ઓમિક્રોનનો આતંક : કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોને વધારી ચિંતા, અત્યાર સુધીમાં નોંધાયા આટલા કેસ

કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના દિલ્હીમાં 79, ગુજરાતમાં 49, તેલંગાણામાં 38, કેરળમાં 38, તમિલનાડુમાં 34 અને કર્ણાટકમાં 31 કેસ નોંધાયા છે, જ્યારે મહારાષ્ટ્રમાં સૌથી વધુ 110 કેસ નોંધાઈ ચૂક્યા છે.

ઓમિક્રોનનો આતંક : કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોને વધારી ચિંતા, અત્યાર સુધીમાં નોંધાયા આટલા કેસ
Omicron Cases Increase in india
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 26, 2021 | 11:47 AM

Omicron Variant : દેશમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોને (Corona Omicron Variant) સમગ્ર દેશમાં દહેશત વધારી છે. વધતા સંક્રમણને (Corona Infection) ધ્યાનમાં રાખીને ઘણા રાજ્યોએ નિયંત્રણો લાગુ કરવાનો નિર્ણય લીધો છે. ઓમિક્રોનના જોખમ વચ્ચે કોરોનાના દૈનિક કેસ પણ સાત હજારની નજીક પહોંચ્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 422 કેસ નોંધાઈ ચૂક્યા છે. શનિવારે જાહેર કરાયેલા ડેટા અનુસાર, મહારાષ્ટ્રમાં (Maharashtra)  ઓમિક્રોનના સૌથી વધુ 110 કેસ નોંધાયા છે.

જેમાં દિલ્હીમાં 79, ગુજરાતમાં 49, તેલંગાણામાં 38, કેરળમાં 38, તમિલનાડુમાં 34 અને કર્ણાટકમાં 31 કેસ નોંધાયા છે.જ્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 6,987 નવા કેસ નોંધાયા છે અને 7,091 લોકો સાજા થયા છે. ઉપરાંત 162 લોકોનાં કોરોનાને (Covid 19) કારણે મોત નીપજ્યા છે. નવો કેસ સામે આવ્યા બાદ દેશમાં એક્ટિવ કેસ (Active Case) વધીને 76,766 પર પહોંચી ગયા છે. આ સાથે અત્યાર સુધીમાં 3,42,30,354 દર્દીઓ રિકવર થયા છે અને કુલ મૃત્યુઆંક 4,79,682 પર પહોંચી ગયો છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

વેક્સિનેશનની કામગિરી પૂરજોશમાં

આ સાથે વધતા સંક્રમણને રોકવા માટે વડા પ્રધાને શનિવારે કહ્યું હતું કે, 10 જાન્યુઆરીથી ડોકટરોની સલાહ પર 60 વર્ષથી વધુ વયના લોકો કે જે અન્ય ગંભીર રોગોથી પીડિત છે તેને અને 15 થી 18 વર્ષના બાળકોને પણ  રસીના ડોઝ (Vaccine Dose) આપવામાં આવશે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં કોવિડ વિરોધી રસીના 1 અબજ 41 કરોડ 37 લાખ 72 હજાર 425 ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી શનિવારે 32 લાખ 90 હજાર 766 ડોઝ આપવામાં આવ્યા હતા.ત્યારે હાલ રસીકરણનો વેગ વધારવા માટે સરકાર દ્વારા પૂરતા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.

મહારાષ્ટ્રમાં 57 દર્દીઓ રિકવર થયા

મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા વધીને 9,102 થઈ ગઈ છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 796 દર્દીઓ સાજા થયા છે, જે બાદ રિકવર થયેલા લોકોની સંખ્યા વધીને 65,02,039 પર પહોંચી છે. રાજ્યમાં ‘ઓમિક્રોન’ વેરિઅન્ટના વધુ બે નવા કેસ મળી આવતા, કુલ આંકડો 110 સુધી પહોંચ્યો છે.

આ પણ વાંચો: Omicron in Maharashtra: ઓમિક્રોનના કેસે સદી ફટકારી, આરોગ્ય મંત્રીએ કહ્યું- ઓક્સિજનનો વપરાશ વધશે તો ફરીથી લાગુ થશે લોકડાઉન

આ પણ વાંચો: CM ઉદ્ધવ ઠાકરેએ PM મોદીના બુસ્ટર ડોઝ આપવાના નિર્ણયનું કર્યું સ્વાગત, કહ્યું- અમે પણ કેબિનેટની બેઠકમાં આ અંગે કરી હતી ચર્ચા

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">