Maharashtra Political Crisis : ફ્લોર ટેસ્ટ પહેલા એકનાથ શિંદેની આ છે યોજના, આજે ગુવાહાટીથી ગોવા અને આવતીકાલે મુંબઈ

મહારાષ્ટ્રના બળવાખોર ધારાસભ્યો આજે ગોવા જવા રવાના થશે. ગોવાના તાજ રિસોર્ટ એન્ડ કન્વેન્શન સેન્ટરમાં બળવાખોર ધારાસભ્યો માટે રૂમ બુક કરવામાં આવ્યા છે. આ પછી ગુરુવારે તમામ ધારાસભ્યો મુંબઈ જવા રવાના થશે.

Maharashtra Political Crisis : ફ્લોર ટેસ્ટ પહેલા એકનાથ શિંદેની આ છે યોજના, આજે ગુવાહાટીથી ગોવા અને આવતીકાલે મુંબઈ
Eknath Shinde's group
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 29, 2022 | 10:42 AM

મહારાષ્ટ્રમાં પ્રવાહી રાજકીય માહોલ (Maharashtra Political Crisis) વચ્ચે શિવસેનાના બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદેએ (Eknath Shinde) મહારાષ્ટ્ર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ માટે સંપૂર્ણ યોજના તૈયાર કરી છે. તેમણે કહ્યું કે તેઓ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)ની આગેવાની હેઠળની મહા વિકાસ અઘાડી (MVA) સરકાર સામે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ માટે ગુરુવારે મુંબઈ જશે. મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી (Governor Bhagat Singh Koshyari) એ મહારાષ્ટ્ર વિધાનસભાના સચિવને ગુરુવારે સવારે 11 વાગ્યે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની સરકારનો ફ્લોર ટેસ્ટ કરવા જણાવ્યું છે. એકનાથ શિંદેએ ગુવાહાટીમાં પત્રકારોને જણાવ્યું હતું કે તેઓ તેમના જૂથના તમામ ધારાસભ્યો સાથે મુંબઈ પહોંચશે. તેઓ એક સપ્તાહથી ગુવાહાટીની રેડિસન બ્લુ હોટલમાં રોકાયા છે અને તેમના સમર્થનમાં ધારાસભ્યોના એક મોટા જૂથ સાથે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રના બળવાખોર ધારાસભ્યો આજે ગોવા જવા રવાના થશે. મળતી માહિતી મુજબ, ગોવાના તાજ રિસોર્ટ એન્ડ કન્વેન્શન સેન્ટરમાં બળવાખોર ધારાસભ્યો માટે 70 જેટલા રૂમ બુક કરવામાં આવ્યા છે. આ પછી ગુરુવારે તમામ ધારાસભ્યો મુંબઈ જવા રવાના થશે. મહારાષ્ટ્ર પહોંચ્યા બાદ તેઓ સીધા વિધાનસભા ભવન પહોચશે.

ગુવાહાટીમાં હોટલમાંથી બહાર આવેલા શિંદેએ કહ્યું કે તેમણે ગુવાહાટીના કામાખ્યા મંદિરમાં મહારાષ્ટ્રના લોકોની શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. શિંદેએ મંદિરની બહાર પત્રકારોને જણાવ્યું હતું કે તેઓ ઔપચારિકતાઓ પૂર્ણ કરવા ગુરુવારે મુંબઈ પરત ફરશે. મતલબ કે તે નવી સરકારની રચનાની પ્રક્રિયામાં ભાગ લેશે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના વધુ બે ધારાસભ્યો સાથે વહેલી સવારે બ્રહ્મપુત્રા નદીના કિનારે નીલાંચલ પર્વત પર સ્થિત મંદિરની મુલાકાત લીધી હતી. તેમની સાથે આસામના બીજેપી ધારાસભ્ય સુશાંત બોરગોહેન પણ હતા. ગુવાહાટી એરપોર્ટ પર આવ્યા ત્યારથી બોરગોહેન બળવાખોર ધારાસભ્યોની સાથે છે.

શિંદેએ કહ્યું, હું મહારાષ્ટ્રની સુખ-સમૃદ્ધિ માટે કામાખ્યા મંદિર ગયો હતો. મા કામાખ્યાના આશીર્વાદ લીધા. જ્યારે તેમના આગામી પગલા વિશે પૂછવામાં આવ્યું ત્યારે બળવાખોર ધારાસભ્યએ કહ્યું, “અમે આવતીકાલે જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કરવા માટે મુંબઈ પાછા આવીશું.”

શિંદેની મુંબઈ પરત ફરવાની જાહેરાત એવા સમયે કરવામાં આવી છે, જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતા દેવેન્દ્ર ફડણવીસ મંગળવારે રાત્રે રાજભવન ખાતે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળ્યા હતા. તેમણે રાજ્યપાલને વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ કરાવવા વિનંતી કરી, એવો દાવો કર્યો કે ઠાકરેની આગેવાનીવાળી સરકારે શિંદેના જૂથ દ્વારા બળવો કર્યા પછી બહુમતી ગુમાવી દીધી છે. તેઓ એકનાથ શિંદે જૂથના ટેકાથી મહારાષ્ટ્રમા મુખ્ય પ્રધાન તરીકે પરત ફરી શકે છે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">