Mumbai : સંજય પાંડેની મુંબઈ પોલીસ કમિશનર તરીકે નિમણૂક, CP સહિત આ અધિકારીઓની થઈ બદલી

સંજય પાંડેને મુંબઈના નવા પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે. જ્યારે મુંબઈના વર્તમાન પોલીસ કમિશનર હેમંત નાગરાલેની બદલી કરવામાં આવી છે.

Mumbai : સંજય પાંડેની મુંબઈ પોલીસ કમિશનર તરીકે નિમણૂક, CP સહિત આ અધિકારીઓની થઈ બદલી
Mumbai police commissioner sanjay pandey
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 28, 2022 | 7:22 PM

Sanjay Pandey Mumbai CP : મુંબઈ પોલીસમાં (Mumbai Police) મોટા પાયે ફેરબદલ કરવામાં આવી છે. જેમાં સંજય પાંડેને મુંબઈના નવા પોલીસ કમિશનર (Mumbai Police Commissioner Sanjay Pandey) બનાવવામાં આવ્યા છે. જ્યારે મુંબઈના વર્તમાન પોલીસ કમિશનર હેમંત નાગરાલેની બદલી કરવામાં આવી છે. તેમના સ્થાને સંજય પાંડેને મુંબઈના નવા પોલીસ કમિશનર તરીકેનો કાર્યભાળ આપવામાં આવ્યો છે.

સંજય પાંડેને મુંબઈ પોલીસની જવાબદારી સોંપાઈ

સંજય પાંડેને સોમવારથી જ કાર્યભાર સંભાળવા માટે કહેવામાં આવ્યુ છે. તમને જણાવી દઈએ કે, સંજય પાંડે થોડા સમય પહેલા મહારાષ્ટ્ર સ્ટેટ સિક્યુરિટી કોર્પોરેશનના મેનેજિંગ ડાયરેક્ટર તરીકે કામ કરતા હતા. સાથે જ તેમની પાસે મહારાષ્ટ્રના ડીજીપીનો વધારાનો હવાલો હતો. આ અગાઉ રજનીશ સેઠની મહારાષ્ટ્રના ડીજીપી તરીકે નિમણૂક કરવામાં આવી હતી અને તેમની પાસેથી આ પદ લેવામાં આવ્યું હતું. જો કે હવે રાજ્ય સરકારે સંજય પાંડેને મુંબઈ પોલીસની જવાબદારી સોંપી છે.

રાજ્ય સરકારથી નારાજ હતા સંજય પાંડે

સંજય પાંડે વરિષ્ઠ IPS અધિકારી છે. જ્યારે મુંબઈ પોલીસ કમિશનરના પદ પરથી પરમબીર સિંહની હોમગાર્ડના વડાના પદ પર નિમણૂક કરવામાં આવી હતી, ત્યારે સંજય પાંડેને આ પદ પરથી હટાવીને મહારાષ્ટ્ર રાજ્ય સુરક્ષા નિગમના મેનેજિંગ ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ગયા વર્ષે માર્ચમાં કરાયેલા આ ફેરફારને કારણે તેઓ રાજ્ય સરકારથી નારાજ હતા.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

આ અંગે તેમણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર પણ લખ્યો હતો. તેમણે કહ્યું હતું કે બદલી વખતે તેમની વરિષ્ઠતાને અવગણવામાં આવી હતી. આ પછી તેમને મહારાષ્ટ્રના ડીજીપી પદનો વધારાનો હવાલો આપવામાં આવ્યો હતો. તેઓ 1986 બેચના આઈપીએસ અધિકારી છે. તેણે IIT કાનપુરમાંથી કમ્પ્યુટર સાયન્સમાં B.Tech કર્યું છે.

હેમંત નાગરાલે મહારાષ્ટ્ર રાજ્ય સુરક્ષા નિગમના વડા તરીકે કાર્યભાર સંભાળશે

રાજ્ય સરકારે સંજય પાંડેને મહારાષ્ટ્ર સ્ટેટ સિક્યુરિટી કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટરના પદ પરથી મુંબઈ પોલીસ કમિશનર તરીકે નિયુક્ત કર્યા છે. તેમજ હેમંત નાગરાલેને મુંબઈના પોલીસ કમિશનરના પદ પરથી હટાવીને મહારાષ્ટ્ર રાજ્ય સુરક્ષા નિગમના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. એટલે કે એક રીતે બંને વચ્ચે હોદ્દાની અદલાબદલી કરવામાં આવી છે.

આ પણ વાંચો : યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને લઈને મહારાષ્ટ્ર ચિંતિત, NCP વડા શરદ પવારે વિદેશ મંત્રી જયશંકર સાથે કરી ચર્ચા

ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
g clip-path="url(#clip0_868_265)">