AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pune : આ તારીખથી ખૂલશે શાળાઓ, તરૂણોના વેક્સિનેશનને લઈને અજીત પવારે આપ્યુ મોટુ નિવેદન

નાયબ મુખ્યપ્રધાન અજિત પવારે કહ્યુ કે, ધોરણ 1 થી 8 સુધી શાળાઓ અડધો દિવસ જ રહેશે. જ્યારે નવમા ધોરણથી લઈને આગળના વર્ગો પૂર્ણ સમય ચાલશે.

Pune : આ તારીખથી ખૂલશે શાળાઓ, તરૂણોના વેક્સિનેશનને લઈને અજીત પવારે આપ્યુ મોટુ નિવેદન
School Reopening (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 29, 2022 | 4:26 PM
Share

Pune School Reopening: પુણેમાં 1 ફેબ્રુઆરીથી શાળા અને કોલેજો ખુલી રહી છે. ત્યારે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે (DY CM Ajit Pawar)  જણાવ્યુ કે, શાળા-કોલેજોમાં જ 15 થી 18 વર્ષની વયજૂથના વિદ્યાર્થીઓનું રસીકરણ કરાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, અજિત પવારે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરીને આ અંગે માહિતી આપી હતી. આ સાથે તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે વિદ્યાર્થીને શાળા કે કોલેજમાં (School Reopening) મોકલવા કે નહીં તે વાલીઓએ નક્કી કરવાનુ રહેશે એટલે કે વાલીઓની સંમતિ વિના બાળકને શાળામાં પ્રવેશ આપવામાં આવશે નહિ.

શાળા-કોલેજમાં જ કિશોરોનુ વેક્સિનેશન થશે

અજિત પવારે 15 થી 18 વર્ષના કિશોરોના રસીકરણ પર પણ ભાર મૂક્યો છે. તેમણે કહ્યુ કે શાળાઓમાં જ 15 થી 18 વર્ષના બાળકોને વેક્સિન આપવાની વ્યવસ્થા કરવામાં આવશે. મોબાઈલ વાન દ્વારા પણ આ રસીકરણ અભિયાન ચલાવવામાં આવશે.

રાજ્ય સરકારે 23 જાન્યુઆરીથી શાળા શરૂ કરવાની મંજૂરી આપી

કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારે 23 જાન્યુઆરીથી શાળા શરૂ કરવાની મંજૂરી આપી હતી. જો કે રાજ્ય સરકારે સ્થાનિક વહીવટીતંત્રને તેમના જિલ્લા સંબંધિત મામલામાં ત્યાં શાળાઓ ખોલવી કે નહીં તે નક્કી કરવાની સત્તા આપી છે. આ રીતે રાજ્યના ઘણા જિલ્લાઓમાં સોમવારથી શાળાઓ ખુલી ગઈ છે.

પરંતુ કોરોના સંક્રમણને કારણે પુણેમાં શાળાઓ બંધ રાખવામાં આવી હતી.તમને જણાવી દઈએ કે, કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજ્યમાં31 જાન્યુઆરી સુધી શાળા બંધ રાખવાની જાહેરાત કરતા અજિત પવારે કહ્યુ હતુ કે તેઓ કોરોનાની સ્થિતિને(Corona Condition)  ધ્યાનમાં રાખીને આગામી સમયમાં શાળા-કોલેજ શરૂ કરવા અંગે નિર્ણય લેવામાં આવશે. ત્યારે હાલ સંક્રમણ ઘટતા શાળાઓ ફરીથી ખોલવામાં આવી રહી છે.

આ વર્ગોના બાળકો માટે અડધો દિવસ શાળાઓ ચાલુ રહેશે

આ અંગે અજિત પવારે જણાવ્યુ હતુ કે, ‘શાળા શરૂ થાય ત્યારે પણ વિદ્યાર્થીઓને શાળાએ આવવુ ફરજિયાત નથી. આ બાબતે માતાપિતાએ જાતે નિર્ણય લેવાનો રહેશે. ધોરણ 1 થી 8 સુધી શાળાઓ અડધો દિવસ શરૂ રહેશે. જ્યારે નવમા ધોરણથી આગળના વર્ગો માટે પૂર્ણ સમય શાળાઓ ચાલુ રહેશે.

આ પણ વાંચો : Maharashtra : મહિલા પોલીસ કર્મીઓએ હવે માત્ર આટલા કલાક કરવી પડશે ડ્યુટી, કોરોના પ્રતિબંધો પણ થશે હળવા

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">