Mumbai Cruise Rave Party: આર્યન ખાન સહિત ત્રણ આરોપીને એક દિવસની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ શનિવારે સાંજે એક ક્રુઝ શિપ પર દરોડા પાડ્યા હતા, જ્યાં પાર્ટી ચાલી રહી હતી અને તેમાં ડ્રગ્સનું સેવન કરવામાં આવી રહ્યું હતું.

Mumbai Cruise Rave Party: આર્યન ખાન સહિત ત્રણ આરોપીને એક દિવસની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા
શનિવારે રાત્રે કરવામાં આવી હતી ધરપકડ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2021 | 8:48 PM

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ (Narcotics Control Bureau) ક્રુઝ શિપ પર ચાલી રહેલી પાર્ટીમાં પ્રતિબંધિત નશીલા પદાર્થોના સેવન મામલે શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની અટકાયત કરી છે. 12 કલાકની પૂછપરછ બાદ આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી છે.

એનસીબીએ શનિવારે એક ક્રુઝ શિપ પર દરોડો પાડ્યો હતો, જ્યાં પાર્ટી ચાલી રહી હતી અને તેમાં ડ્રગ્સનું સેવન કરવામાં આવી રહ્યું હતું. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ આ માહિતી આપી. તેમણે કહ્યું કે આ જહાજ ગોવા જવાનું હતું અને જહાજમાં  સેંકડો મુસાફરો જઈ રહ્યા હતા. જહાજ પર પાર્ટી હોવાની સૂચના મળતા NCB ટીમે દરોડો પાડ્યો હતો. આમાં સામેલ 13 લોકોમાંથી 8ની NCB દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

એનસીબીએ ત્રણેય આરોપીઓને કર્યા કોર્ટમાં હાજર 

આર્યન ખાન સહિત ત્રણ આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા બાદ તમામની નજર રિમાન્ડ પર છે. NCBને ત્રણેયની કસ્ટડી મળશે કે કેમ તે જોવાનું રહેશે. એનસીબીના મુંબઈ ઝોનલ સુપરીટેન્ડન્ટ વિશ્વ વિજય સિંહે આર્યન ખાનની ધરપકડનો મેમો બહાર પાડ્યો છે. આમાં NDPSની તમામ કલમો લખવામાં આવી છે, જેના આધારે આર્યનની ધરપકડ કરવામાં આવી છે.

NCBએ કોર્ટમાંથી આર્યન ખાન સહિત ત્રણેય આરોપીઓની કસ્ટડી 2 દિવસ માટે એટલે કે 5 ઓક્ટોબર સુધી માંગી છે. NCBએ કહ્યું છે કે તેમને વધુ તપાસ માટે આરોપીઓની કસ્ટડી આપવી જોઈએ. એનસીબી તરફથી હાજર રહેલા સરકારી વકીલ અદ્વૈત સેઠનાએ જણાવ્યું હતું કે અમારે ડ્રગ્સ સપ્લાયર અને પેડલર્સની કડીઓ શોધવી માટે અને કેટલીક વોટ્સએપ ચેટ્સ મળી છે. એટલા માટે બે દિવસની કસ્ટડી આપવી જોઈએ. સાથે જ સરકારી વકીલનું કહેવું છે કે મામલો ગંભીર છે, તેથી કસ્ટડી ફરજિયાત છે.

આર્યનના વકીલે કરી આ દલીલ

વકીલ સતીશ માનેશીંદેએ કહ્યું કે આર્યનને પાર્ટીના આયોજકે આમંત્રણ આપ્યું હતું. બોર્ડિંગ સમયે અથવા તપાસ સમયે તેની પાસેથી કશું જ મળ્યું ન હતું. જાણીતા વકીલ સતીશ માનેશીંદેએ કોર્ટમાં આર્યન ખાનનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તેણે રિયા ચક્રવર્તીનો કેસ લડ્યો હતો. આર્યનના વકીલ સતીશ માનેશીંદેએ કહ્યું કે 2 દિવસની જગ્યાએ મારા અસીલની કસ્ટડી માત્ર 1 દિવસ માટે આપવી જોઈએ. આર્યનના વકીલે કોર્ટને કહ્યું કે આ કેસ જામીનપાત્ર છે.

કોર્ટે આપી એક દિવસની મંજુરી

વિશ્વ વિજય સિંહે કહ્યું કે ધરપકડ મેમો પર આર્યનની સહી સાથે તેની મંજૂરી પણ લેવામાં આવી છે. જેમાં આર્યને સ્પષ્ટ લખ્યું છે કે તેને ધરપકડના કારણ અને ગ્રાઉન્ડ અંગે જાણ કરવામાં આવી છે. કિલા કોર્ટે ડ્રગ્સ કેસમાં આર્યન ખાન સહિત ત્રણ આરોપીઓને એક દિવસની એનસીબી કસ્ટડીમાં મોકલી આપ્યા છે. મુંબઈની કિલા કોર્ટે આર્યન ખાન, અરબાઝ શેઠ મર્ચન્ટ અને મુનમુન ધમેચાને સોમવાર સુધી NCB કસ્ટડીમાં મોકલી દીધા છે.

આ પણ વાંચો :  મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ પાર્ટીની તપાસમાં ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ, આ રીતે NCBની જાળમાં ફસાયો શાહરૂખ ખાનનો પુત્ર

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">