AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શિવસેનાએ ફ્લોર ટેસ્ટના આદેશને સુપ્રીમકોર્ટમાં પડકાર્યો, સંજય રાઉતે કહ્યું- ખોટી રીતે સરકારને તોડવાનું ષડયંત્ર

સંજય રાઉતે કહ્યું કે ખોટી રીતે સરકારને તોડી પાડવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. સુપ્રીમ કોર્ટે ફ્લોર ટેસ્ટ સામેની અરજીનો સ્વીકાર કર્યો છે અને સાંજે પાંચ વાગે સુનાવણી હાથ ધરાશે.

શિવસેનાએ ફ્લોર ટેસ્ટના આદેશને સુપ્રીમકોર્ટમાં પડકાર્યો, સંજય રાઉતે કહ્યું- ખોટી રીતે સરકારને તોડવાનું ષડયંત્ર
CM Uddhav Thackeray and the Supreme Court (file photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 29, 2022 | 11:13 AM
Share

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ (Bhagat Singh Koshyari) વિધાનસભા સચિવને પત્ર લખીને 30 જૂને વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવ્યું છે. એટલે કે ઉદ્ધવ સરકારે બહુમતી સાબિત કરવી પડશે. આ સાથે જ શિવસેના ફ્લોર ટેસ્ટના (Floor test) વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) પહોંચી છે. સુપ્રીમ કોર્ટમાં સાંજે શિવસેનાની અરજી પર સુનાવણી હાથ ધરશે. સંજય રાઉતે કહ્યું કે ખોટી રીતે સરકારને તોડી પાડવાનું ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે. અમે ફ્લોર ટેસ્ટના આદેશને કોર્ટમાં પડકાર્યો છે, સુપ્રીમ કોર્ટે ફ્લોર ટેસ્ટના મામલે દરમિયાનગીરી કરવી જોઈએ, ફ્લોર ટેસ્ટનો આદેશ ગેરકાયદેસર રીતેઆપવામાં આવ્યો છે. જણાવી દઈએ કે શિવસેના વતી અભિષેક મનુ સિંઘવીએ સુપ્રીમ કોર્ટમાં રીટ દાખલ કરી છે. જેના પર સાંજે પાંચ વાગે સુનાવણી હાથ ધરાશે.

વિધાનસભામાં બહુમતનું સમર્થન સાબિત કરવા માટે, સીએમ ઉદ્ધવ ઠાકરેને મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ ગઈકાલે સૂચના આપી હતી. હવે ફ્લોર ટેસ્ટના આદેશને પડકારતાં શિવસેના સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની વેકેશન બેન્ચ સમક્ષ તેના પર સ્ટે મૂકવાની માંગ કરશે. સુપ્રીમ કોર્ટના આદેશનો ઉલ્લેખ કરીને, શિવસેના આગામી આદેશો સુધી સત્ર ના બોલાવવા અથવા ફ્લોર ટેસ્ટ ના યોજવા આદેશ આપવાની વિનંતી કરશે.

ભાજપે ફ્લોર ટેસ્ટની માંગ કરી હતી

જણાવી દઈએ કે શિવસેનાના નેતા અને મંત્રી એકનાથ શિંદેના બળવાના કારણે મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલના એક સપ્તાહ બાદ ભારતીય જનતા પાર્ટી (BJP)ના દેવેન્દ્ર ફડણવીસ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને મળ્યા હતા. આ દરમિયાન દેવેન્દ્ર ફડણવીસે રાજ્યપાલને એક પત્ર સુપરત કર્યો હતો, જેમાં તેમણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને રાજ્ય વિધાનસભામાં તેમની સરકારની બહુમતી સાબિત કરવા કહેવાની માંગ કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે વાત કર્યા બાદ પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને મળવા પહોંચ્યા હતા.

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">