Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra Corona Cases: મહારાષ્ટ્રમાં શુક્રવારે કોરોનાથી થયા 100થી વધારે મોત, એકલા પુણેમાં ઓમીક્રોનના કેસ 110 ને પાર

મુંબઈમાં કોરોનાથી મુક્ત થયેલા લોકોની સંખ્યા સંક્રમિતો કરતા ઘણી વધારે હતી. મુંબઈમાં 1312 નવા કેસ સામે 4 હજાર 990 લોકો કોરોનાથી સાજા થયા છે.

Maharashtra Corona Cases: મહારાષ્ટ્રમાં શુક્રવારે કોરોનાથી થયા 100થી વધારે મોત, એકલા પુણેમાં ઓમીક્રોનના કેસ 110 ને પાર
Omicron Variants - Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 28, 2022 | 11:29 PM

મહારાષ્ટ્રમાં શુક્રવારે કોરોનાના (Maharashtra Corona Update) કારણે થયેલા મૃત્યુનો આંકડો ડરાવનારો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 103 લોકોના મોત થયા છે. આ રીતે રાજ્યમાં મૃત્યુ દર વધીને 1.86 થઈ ગયો છે. છેલ્લા એક દિવસમાં કોરોનાના 24 હજાર 948 નવા કેસ નોંધાયા છે. પણ રાહતની વાત એ છે કે જે લોકો સાજા થયા છે તેમની સંખ્યા બમણી કરતા થોડી ઓછી હતી. શુક્રવારે મહારાષ્ટ્રમાં કોરોનાથી 45 હજાર 648 લોકો કોરોનાથી સ્વસ્થ થઈને ઘરે ગયા હતા. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં ઓમિક્રોનના 110 કેસ નોંધાયા છે. નોંધનીય છે કે આ તમામ કેસ એકલા પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારના છે. આ સિવાય મુંબઈની વાત કરીએ તો અહીં શુક્રવારે 1312 નવા કેસ (Mumbai Corona Update) નોંધાયા હતા.

મુંબઈમાં કોરોનાથી મુક્ત થયેલા લોકોની સંખ્યા નવા સંક્રમિતોની સંખ્યા કરતા ઘણી વધારે હતી. મુંબઈમાં 1312 નવા કેસ સામે 4990 લોકો કોરોનાથી સાજા થયા છે. પરંતુ શુક્રવારે પણ મહાનગરમાં કોરોનાથી 10 લોકોના મોત થયા હતા. આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, હાલમાં મુંબઈમાં સક્રિય કોરોના કેસની સંખ્યા 14 હજાર 344 છે.

મહારાષ્ટ્રમાં અત્યાર સુધી કોરોના સંબંધિત પરિસ્થિતિ

મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 72 લાખ 42 હજાર 649 સંક્રમિત લોકોએ કોરોના પર વિજય મેળવ્યો છે. આ રીતે, રાજ્યમાં રિકવરી રેટ હવે 94.61 ટકા છે. હાલમાં રાજ્યમાં 14 લાખ 61 હજાર 370 લોકો હોમ ક્વોરેન્ટાઈનમાં છે અને 3200 લોકો સંસ્થાકીય ક્વોરેન્ટાઈનમાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 7 કરોડ 41 લાખ 63 હજાર 858 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

શરીરના આત્માનું વજન કેટલું હોય છે? આ પ્રશ્ન UPSC માં પૂછવામાં આવ્યો
ઉનાળામાં આપણે અજમા ખાવા જોઈએ કે નહીં?
આજનું રાશિફળ તારીખ : 06-04-2025
આકડાના પાન તમારી આટલી સમસ્યાઓ કરે છે દૂર, જાણી ને ચોંકી જશો
Indian Country Liquor : ભારતમાં બનતા દેશી દારૂ, જાણી લો નામ
"ટમ્પનું ટેરિફ લગાવશે મંદીનું ગ્રહણ…", અમેરિકન બેંકે આપી ચેતવણી

મહારાષ્ટ્રમાં અત્યાર સુધી ઓમિક્રોનનો સંબંધિત પરિસ્થિતિ

ઓમિક્રોનની વાત કરીએ તો, શુક્રવારે રાજ્યમાં 110 નવા કેસ ઉમેરાતા અત્યાર સુધીમાં 3040 કેસ નોંધાયા છે. તેમાંથી 1603 લોકો ઓમિક્રોનમાંથી સાજા પણ થયા છે.  અત્યાર સુધીમાં રાજ્યમાં 6605 લોકો પર ઓમિક્રોનનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. તેમાંથી 6418 લોકોના તપાસ રિપોર્ટ સામે આવ્યા છે. 187 લોકોના તપાસ રિપોર્ટ આવવાના બાકી છે.

મુંબઈમાં અત્યાર સુધી કોરોના સંબંધિત અપડેટ્સ

મુંબઈમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 16 હજાર 591 લોકોના મોત થયા છે. મુંબઈમાં શુક્રવારે 1 હજાર 312 નવા કેસની સામે 4 હજાર 990 લોકો કોરોનાથી સાજા થયા છે. આ રીતે રિકવરી રેટમાં એક ટકાનો વધારો થયો છે. હાલમાં મુંબઈમાં રિકવરી રેટ 97 ટકા થઈ ગયો છે.

આ પણ વાંચો :  Rajkot: નિષ્ણાત તબીબના જણાવ્યા અનુસાર ઓમિક્રોન વેરિયન્ટમાં થયા ઘણા ફેરફાર, કોરોનાને હળવો સમજવો જોખમથી ભરેલ

ગુજરાતીઓ થશે પરસેવે રેબઝેબ ! આ તારીખથી આકાશમાંથી વરસશે અગનગોળા
ગુજરાતીઓ થશે પરસેવે રેબઝેબ ! આ તારીખથી આકાશમાંથી વરસશે અગનગોળા
આ 4 રાશિના જાતકોના આજે ધનલાભ થવાની સંભાવના
આ 4 રાશિના જાતકોના આજે ધનલાભ થવાની સંભાવના
MBBS વિદ્યાર્થીનીનો VS હોસ્ટેલમાં આપઘાત, કારણ જાણવા પોલીસ તપાસ શરૂ
MBBS વિદ્યાર્થીનીનો VS હોસ્ટેલમાં આપઘાત, કારણ જાણવા પોલીસ તપાસ શરૂ
કોજી વિસ્તારમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
કોજી વિસ્તારમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
આ 6 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
આ 6 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
આકરા ઉનાળા માટે થઈ જાઓ તૈયાર, આગામી 5 દિવસ પ્રચંડ ગરમીની આગાહી
આકરા ઉનાળા માટે થઈ જાઓ તૈયાર, આગામી 5 દિવસ પ્રચંડ ગરમીની આગાહી
સુરતમાં ફાયર સેફ્ટિના મુદ્દે 16 માર્કેટને નોટિસ
સુરતમાં ફાયર સેફ્ટિના મુદ્દે 16 માર્કેટને નોટિસ
દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિ સાગરજી દોષિત જાહેર, હવે ફટકારાશે સજા
દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિ સાગરજી દોષિત જાહેર, હવે ફટકારાશે સજા
પ્રદ્યુમ્ન પાર્કમાં સફેદ વાઘણ કાવેરીએ બે બચ્ચાઓને જન્મ આપ્યો
પ્રદ્યુમ્ન પાર્કમાં સફેદ વાઘણ કાવેરીએ બે બચ્ચાઓને જન્મ આપ્યો
ગુડલક સર્કલ નજીક ગેરકાયદે દબાણો કરાયા દૂર, સ્થાનિકોએ કર્યો વિરોધ
ગુડલક સર્કલ નજીક ગેરકાયદે દબાણો કરાયા દૂર, સ્થાનિકોએ કર્યો વિરોધ
g clip-path="url(#clip0_868_265)">