AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM મોદી 6ઠ્ઠી માર્ચે પુણે મેટ્રો રેલ પ્રોજેક્ટનું લોકાર્પણ અને છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું કરશે અનાવરણ

પીએમ પૂણે મ્યુનિસિપલ કોર્પોરેશન પરિસરમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાના અનાવરણ સાથે આરકે લક્ષ્મણ આર્ટ ગેલેરી-મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરશે, સાથોસાથ PM અનેક વિકાસલક્ષી યોજનાઓનો શિલાન્યાસ પણ કરશે

PM મોદી 6ઠ્ઠી માર્ચે પુણે મેટ્રો રેલ પ્રોજેક્ટનું લોકાર્પણ અને છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું કરશે અનાવરણ
Prime Minister Narendra Modi (file photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 05, 2022 | 4:45 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આવતીકાલ 6 માર્ચના રોજ પુણે મેટ્રો રેલ પ્રોજેક્ટનું (Pune Metro Rail Project) ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે. વડાપ્રધાન મોદી સવારે 11 વાગ્યે પૂણે મ્યુનિસિપલ કોર્પોરેશન પરિસરમાં 1850 કિલો ગન મેટલથી બનેલી છત્રપતિ શિવાજી મહારાજની (Chhatrapati Shivaji Maharaj) પ્રતિમાનું અનાવરણ કરશે. આ મૂર્તિ લગભગ 9.5 ફૂટ ઊંચી છે. વડાપ્રધાન સવારે 11.30 વાગ્યે પુણે મેટ્રો રેલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ પુણેમાં અવરજવર માટે વિશ્વ કક્ષાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવાનો પ્રયાસ છે. 24 ડિસેમ્બર, 2016ના રોજ વડાપ્રધાન દ્વારા પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો હતો.

વડાપ્રધાન કુલ 32.2 કિમી પુણે મેટ્રો રેલ પ્રોજેક્ટના 12 કિમીના ફેઝનુ ઉદ્ઘાટન કરશે. આ સમગ્ર પ્રોજેક્ટ કુલ રૂ. 11,400 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન મોદી ગરવારે મેટ્રો સ્ટેશન ખાતે, સમગ્ર પ્રોજેક્ટનુ નિરીક્ષણ પણ કરશે અને ત્યાંથી આનંદનગર મેટ્રો સ્ટેશન સુધી મેટ્રોમાં મુસાફરી કરશે.

બપોરે લગભગ 12 વાગ્યે, વડા પ્રધાન અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે અને તેનું ઉદ્ઘાટન કરશે. તેઓ મુલા-મુથા નદીના પ્રોજેક્ટના કાયાકલ્પ અને પ્રદૂષણ ઘટાડવા માટે શિલાન્યાસ પણ કરશે. રૂ.1080 કરોડથી વધુના પ્રોજેક્ટના ખર્ચે નદીના નવ કિલોમીટરના પટને પુનઃજીવિત કરવામાં આવશે. જેમાં નદી કાંઠાની સુરક્ષા, ઈન્ટરસેપ્ટર સીવેજ નેટવર્ક, જાહેર સુવિધાઓ, બોટિંગ પ્રવૃત્તિ વગેરે જેવા કાર્યોનો સમાવેશ થશે. મુલા-મુથા નદી પ્રદૂષણ નિવારણ પ્રોજેક્ટ રૂ. 1470 કરોડથી વધુના ખર્ચે “એક શહેર એક ઓપરેટર” ના વિચાર પર અમલમાં આવશે. આશરે 400 MLD ની કુલ ક્ષમતા સાથે કુલ 11 સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પ્રોજેક્ટ હેઠળ બાંધવામાં આવશે. વડાપ્રધાન 100 ઈ-બસ અને બાનેરમાં બનેલા ઈ-બસ ડેપોનું પણ લોકાર્પણ કરશે.

પુણેના બાલેવાડી ખાતે બનેલ આર.કે લક્ષ્મણ આર્ટ ગેલેરી-મ્યુઝિયમનું ઉદ્ઘાટન વડાપ્રધાન કરશે. મ્યુઝિયમની વિશેષતા માલગુડી ગામ પર આધારિત લઘુચિત્ર મોડેલ છે, જેને ઑડિયો-વિઝ્યુઅલ ઇફેક્ટ્સ દ્વારા જીવંત કરવામાં આવશે. કાર્ટૂનિસ્ટ આર. ના. લક્ષ્મણ દ્વારા બનાવેલા કાર્ટૂન, આ મ્યુઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવશે. આ પછી, લગભગ 1:45 વાગ્યે, વડા પ્રધાન સિમ્બાયોસિસ યુનિવર્સિટીની સુવર્ણ જયંતિ ઉજવણીનો પ્રારંભ કરાવશે.

આ પણ વાંચોઃ

UP Assembly Elections: PM મોદીએ વારાણસીમાં કહ્યું: ‘યુક્રેન મુદ્દે વિપક્ષે રાજનીતિ શરૂ કરી

Maharashtra: મંત્રી અને NCP નેતા નવાબ મલિકના રાજીનામા પર ભાજપ અડગ, વિધાનસભાના પગથિયા પર ધારાસભ્યોએ કર્યુ પ્રદર્શન

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
g clip-path="url(#clip0_868_265)">