણે વરિષ્ઠ વકીલોની મજબૂત કાનૂની ટીમ બનાવી છે. મંગળવારે, મહારાષ્ટ્ર સરકારે પેન્ડિંગ કોર્ટ કેસના સંબંધમાં રાજ્યની કાનૂની ટીમ સાથે સંકલન કરવા ચંદ્રકાંત પાટીલ અને શંભુરાજ દેસાઈને નોડલ મંત્રી તરીકે નિયુક્ત કર્યા.

આ વિવાદ 1960ના દાયકામાં ભાષાકીય આધાર પર રાજ્યોના પુનર્ગઠન પછીનો છે. ભાષાકીય આધાર પર મહારાષ્ટ્ર બેલાગવી પર દાવો કરે છે, જે સ્વતંત્રતા સમયે બોમ્બે પ્રેસિડેન્સીનો ભાગ હતો. મહારાષ્ટ્ર પણ 80 મરાઠી-ભાષી ગામો પર દાવો કરે છે જે હાલમાં કર્ણાટકનો ભાગ છે. 1960ના દાયકામાં ભાષાકીય ધોરણે રાજ્યોની પુનઃરચનાથી બેલાગવી પરનો વિવાદ યથાવત છે. 1966માં કેન્દ્ર સરકારે આ વિવાદ અંગે મહાજન કમિશનની રચના કરી હતી. ત્યારે રાજ્ય સરકારે આ કમિશન સમક્ષ 865 ગામો પર પોતાનો દાવો રજૂ કર્યો હતો.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

આયોગે ઓગસ્ટ, 1967માં તેનો અહેવાલ સુપરત કર્યો હતો. જેમાં તેમણે સૂચવ્યું કે 264 ગામો અને બેલગામ મહારાષ્ટ્રમાં અને 247 ગામ કર્ણાટકમાં રહેવા જોઈએ. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આ અઠવાડિયે 19 સભ્યોની સમિતિની ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. જેમાં તમામ પક્ષોના પ્રતિનિધિઓ સામેલ થયા હતા. આ બેઠકનો હેતુ સુપ્રીમ કોર્ટમાંથી કેસની વહેલી સુનાવણી માટેની અપીલ પર રણનીતિ નક્કી કરવાનો હતો. રાજ્ય સરકારે મહારાષ્ટ્ર અને કર્ણાટક સરહદ વિવાદ દરમિયાન હિંસામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોને મુખ્યમંત્રી રાહત ફંડ, પેન્શન, આરોગ્ય વીમો જેવી સુવિધાઓ પ્રદાન કરવાની જાહેરાત કરી હતી.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">