Maharashtra: જિલ્લા પરિષદ, પંચાયત સમિતિઓની પેટાચૂંટણીની જાહેરાત, 5 ઓક્ટોબરે થશે મતદાન

જે 5 જિલ્લા પરિષદો જેના માટે પેટાચૂંટણી યોજાઈ રહી છે તે છે ધુલે, નંદુરબાર, અકોલા, વાશિમ અને નાગપુર. આ પાંચ જિલ્લા પરિષદો અને તેમના હેઠળની પંચાયત સમિતિઓની પેટાચૂંટણી માટે 5 ઓક્ટોબરે મતદાન થશે. જ્યારે 6 ઓક્ટોબરે મતગણતરી થશે.

Maharashtra: જિલ્લા પરિષદ, પંચાયત સમિતિઓની પેટાચૂંટણીની જાહેરાત, 5 ઓક્ટોબરે થશે મતદાન
સાંકેતીક તસવીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2021 | 10:35 PM

સુપ્રીમ કોર્ટે (Supreme Court) ઓબીસી અનામતના (OBC Reservation) મુદ્દે ચૂંટણીને આગળ વધારવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો હતો. આ પછી એવી સંભાવના આવી હતી કે મહારાષ્ટ્રમાં જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિઓની પેટાચૂંટણીની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

કોર્ટે 48 કલાકમાં તારીખ જાહેર કરવાનો નિર્દેશ આપ્યો હતો. આજે (13 સપ્ટેમ્બર, સોમવાર) રાજ્ય ચૂંટણી પંચે (Maharashtra Election Commission) આને લગતી  તારીખોની જાહેરાત કરી છે. જેના અનુસાર 5 ઓક્ટોબરે મતદાન થશે અને 6 ઓક્ટોબરે મત ગણતરી કરવામાં આવશે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

ધુલે, નંદુરબાર, અકોલા, વાશિમ અને નાગપુર જિલ્લા પરિષદની પેટા ચૂંટણી

જે 5 જિલ્લા પરિષદો જેના માટે પેટાચૂંટણી યોજાઈ રહી છે તે છે ધુલે, નંદુરબાર, અકોલા, વાશિમ અને નાગપુર. આ પાંચ જિલ્લા પરિષદો અને તેમના હેઠળની પંચાયત સમિતિઓની પેટા ચૂંટણી માટે આ મતદાન કરવામાં આવશે.  સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આ ચૂંટણીઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ છે પેટાચૂંટણીનું ટાઈમટેબલ 

પાલઘર જિલ્લા પરિષદની પેટાચૂંટણી માટે અરજી 15 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર વચ્ચે દાખલ કરવામાં આવશે. 21 સપ્ટેમ્બરે તેની તપાસ કરવામાં આવશે. આગામી તબક્કામાં બાકીના જિલ્લાઓમાં પેટાચૂંટણી યોજાશે. પાલઘર સિવાય અન્ય સ્થળોની પેટાચૂંટણી તપાસ પૂર્ણ થયા બાદ મુલતવી રાખવામાં આવી હતી.

હવે 21 સપ્ટેમ્બરે પાલઘર સહિત તમામ સ્થળો માટેના માન્ય ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવશે. 29 સપ્ટેમ્બર સુધી નોમિનેશન પરત ખેંચી શકાશે. આ પછી 5 ઓક્ટોબરે મતદાન થશે અને 6 ઓક્ટોબરે મત ગણતરી થશે. આ પેટાચૂંટણી પાંચ જિલ્લા પરિષદની 85 બેઠકો અને તેમના હેઠળ પંચાયત સમિતિઓની 144 બેઠકો માટે યોજાઈ રહી છે.

ક્યા, કેટલી બેઠકો માટે થશે મતદાન

જે પાંચ જિલ્લા પરિષદની 85 બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે તેમાં ધુલેમાં 15, નંદુરબારમાં 11, અકોલામાં 14, વાશિમમાં 14, નાગપુરમાં 16 બેઠકો આવેલી છે. પંચાયત સમિતિઓની વાત કરીએ તો જે 144 બેઠકો માટે મતદાન કરવામાં આવશે, તેમાંથી ધુલેમાં 30, નંદુરબારમાં 14, અકોલામાં 28, વાશિમમાં 27, નાગપુરમાં 31 બેઠકો રહેલી છે.

આ કારણે પેટાચૂંટણીઓ મોકૂફ રાખવામાં આવી હતી

પાંચ જિલ્લા પરિષદો અને તેમની સાથે જોડાયેલી પંચાયત સમિતિઓની ખાલી બેઠકો માટે પેટા ચૂંટણી 19 જુલાઈ, 2021ના ​​રોજ યોજાવાની હતી. પરંતુ સુપ્રીમ કોર્ટના 6 જુલાઈના આદેશ અને કોવિડની સ્થિતિને જોતા રાજ્ય સરકારે કરેલી વિનંતીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે પેટાચૂંટણી મુલતવી રાખી.

પરંતુ 9 સપ્ટેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે રાજ્ય સરકાર દ્વારા લાદવામાં આવેલા કોવિડ પ્રતિબંધો પેટા ચૂંટણી કાર્યક્રમો પર લાગુ પડતા નથી. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને પેટાચૂંટણી અંગે તાત્કાલિક નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો હતો. આ આદેશ હેઠળ હવે રાજ્ય ચૂંટણી પંચે પેટા ચૂંટણીનો કાર્યક્રમ પૂર્ણ કરવાની જાહેરાત કરી છે.

દરેક પક્ષ ઓબીસી સામે ઓબીસી ઉમેદવારને જ ઉતારશે મેદાનમાં

એકંદરે પરિસ્થિતિ એવી બની રહી છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા રદ કરાયેલા પહેલા જે સીટ ઓબીસી ઉમેદવારો માટે રીઝર્વ હતી. તે બેઠક પર અઘોષિત રૂપથી બધી પાર્ટી ઓબીસી ઉમેદવાર જ ઉતારશે. ભલે કોર્ટે અનામત રદ કરી હોય, પરંતુ કોઈ પણ પાર્ટી ઓબીસી વર્ગને નિરાશ કરવાનું જોખમ લેવા નથી માંગતી. આ રીતે આ જિલ્લા પરિષદમાં પેટાચૂંટણી ઓબીસી સામે ઓબીસી ઉમેદવારો વચ્ચે જ યોજાવાની છે.

આ પણ વાંચો :  મહારાષ્ટ્ર સરકારના મંત્રી પર 127 કરોડના કૌભાંડનો આરોપ, NCP નેતા હસન મુશ્રીફ ભાજપના નેતા કિરીટ સોમૈયા સામે કરશે 100 કરોડનો માનહાનીનો દાવો

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">