Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai : સંજય પાંડેની મુંબઈ પોલીસ કમિશનર તરીકે નિમણૂક, CP સહિત આ અધિકારીઓની થઈ બદલી

સંજય પાંડેને મુંબઈના નવા પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે. જ્યારે મુંબઈના વર્તમાન પોલીસ કમિશનર હેમંત નાગરાલેની બદલી કરવામાં આવી છે.

Mumbai : સંજય પાંડેની મુંબઈ પોલીસ કમિશનર તરીકે નિમણૂક, CP સહિત આ અધિકારીઓની થઈ બદલી
Mumbai police commissioner sanjay pandey
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 28, 2022 | 7:22 PM

Sanjay Pandey Mumbai CP : મુંબઈ પોલીસમાં (Mumbai Police) મોટા પાયે ફેરબદલ કરવામાં આવી છે. જેમાં સંજય પાંડેને મુંબઈના નવા પોલીસ કમિશનર (Mumbai Police Commissioner Sanjay Pandey) બનાવવામાં આવ્યા છે. જ્યારે મુંબઈના વર્તમાન પોલીસ કમિશનર હેમંત નાગરાલેની બદલી કરવામાં આવી છે. તેમના સ્થાને સંજય પાંડેને મુંબઈના નવા પોલીસ કમિશનર તરીકેનો કાર્યભાળ આપવામાં આવ્યો છે.

સંજય પાંડેને મુંબઈ પોલીસની જવાબદારી સોંપાઈ

સંજય પાંડેને સોમવારથી જ કાર્યભાર સંભાળવા માટે કહેવામાં આવ્યુ છે. તમને જણાવી દઈએ કે, સંજય પાંડે થોડા સમય પહેલા મહારાષ્ટ્ર સ્ટેટ સિક્યુરિટી કોર્પોરેશનના મેનેજિંગ ડાયરેક્ટર તરીકે કામ કરતા હતા. સાથે જ તેમની પાસે મહારાષ્ટ્રના ડીજીપીનો વધારાનો હવાલો હતો. આ અગાઉ રજનીશ સેઠની મહારાષ્ટ્રના ડીજીપી તરીકે નિમણૂક કરવામાં આવી હતી અને તેમની પાસેથી આ પદ લેવામાં આવ્યું હતું. જો કે હવે રાજ્ય સરકારે સંજય પાંડેને મુંબઈ પોલીસની જવાબદારી સોંપી છે.

રાજ્ય સરકારથી નારાજ હતા સંજય પાંડે

સંજય પાંડે વરિષ્ઠ IPS અધિકારી છે. જ્યારે મુંબઈ પોલીસ કમિશનરના પદ પરથી પરમબીર સિંહની હોમગાર્ડના વડાના પદ પર નિમણૂક કરવામાં આવી હતી, ત્યારે સંજય પાંડેને આ પદ પરથી હટાવીને મહારાષ્ટ્ર રાજ્ય સુરક્ષા નિગમના મેનેજિંગ ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ગયા વર્ષે માર્ચમાં કરાયેલા આ ફેરફારને કારણે તેઓ રાજ્ય સરકારથી નારાજ હતા.

Jyotish Shastra : તુલસીને હળદરનું પાણી ચઢાવવાથી શું થાય છે?
Pahalgam: પહેલગામનો અર્થ શું છે?
MI ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાની અટક પાછળનો ઈતિહાસ જાણો
સારા તેંડુલકરની લાઈફમાં નવા ફ્રેન્ડની એન્ટ્રી થઈ, જુઓ ફોટો
ક્રિકેટરની પત્ની વાઇન ટેસ્ટ કરીને કમાય છે લાખો રુપિયા
આ લોકોએ ઠંડા પીણાં ન પીવા જોઈએ, બગડી શકે છે સ્વાસ્થ્ય

આ અંગે તેમણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર પણ લખ્યો હતો. તેમણે કહ્યું હતું કે બદલી વખતે તેમની વરિષ્ઠતાને અવગણવામાં આવી હતી. આ પછી તેમને મહારાષ્ટ્રના ડીજીપી પદનો વધારાનો હવાલો આપવામાં આવ્યો હતો. તેઓ 1986 બેચના આઈપીએસ અધિકારી છે. તેણે IIT કાનપુરમાંથી કમ્પ્યુટર સાયન્સમાં B.Tech કર્યું છે.

હેમંત નાગરાલે મહારાષ્ટ્ર રાજ્ય સુરક્ષા નિગમના વડા તરીકે કાર્યભાર સંભાળશે

રાજ્ય સરકારે સંજય પાંડેને મહારાષ્ટ્ર સ્ટેટ સિક્યુરિટી કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટરના પદ પરથી મુંબઈ પોલીસ કમિશનર તરીકે નિયુક્ત કર્યા છે. તેમજ હેમંત નાગરાલેને મુંબઈના પોલીસ કમિશનરના પદ પરથી હટાવીને મહારાષ્ટ્ર રાજ્ય સુરક્ષા નિગમના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. એટલે કે એક રીતે બંને વચ્ચે હોદ્દાની અદલાબદલી કરવામાં આવી છે.

આ પણ વાંચો : યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને લઈને મહારાષ્ટ્ર ચિંતિત, NCP વડા શરદ પવારે વિદેશ મંત્રી જયશંકર સાથે કરી ચર્ચા

ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
Pahalgam Attack : ભાવનગરના મૃતકોને એર એમ્બ્યુલન્સ દ્વારા લવાશે વતન
Pahalgam Attack : ભાવનગરના મૃતકોને એર એમ્બ્યુલન્સ દ્વારા લવાશે વતન
આતંકવાદી હુમલાના મૃતકોને અમદાવાદમાં અપાઈ શ્રદ્ધાંજલિ
આતંકવાદી હુમલાના મૃતકોને અમદાવાદમાં અપાઈ શ્રદ્ધાંજલિ
મોરારીબાપુએ મૃતકોના પરિવારો માટે કરી 5 લાખની સહાયની જાહેરાત
મોરારીબાપુએ મૃતકોના પરિવારો માટે કરી 5 લાખની સહાયની જાહેરાત
આકાશમાંથી વરસશે અગનગોળા ! જાણો તમારા જિલ્લામાં કેટલું રહેશે તાપમાન
આકાશમાંથી વરસશે અગનગોળા ! જાણો તમારા જિલ્લામાં કેટલું રહેશે તાપમાન
સોનાની આ સફર જાણી લો પછી જ સોનામાં રોકાણ કરો
સોનાની આ સફર જાણી લો પછી જ સોનામાં રોકાણ કરો
હનુમાનજીની એક અનોખી મૂર્તિ જે 'ઉલ્ટા હનુમાન' નામથી પ્રખ્યાત છે
હનુમાનજીની એક અનોખી મૂર્તિ જે 'ઉલ્ટા હનુમાન' નામથી પ્રખ્યાત છે
g clip-path="url(#clip0_868_265)">