AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વર્લ્ડ કપની ફાઈનલ પર શરૂ થઈ રાજનીતિ, સંજય રાઉતે કહ્યુ નરેન્દ્ર મોદી સ્ટેડિયમના બદલે વાનખેડેમાં રમાતી તો જીતી જતા !

ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં ભારતની હાર પર પણ હવે રાજનીતિ શરૂ થઈ ગઈ છે. શિવસેના સાંસદ સંજય રાઉતે ભાજપ પર નિશાન સાધ્યુ કે જો મહારાષ્ટ્રના વાનખેડે સ્ટેડિયમમાં ફાઈનલ રમાઈ હોત તો ટીમ ઈન્ડિયા ટ્રોફી જીતી જાત. આ સાથે જ સંજય રાઉતે જણાવ્યુ કે કાલ સુધી જે ક્રિકેટ એક રમત હતી આ જે તે એક રાજકીય ઈવેન્ટ બની ગઈ છે.

વર્લ્ડ કપની ફાઈનલ પર શરૂ થઈ રાજનીતિ, સંજય રાઉતે કહ્યુ નરેન્દ્ર મોદી સ્ટેડિયમના બદલે વાનખેડેમાં રમાતી તો જીતી જતા !
| Updated on: Nov 20, 2023 | 10:28 PM
Share

ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઈનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયા સામે કરારી હારનો સામનો કરવો પડ્યો છે. હવે આ હારને લઈને પણ રાજનીતિ શરૂ થઈ ગઈ છે. શિવસેના (ઉદ્ધવ જૂથ)ના સાંસદ સંજય રાઉતનું કહેવુ છે કે જો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બદલે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયો હોત તો ટીમ ઈન્ડિયા એ મેચ જીતી જાત.

સાંસદ સંજય રાઉતે જણાવ્યુ કે આમ તો તેમને ક્રિકેટ અંગે વધુ જાણકારી તો નથી. પરંતુ એટલુ સમજે છે કે ફાઈનલ મેચ જો દિલ્હી કે મુંબઈમાં રમાઈ હોત તો ભારત જીત્યુ હોત. તેમણે આરોપ લગાવ્યો કે આ વખતે ક્રિકેટમાં એક રાજ્યની રાજકીય લોબીની એન્ટ્રી થઈ ગઈ છે. તેમણે ત્યાં સુધી કહ્યુ કે મેચ ભારત vs ઓસ્ટ્રેલિયા નહીં પરંતુ ભાજપ vs ઓસ્ટ્રેલિયા હતી.

ક્રિકેટ હવે રાજકીય ઈવેન્ટ બની ગઈ

મીડિયા સાથેની વાતચીતમાં રાઉતે ફાઈનલ મુકાબલાને ભાજપની રાજકીય ઈવેન્ટ ગણાવી દીધી. તેમણે કહ્યુ કાલ સુધી જે ક્રિકેટ માત્ર એક રમત હતી, જેમા સમગ્ર દેશવાસીઓ સામેલ હતા, આજે તેમા ભાજપની એન્ટ્રી થઈ ગઈ છે. જેના કારણે આ રમત હવે રમત નહીં પરંતુ રાજકીય ઈવેન્ટ બની ગઈ છે. તેમણે કહ્યુ કે જ્યારથી દેશમાં મોદી સરકાર આવી છે દરેક ચીજને રાજકીય ઈવેન્ટ બનાવવામા આવી રહી છે.

આ પણ વાંચો: રાજકોટ મનપા અને પોલીસ આમને-સામને, સરકારી કાર્યક્રમમાં જ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાતા વિવાદ

કપિલ દેવ ને ન બોલાવવા અંગે દર્શાવી નારાજગી

આ સાથે જ સાંસદ સંજય રાઉતે વર્લ્ડ કપની મેચ દરમિયાન ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવને ન બોલાવવા અંગે પણ સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યુ મેચ જોવા માટે નેતાઓ અને અભિનેતાઓને બોલાવવામાં આવ્યા પરંતુ દેશને જેમણે સૌપ્રથમ વિશ્વકપ અપાવ્યો તેમને આમંત્રિત ન કરાયા. તેમણે કહ્યુ કે જો કપિલ દેવ સ્ટેડિયમમાં હોત તો રાજકીય નેતાઓની પ્રસિદ્ધિ પર ગ્રહણ લાગી જાત. સંજય રાઉત આટલેથી ન અટક્યા. તેમણે કહ્યુ ભાજપ કોર્પોરેટ કંપનીને પણ તેના કબ્જામાં લેવાની યોજના બનાવી રહી છે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">