મહાવિકાસ અઘાડી સરકાર પર પ્રકાશ આંબેડકરે લગાવ્યો આ ગંભીર આરોપ, રાજકારણ ગરમાયુ

પ્રકાશ આંબેડકરે કહ્યું, 'આ ચોરો અને લૂંટારાઓની સરકાર છે. કામ પર આવેલા કર્મચારીઓ પાસેથી વસૂલાત શરૂ થઈ ગઈ છે. જેટલા દિવસો સુધી કામ પર નથી ગયા, તેટલા દિવસોની ભરપાઈ ચાલુ છે. સરકારે આ હડતાળને દરેક કિંમતે ફેલ કરવી છે.

મહાવિકાસ અઘાડી સરકાર પર પ્રકાશ આંબેડકરે લગાવ્યો આ ગંભીર આરોપ, રાજકારણ ગરમાયુ
Prakash Ambedkar & CM Uddhav Thackeray
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 09, 2022 | 11:14 PM

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackeray) માત્ર નામના જ મુખ્ય પ્રધાન છે. તેમની આસપાસ ચોરો અને લૂંટારાઓનો જમાવડો છે. તેઓ મહારાષ્ટ્ર સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (MSRTC Strike) ના કર્મચારીઓની હડતાલને એક તક તરીકે જોઈ રહ્યા છે. તેઓએ પોતાની ખાનગી બસો ચલાવવી છે. તેથી જ તેમને હડતાળ પર ઉતરેલા કર્મચારીઓ પ્રત્યે કોઈ સહાનુભૂતિ નથી. તેમનો હેતુ કર્મચારીઓના પ્રશ્નો હલ કરવાનો નથી. તેના બદલે, તેઓ ઈચ્છે છે કે હડતાળ ફ્લોપ જાય અને મહારાષ્ટ્ર રાજ્ય પરિવહન નિગમની બસો બંધ થાય. બહુજન વિકાસ આઘાડીના વડા અને ડો.બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકરે આ અત્યંત ગંભીર આરોપો લગાવ્યા છે. તેઓ બુધવારે (9 માર્ચ) શિરડીમાં તેમના કાર્યકરોની ત્રણ દિવસીય તાલીમ શિબિર સંબંધિત એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા.

એવા સમયે જ્યારે ભાજપના ધારાસભ્ય ગોપીચંદ પડલકર અને ધારાસભ્ય સદભાઉ ખોત ફરી એકવાર કર્મચારીઓના આંદોલનમાં કૂદવાની તૈયારી કરી રહ્યા છે, ત્યારે પ્રકાશ આંબેડકરે સીએમ ઉદ્ધવ ઠાકરે અને મહા વિકાસ આઘાડી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. છેલ્લા પાંચ મહિનાથી રાજ્ય વાહન વ્યવહાર નિગમના કર્મચારીઓએ હડતાળ શરૂ કરી છે. કોર્પોરેશનને રાજ્ય સરકારમાં મર્જ કરવાની માંગણી હાઈકોર્ટે રચેલી કમિટીએ ફગાવી દીધી છે. જેના કારણે મામલો વધુ ગુંચવાઈ ગયો છે.

‘ સૌથી પહેલા સમર્થન આપ્યું હતુ, સૌથી પહેલા ચેતવણી આપી હતી’

આ સમગ્ર મામલે પ્રકાશ આંબેડકરે કહ્યું ‘તેમની પાર્ટી વંચિત વિકાસ આઘાડી એસટી કર્મચારીઓને સમર્થન આપવા માટે સૌથી પહેલા આવી. જો મુશ્કેલીઓ વધશે તો આંદોલન નહીં ખેંચવાની પણ સલાહ આપી હતી. ખોટા લોકોની આગેવાનીથી હડતાળ પર ઉતરેલા કર્મચારીઓને આ દિવસ જોવો પડ્યો છે. મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને ઉકેલ શોધવાની બે વાર તક મળી. પરંતુ ઉદ્ધવ ઠાકરે નામના જ મુખ્યમંત્રી છે. તેઓ કોઈ કામના નથી. આ રીતે પ્રકાશ આંબેડકરે મુખ્યમંત્રી પર જોરદાર પ્રહારો કર્યા હતા.

કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

‘ચોરો અને લૂંટારાઓની સરકાર, તેમને માત્ર પોતાના સ્વાર્થ માટે પ્રેમ’

પ્રકાશ આંબેડકરે કહ્યું ‘રાજ્ય પરિવહન નિગમના કર્મચારીઓને સાતમા પગાર પંચના આધારે પગાર ચૂકવવો પડશે. આ ચોરો અને લૂંટારાઓની સરકાર છે. કામ પર આવેલા કર્મચારીઓ પાસેથી વસૂલાત શરૂ થઈ ગઈ છે. જેટલા દિવસો સુધી કામ પર નથી ગયા, તેટલા દિવસોની ભરપાઈ શરૂ છે. સરકારે આ હડતાળને દરેક કિંમતે ફેલ કરવી છે. સત્તામાં રહેલા લોકોએ પોતાની બસો ચલાવવી છે. હડતાળના કારણે તેમને તક મળી છે. સરકારી બસો બંધ કરો અને તમારી પોતાની ખાનગી બસો ચાલુ કરો. આ માટે ધારાસભ્યો, રાજ્યકક્ષાના મંત્રીઓ, મુખ્યમંત્રીઓ અને સત્તા પર બેઠેલા રાજકીય પક્ષોના પ્રમુખો દ્વારા પણ પ્રયાસ ચાલુ છે.

આ પણ વાંચો :  મહારાષ્ટ્રમાં માવઠું! નાસિકમાં દ્રાક્ષ, ડુંગળી તો કોંકણમાં કેરી, કાજુના પાકને નુક્સાન, ખેડૂતોની હાલત કફોડી

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">