AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra : “ચૂંટણી નજીક આવતા ભાજપને યાદ આવ્યો વિકાસ”, શિવસેનાએ મોદી સરકાર પર સાધ્યુ નિશાન

સંજય રાઉતે ઉત્તર પ્રદેશની ચૂંટણીને લઈને પણ ભાજપ પર નિશાન સાધ્યુ છે. તેમણે સામનામાં લખ્યું છે કે, 'હવે ઉત્તર પ્રદેશની ચૂંટણી નજીક આવતા સતાધારી પક્ષ મથુરામાં મંદિર બનાવશે.'

Maharashtra : ચૂંટણી નજીક આવતા ભાજપને યાદ આવ્યો વિકાસ, શિવસેનાએ મોદી સરકાર પર સાધ્યુ નિશાન
Shiv Sena targets modi goverment
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 26, 2021 | 1:23 PM
Share

Maharashtra : વિધાનસભાની ચૂંટણી પહેલા જ રાજકારણ ગરમાયુ છે. શિવસેનાના સાંસદ સંજય રાઉતે (Sanjay Raut)  તેના મુખપત્ર ‘સામના’માં ફરી એકવાર મોદી સરકાર (Modi Government)  પર નિશાન સાધ્યુ છે. અલગ-અલગ મુદ્દે શિવસેનાએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા.

સંજય રાઉતે લખ્યું છે કે, ‘સંસદથી લઈને વિધાનસભા (Assembly) સુધી કૂતરા-વાંદરાની જૂની રમત શરૂ થઈ ગઈ છે. વિપક્ષ રોજેરોજ અપમાનિત થાય છે. દેશમાં કોઈને પણ ન્યાય મળી રહ્યો નથી. ગુસ્સે ભરાયેલા જયા બચ્ચને રાજ્યસભામાં ભાજપના સાંસદને શ્રાપ આપ્યો, તેની ચર્ચા હજુ પણ ચાલી રહી છે.’

સંજય રાઉતે સતાધારી પક્ષ પર ઉઠાવ્યા સવાલ

વધુમાં સંજય રાઉતે આગળ લખ્યું છે કે, ‘સત્તાધારી પાર્ટીએ (BJP Party) લોકશાહી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર પૂર્ણપણે કફન ઓઢીને સંસદનું સત્ર સમાપ્ત કર્યું છે. ખેડૂતોની સમસ્યાને લઈને આંદોલન કરનારા 12 રાજ્યસભા સાંસદોનું સસ્પેન્શન અંત સુધી પાછું ખેંચવામાં આવ્યું નથી. આ બાર સાંસદો છેક સુધી સંસદ ભવન સામે ગાંધીજીની પ્રતિમા પાસે બેઠા હતા. લોકશાહીમાં વિપક્ષના વર્તન પર હંમેશા આંગળી ચીંધવામાં આવે છે, પરંતુ સત્તામાં રહેલા લોકોનું વર્તન ગમે તેટલું ગેરકાયદેસર હોય, કોઈ તેમની તરફ આંગળી ચીંધતું નથી.

UPની ચૂંટણી આવતા મથુરામાં મંદિર બનાવવામાં આવ્યુ

સંજય રાઉતે ઉત્તર પ્રદેશની ચૂંટણીને લઈને પણ ભાજપ પર નિશાન સાધ્યુ છે. તેમણે સામનામાં (Samana) લખ્યું છે કે, ‘હવે ઉત્તર પ્રદેશની ચૂંટણી નજીક આવતા ભાજપ  મથુરામાં મંદિર બનાવશે. પરંતુ મંદિર નિર્માણની વાત કરનારાઓએ ખેડૂત આંદોલનમાં 700 લોકોનું બલિદાન લીધું. તેમાંથી 13ના લખીમપુર ખીરીમાં કચડાઈને મોત થયા હતા. તેમના ગુનેગારોને મંત્રીમંડળમાં રાખીને કયું મંદિર બનાવાશે ? અમિત શાહે પુણેમાં કહ્યું કે શિવસેનાએ હિન્દુત્વ છોડી દીધું છે. પરંતુ આજના સમાજમાં તેની પાર્ટી હિન્દુત્વના કયા આદર્શોનું પાલન કરે છે ?

આ પણ વાંચો: ઓમિક્રોનનો આતંક : કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોને વધારી ચિંતા, અત્યાર સુધીમાં નોંધાયા આટલા કેસ

આ પણ વાંચો: Omicron in Maharashtra: ઓમિક્રોનના કેસે સદી ફટકારી, આરોગ્ય મંત્રીએ કહ્યું- ઓક્સિજનનો વપરાશ વધશે તો ફરીથી લાગુ થશે લોકડાઉન

Follow Us
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
g clip-path="url(#clip0_868_265)">