રાષ્ટ્રપતિ પદ માટે શિવસેના NDAના ઉમેદવાાર દ્રૌપદી મુર્મૂને કરશે સમર્થન, ઉદ્ઘવ ઠાકરેએ કરી જાહેરાત
ઉદ્ધવ ઠાકરેએ એ પણ સ્પષ્ટતા કરી હતી કે ગઈકાલે સાંસદો સાથેની મહત્વપૂર્ણ બેઠકમાં શિવસેનાના સાંસદોએ તેમને આ અંગે નિર્ણય લેવાનો અધિકાર સોંપ્યો હતો. તેમના પર કોઈ દબાણ નહોતું. પરંતુ આદિવાસી મહિલા પ્રથમ વખત દેશના સર્વોચ્ચ પદ સંભાળે એ શિવસેનાની ઈચ્છા તો છે જ, પરંતુ તે ગૌરવની વાત પણ હશે.
શિવસેનાના (Shivsena) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ (Uddhav Thackeray) આજે (12 જુલાઈ, મંગળવાર) મુંબઈના દાદરમાં શિવસેના ભવનમાં પત્રકાર પરિષદ યોજી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જાહેરાત કરી હતી કે શિવસેના રાષ્ટ્રપતિ પદ માટે NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મુને (Draupadi Murmu) સમર્થન કરશે. તેમણે એમ પણ કહ્યું કે શિવસેનાના સાંસદો કે અન્ય કોઈએ આ માટે તેમના પર કોઈ દબાણ કર્યું નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે શિવસેનાના સાંસદોની વિનંતીને માન આપીને તેમણે આ નિર્ણય લીધો છે. ઉદ્ધવ ઠાકરેએ એ પણ સ્પષ્ટતા કરી હતી કે ગઈકાલે સાંસદો સાથેની મહત્વપૂર્ણ બેઠકમાં શિવસેનાના સાંસદોએ તેમને આ અંગે નિર્ણય લેવાનો અધિકાર સોંપ્યો હતો. તેમના પર કોઈ દબાણ નહોતું. પરંતુ આદિવાસી મહિલા પ્રથમ વખત દેશના સર્વોચ્ચ પદ સંભાળે એ શિવસેનાની ઈચ્છા તો છે જ, પરંતુ તે ગૌરવની વાત પણ હશે. તેથી જ તેમણે રાજકારણથી પર જઈને આ નિર્ણય લીધો છે.
Shiv Sena to support Droupadi Murmu in Presidential election, says Uddhav Thackeray
Read @ANI Story | https://t.co/pxYmnXu5Id#UddhavThackarey #ShivSena #PresentialElection #DroupadiMurmu pic.twitter.com/Oe7fesuTTm
— ANI Digital (@ani_digital) July 12, 2022
ઉદ્ધવ ઠાકરેએ તેમની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું ‘આદિવાસી મહિલાઓને રાષ્ટ્રપતિ બનવાની તક આપવામાં આવી રહી છે. શિવસેનાએ અગાઉ એનડીએમાં હતી, ત્યારે યુપીએના ઉમેદવાર પ્રતિભા તાઈ પાટીલ અને પ્રણવ મુખર્જીને સમર્થન આપ્યું હતું. પ્રથમ વખત આદિવાસી સમાજની મહિલા દેશના સર્વોચ્ચ પદ માટે ચૂંટણી લડવા જઈ રહી છે, તેથી અમને લાગ્યું કે આપણે તેમને સમર્થન આપવું જોઈએ. આમ તો રાજકીય રીતે મારે વિરોધ પક્ષ હોવાના કારણે વિરોધ કરવો જોઈએ. પરંતુ અમે ઉલ્લેખ કર્યો છે કે શિવસેનાએ ઘણી વખત રાજકારણથી આગળ વધીને નિર્ણયો લીધા છે. દ્રૌપદી મુર્મુ આ દેશની રાષ્ટ્રપતિ બને તેવી શિવસેનાની ઈચ્છા તો છે જ પરંતુ અમે સમજીએ છીએ કે ટોચના પદ પર આદિવાસી મહિલાનું હોવું દેશ માટે ગર્વની ક્ષણ હશે.
દ્રૌપદી મુર્મુને સમર્થન કરવાનો મતલબ ભાજપને સમર્થન કરવાનો નથીઃ સંજય રાઉત
આ સમગ્ર મામલે સંજય રાઉતે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે શિવસેનામાં ઘણા આદિવાસી નેતાઓ છે, તેઓ મંત્રી પણ બની ગયા છે. શિવસેના આદિવાસી સમાજના વિકાસ માટે હંમેશા સારું વિચારતી રહી છે. ઉદ્ધવ ઠાકરેએ દ્રૌપદી મુર્મુને સમર્થન જાહેર કરીને કંઈ ખોટું કર્યું નથી. પરંતુ હું એ પણ કહીશ કે દ્રૌપદી મુર્મુને સમર્થન આપવાનો અર્થ ભાજપને સમર્થન કરવાનો નથી.