Pune : આ તારીખથી ખૂલશે શાળાઓ, તરૂણોના વેક્સિનેશનને લઈને અજીત પવારે આપ્યુ મોટુ નિવેદન

નાયબ મુખ્યપ્રધાન અજિત પવારે કહ્યુ કે, ધોરણ 1 થી 8 સુધી શાળાઓ અડધો દિવસ જ રહેશે. જ્યારે નવમા ધોરણથી લઈને આગળના વર્ગો પૂર્ણ સમય ચાલશે.

Pune : આ તારીખથી ખૂલશે શાળાઓ, તરૂણોના વેક્સિનેશનને લઈને અજીત પવારે આપ્યુ મોટુ નિવેદન
School Reopening (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 29, 2022 | 4:26 PM

Pune School Reopening: પુણેમાં 1 ફેબ્રુઆરીથી શાળા અને કોલેજો ખુલી રહી છે. ત્યારે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે (DY CM Ajit Pawar)  જણાવ્યુ કે, શાળા-કોલેજોમાં જ 15 થી 18 વર્ષની વયજૂથના વિદ્યાર્થીઓનું રસીકરણ કરાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, અજિત પવારે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરીને આ અંગે માહિતી આપી હતી. આ સાથે તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે વિદ્યાર્થીને શાળા કે કોલેજમાં (School Reopening) મોકલવા કે નહીં તે વાલીઓએ નક્કી કરવાનુ રહેશે એટલે કે વાલીઓની સંમતિ વિના બાળકને શાળામાં પ્રવેશ આપવામાં આવશે નહિ.

શાળા-કોલેજમાં જ કિશોરોનુ વેક્સિનેશન થશે

અજિત પવારે 15 થી 18 વર્ષના કિશોરોના રસીકરણ પર પણ ભાર મૂક્યો છે. તેમણે કહ્યુ કે શાળાઓમાં જ 15 થી 18 વર્ષના બાળકોને વેક્સિન આપવાની વ્યવસ્થા કરવામાં આવશે. મોબાઈલ વાન દ્વારા પણ આ રસીકરણ અભિયાન ચલાવવામાં આવશે.

રાજ્ય સરકારે 23 જાન્યુઆરીથી શાળા શરૂ કરવાની મંજૂરી આપી

કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારે 23 જાન્યુઆરીથી શાળા શરૂ કરવાની મંજૂરી આપી હતી. જો કે રાજ્ય સરકારે સ્થાનિક વહીવટીતંત્રને તેમના જિલ્લા સંબંધિત મામલામાં ત્યાં શાળાઓ ખોલવી કે નહીં તે નક્કી કરવાની સત્તા આપી છે. આ રીતે રાજ્યના ઘણા જિલ્લાઓમાં સોમવારથી શાળાઓ ખુલી ગઈ છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

પરંતુ કોરોના સંક્રમણને કારણે પુણેમાં શાળાઓ બંધ રાખવામાં આવી હતી.તમને જણાવી દઈએ કે, કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજ્યમાં31 જાન્યુઆરી સુધી શાળા બંધ રાખવાની જાહેરાત કરતા અજિત પવારે કહ્યુ હતુ કે તેઓ કોરોનાની સ્થિતિને(Corona Condition)  ધ્યાનમાં રાખીને આગામી સમયમાં શાળા-કોલેજ શરૂ કરવા અંગે નિર્ણય લેવામાં આવશે. ત્યારે હાલ સંક્રમણ ઘટતા શાળાઓ ફરીથી ખોલવામાં આવી રહી છે.

આ વર્ગોના બાળકો માટે અડધો દિવસ શાળાઓ ચાલુ રહેશે

આ અંગે અજિત પવારે જણાવ્યુ હતુ કે, ‘શાળા શરૂ થાય ત્યારે પણ વિદ્યાર્થીઓને શાળાએ આવવુ ફરજિયાત નથી. આ બાબતે માતાપિતાએ જાતે નિર્ણય લેવાનો રહેશે. ધોરણ 1 થી 8 સુધી શાળાઓ અડધો દિવસ શરૂ રહેશે. જ્યારે નવમા ધોરણથી આગળના વર્ગો માટે પૂર્ણ સમય શાળાઓ ચાલુ રહેશે.

આ પણ વાંચો : Maharashtra : મહિલા પોલીસ કર્મીઓએ હવે માત્ર આટલા કલાક કરવી પડશે ડ્યુટી, કોરોના પ્રતિબંધો પણ થશે હળવા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">