AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai Railway Platform Ticket: મુંબઈમાં રેલવે પ્લેટફોર્મ ટિકિટના ભાવ વધ્યા, સોમવારથી નવી કિંમતો લાગુ

મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શિવાજી સુતારના જણાવ્યા અનુસાર એપ્રિલ મહિનામાં એલાર્મ ચેઈન પુલિંગની 332 ઘટનાઓ બની છે. તેમાંથી 53 ઘટનાઓ યોગ્ય કારણોસર બની હતી. 279 કેસમાં કોઈ કારણ વગર ચેઈન પુલિંગના બનાવો બન્યા હતા.

Mumbai Railway Platform Ticket: મુંબઈમાં રેલવે પ્લેટફોર્મ ટિકિટના ભાવ વધ્યા, સોમવારથી નવી કિંમતો લાગુ
Platform ticket costlier in Mumbai
TV9 Gujarati
| Edited By: | Updated on: May 08, 2022 | 11:11 PM
Share

મધ્ય રેલવેએ (Central Railway) મુંબઈમાં (Mumbai) પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં વધારો કર્યો છે (Platform Ticket Price Hike). આ વધેલી કિંમત આવતીકાલ (સોમવાર, 9મી મે)થી લાગુ થશે. ભાવ વધારા અંગેની માહિતી મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શિવાજી સુતારે ટ્વીટ કરીને આપી છે. ટિકિટના દરમાં વધારા બાદ ટિકિટની કિંમત 10 રૂપિયાથી વધીને 50 રૂપિયા થઈ ગઈ છે. વાસ્તવમાં પ્લેટફોર્મ ટિકિટની કિંમત વધારવા પાછળ એક ખાસ કારણ છે. એપ્રિલ મહિનામાં મુંબઈના અલગ-અલગ સ્ટેશનો પર એલાર્મ ચેઈન પુલિંગની 332 ઘટનાઓ બની છે. આમાંથી ઘણી વખત લોકોએ કોઈ કારણ વગર ચેઈન પુલિંગ કર્યું છે.

જેના કારણે એપ્રિલ મહિનામાં ઘણી એક્સપ્રેસ ટ્રેનો મોડી પડી છે. જેના કારણે માત્ર રેલ્વેને જ નહીં, પરંતુ મુસાફરી કરતા અન્ય મુસાફરોને પણ ઘણી મુશ્કેલી પડી હતી. આ વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને અને એલાર્મ ચેઈન પુલિંગની ઘટનાઓને રોકવા માટે મધ્ય રેલવેએ પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. વધેલી કિંમતો સાથેની પ્લેટફોર્મ ટિકિટ 9 મે 2022થી 23 મે 2022 સુધી ઉપલબ્ધ રહેશે. એટલે કે ભાવમાં આ વધારો હાલમાં માત્ર 15 દિવસ માટે કરવામાં આવ્યો છે.

મધ્ય રેલવેના અધિકારીએ ટ્વીટ કરીને ભાવ વધારાનો ઉલ્લેખ કર્યો છે

મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શિવાજી સુતારના જણાવ્યા અનુસાર એપ્રિલ મહિનામાં એલાર્મ ચેઈન પુલિંગની 332 ઘટનાઓ બની છે. તેમાંથી 53 ઘટનાઓ યોગ્ય કારણોસર બની હતી. 279 કેસમાં કોઈ કારણ વગર ચેઈન પુલિંગના બનાવો બન્યા હતા.

ચેઈન ખેંચનારાઓ પાસેથી દંડ તરીકે 94 હજાર રૂપિયા વસૂલ કરવામાં આવ્યા હતા

ચેઈન પુલિંગની આ ઘટનાઓને કારણે પોલીસે સંબંધિત લોકો સામે કેસ નોંધ્યો છે. ભારતીય રેલ્વે એક્ટ મુજબ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અજાણ્યા લોકો પર ઘણા કેસ કરવા પડે છે. આવી ભૂલો કરનારાઓ પાસેથી અત્યાર સુધીમાં 94 હજાર રૂપિયા દંડ વસૂલવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં રેલવેને વિશ્વાસ છે કે સ્ટેશનો પર બિનજરૂરી ભીડ ઉમેરનારા લોકોની સંખ્યા ઓછી હશે. આ કારણે મુંબઈકરોએ હવે સીએસએમટી, દાદર, એલટીટી, આ સ્ટેશનો પર દસને બદલે પચાસ રૂપિયા ચૂકવવા પડશે.

g clip-path="url(#clip0_868_265)">