AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi Mumbai Visit: મોટા સમાચાર! પીએમ મોદી મુંબઈ આવશે, પરંતુ સીએમ ઠાકરે તેમની સાથે કાર્યક્રમમાં હાજરી નહી આપે

PM Modi Mumbai Visit: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે (24 એપ્રિલ, રવિવાર) સાંજે 4.30 વાગ્યે મુંબઈ આવી રહ્યા છે (PM Narendra Modi in Mumbai) પીએમ મોદી પ્રથમ લતા મંગેશકર એવોર્ડ સ્વીકારવા માટે મુંબઈ આવી રહ્યા છે. પરંતુ સીએમ ઉદ્ધવ ઠાકરે આ કાર્યક્રમમાં હાજરી આપશે નહીં. કાર્યક્રમને લગતા પ્રસિદ્ધ નિમંત્રણ પત્રિકામાં ઉદ્ધવ ઠાકરેનું નામ નથી.

PM Modi Mumbai Visit: મોટા સમાચાર! પીએમ મોદી મુંબઈ આવશે, પરંતુ સીએમ ઠાકરે તેમની સાથે કાર્યક્રમમાં હાજરી નહી આપે
PM Modi Mumbai Visit (File)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 24, 2022 | 3:32 PM
Share

PM Modi Mumbai Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) આજે (24 એપ્રિલ, રવિવાર) સાંજે 4.30 કલાકે મુંબઈ આવી રહ્યા છે (PM Narendra Modi in Mumbai) પીએમ મોદી પ્રથમ લતા મંગેશકર એવોર્ડ (Lata Mangeshkar Award)સ્વીકારવા મુંબઈ આવી રહ્યા છે. પરંતુ સીએમ ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackeray)આ કાર્યક્રમમાં હાજરી આપશે નહીં. કાર્યક્રમને લગતા પ્રસિદ્ધ નિમંત્રણ પત્રિકામાં ઉદ્ધવ ઠાકરેનું નામ નથી. તેથી લગભગ સ્પષ્ટ છે કે સીએમ પીએમ સાથે સ્ટેજ શેર કરવાના નથી.એવું પણ બહાર આવી રહ્યું છે કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એરપોર્ટ પર પીએમ નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા નહીં જાય. મુંબઈ એરપોર્ટ પર ઉદ્યોગ મંત્રી સુભાષ દેસાઈ પીએમ મોદીનું સ્વાગત કરવા જઈ રહ્યા છે. PM મોદીનું સ્વાગત કરવા માટે મુંબઈ એરપોર્ટ પર ઉદ્યોગ મંત્રી સુભાષ દેસાઈની સાથે પ્રવાસન મંત્રી આદિત્ય ઠાકરે પણ હાજર રહેશે. સૂત્રોના હવાલાથી આ સમાચાર સામે આવ્યા છે.

આ કાર્યક્રમ સાંજે 5 વાગ્યે શરૂ થશે. એટલા માટે પીએમ મોદી તેના અડધા કલાક પહેલા એટલે કે 4.30 વાગ્યે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટ પર પહોંચશે. પ્રોટોકોલ મુજબ સામાન્ય રીતે આવી સ્થિતિમાં મુખ્યમંત્રી એરપોર્ટ પર જઈને વડાપ્રધાનનું સ્વાગત કરે છે. પરંતુ ઉદ્ધવ ઠાકરે પીએમ મોદીના સ્વાગત માટે એરપોર્ટ જવાના નથી. ઉદ્ધવ ઠાકરે તેમની તબિયત કે અન્ય કોઈ કારણસર નહીં જાય તે અંગે હાલમાં કોઈ માહિતી મળી નથી. જાણવા મળ્યું છે કે સીએમ ઠાકરે ન તો પીએમ મોદીનું સ્વાગત કરવા એરપોર્ટ જશે અને ન તો એવોર્ડ સંબંધિત કાર્યક્રમમાં ભાગ લેશે.

કિરીટ સોમૈયા પર હુમલો, રાણા દંપતિને જેલ, તો PM મોદીની આજે મુંબઈ મુલાકાત

ભાજપના નેતા કિરીટ સોમૈયા પર મોડી રાત્રે શિવસૈનિકોએ હુમલો કર્યો હતો. રાણા દંપતીને આજે 6 મે સુધી જેલમાં મોકલવામાં આવ્યા હતા. આના એક દિવસ પહેલા ભાજપના નેતા મોહિત કંબોજની કાર પર શિવસૈનિકોએ હુમલો કર્યો હતો. એટલે કે છેલ્લા કેટલાક દિવસોથી ભાજપ અને શિવસેનાના કાર્યકરો અને નેતાઓ વચ્ચે ભારે ખેંચતાણ અને ઘર્ષણ ચાલી રહ્યું છે. આવા માહોલમાં પીએમ મોદી મુંબઈ આવી રહ્યા છે. માસ્ટર દીનાનાથ મંગેશકરની 80મી પુણ્યતિથિ નિમિત્તે મંગેશકર પરિવાર અને માસ્ટર દીનાનાથ મંગેશકર સ્મૃતિ પ્રતિષ્ઠાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લતા મંગેશકર એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. આ પહેલો એવોર્ડ પીએમ નરેન્દ્ર મોદીને આપવામાં આવી રહ્યો છે.આ કાર્યક્રમ માટુંગાના ષણમુખાનંદ હોલમાં યોજાવાનો છે.

આ પણ વાંચો-બીજેપી સાંસદ સાક્ષી મહારાજે ભીડથી બચવાની આપી સલાહ! કહ્યું ઘરમાં ઠંડા પીણાની બોટલ અને તીર રાખો, પોલીસ બચાવવા નહીં આવે

આ પણ વાંચો-આ વખતે PMOથી થશે કેદારનાથ યાત્રાનું મોનિટરિંગ, વડાપ્રધાન મોદીના નામે થશે પ્રથમ પૂજા

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">