AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચે વધી રહ્યો છે સીમા વિવાદ, શિંદે સરકાર વહેલી સુનાવણી ઈચ્છે છે

આ વિવાદ 1960ના દાયકામાં ભાષાકીય આધાર પર રાજ્યોના પુનર્ગઠન પછીનો છે. બેલાગવીને લઈને મહારાષ્ટ્ર (Maharashtra-Karnataka)અને કર્ણાટક વચ્ચે દાયકાઓ જૂનો સરહદ વિવાદ બંને પક્ષોના તાજેતરના નિવેદનોને કારણે ફરી ચર્ચામાં છે.

મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચે વધી રહ્યો છે સીમા વિવાદ, શિંદે સરકાર વહેલી સુનાવણી ઈચ્છે છે
The Shinde government wants an early hearing due to the growing border dispute between Maharashtra and Karnataka
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 25, 2022 | 8:13 AM
Share

છેલ્લા 6 દાયકાથી ચાલી રહેલ મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચેનો સીમા વિવાદ ફરી એકવાર વધતો જણાઈ રહ્યો છે. કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ દ્વારા મંગળવારે આપવામાં આવેલા નિવેદન બાદ આ ઘટના બની છે, જેમાં તેમણે મહારાષ્ટ્રના 40 ગામોનો દાવો કર્યો હતો. ત્યારથી, મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને કર્ણાટકના મુખ્ય પ્રધાન બોમ્માઈ વચ્ચેની બયાનબાજી તેજ થઈ ગઈ છે. ફડણવીસે એમ પણ કહ્યું છે કે મહારાષ્ટ્રનું કોઈ ગામ ક્યાંય નહીં જાય. જોકે સરહદ વિવાદનો આ મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. માનવામાં આવી રહ્યું છે કે સુપ્રીમ કોર્ટ આ અંગે ટૂંક સમયમાં સુનાવણી કરી શકે છે.

મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચે બેલાગવી (અગાઉનું બેલગામ) પર દાયકાઓ જૂનો સરહદ વિવાદ બંને પક્ષોના તાજેતરના નિવેદનોને કારણે ફરીથી સમાચારમાં છે. બોમાઈએ સોમવારે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટમાં સરહદ વિવાદનો મુદ્દો ઉઠાવવા માટે તેમણે વરિષ્ઠ વકીલોની મજબૂત કાનૂની ટીમ બનાવી છે. મંગળવારે, મહારાષ્ટ્ર સરકારે પેન્ડિંગ કોર્ટ કેસના સંબંધમાં રાજ્યની કાનૂની ટીમ સાથે સંકલન કરવા ચંદ્રકાંત પાટીલ અને શંભુરાજ દેસાઈને નોડલ મંત્રી તરીકે નિયુક્ત કર્યા.

આ વિવાદ 1960ના દાયકામાં ભાષાકીય આધાર પર રાજ્યોના પુનર્ગઠન પછીનો છે. ભાષાકીય આધાર પર મહારાષ્ટ્ર બેલાગવી પર દાવો કરે છે, જે સ્વતંત્રતા સમયે બોમ્બે પ્રેસિડેન્સીનો ભાગ હતો. મહારાષ્ટ્ર પણ 80 મરાઠી-ભાષી ગામો પર દાવો કરે છે જે હાલમાં કર્ણાટકનો ભાગ છે. 1960ના દાયકામાં ભાષાકીય ધોરણે રાજ્યોની પુનઃરચનાથી બેલાગવી પરનો વિવાદ યથાવત છે. 1966માં કેન્દ્ર સરકારે આ વિવાદ અંગે મહાજન કમિશનની રચના કરી હતી. ત્યારે રાજ્ય સરકારે આ કમિશન સમક્ષ 865 ગામો પર પોતાનો દાવો રજૂ કર્યો હતો.

આયોગે ઓગસ્ટ, 1967માં તેનો અહેવાલ સુપરત કર્યો હતો. જેમાં તેમણે સૂચવ્યું કે 264 ગામો અને બેલગામ મહારાષ્ટ્રમાં અને 247 ગામ કર્ણાટકમાં રહેવા જોઈએ. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આ અઠવાડિયે 19 સભ્યોની સમિતિની ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. જેમાં તમામ પક્ષોના પ્રતિનિધિઓ સામેલ થયા હતા. આ બેઠકનો હેતુ સુપ્રીમ કોર્ટમાંથી કેસની વહેલી સુનાવણી માટેની અપીલ પર રણનીતિ નક્કી કરવાનો હતો. રાજ્ય સરકારે મહારાષ્ટ્ર અને કર્ણાટક સરહદ વિવાદ દરમિયાન હિંસામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોને મુખ્યમંત્રી રાહત ફંડ, પેન્શન, આરોગ્ય વીમો જેવી સુવિધાઓ પ્રદાન કરવાની જાહેરાત કરી હતી.

Follow Us
g clip-path="url(#clip0_868_265)">