AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ વખતે PMOથી થશે કેદારનાથ યાત્રાનું મોનિટરિંગ, વડાપ્રધાન મોદીના નામે થશે પ્રથમ પૂજા

Kedarnath: માહિતી અનુસાર, કેદારનાથથી રુદ્રપ્રયાગ અને દેહરાદૂન સુધીના PMOને એક સંકલિત નેટવર્કથી જોડવામાં આવી રહ્યું છે અને આવું પહેલીવાર થઈ રહ્યું છે કે કેદારનાથ યાત્રાને વડાપ્રધાન કાર્યાલયથી લાઈવ જોઈ શકાશે.

આ વખતે PMOથી થશે કેદારનાથ યાત્રાનું મોનિટરિંગ, વડાપ્રધાન મોદીના નામે થશે પ્રથમ પૂજા
File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 24, 2022 | 1:00 PM
Share

ઉત્તરાખંડમાં ( Uttarakhand) કેદારનાથ યાત્રા આ વખતે છ મહિનાથી શરૂ થઈ રહી છે અને આ વખતે યાત્રાનું મોનિટરિંગ સીધું વડાપ્રધાન કાર્યાલયથી કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પોતે તેમના કાર્યાલયમાંથી યાત્રાનું જીવંત પ્રસારણ નિહાળશે. આ સાથે રાજ્યના મુખ્યમંત્રી, મુખ્ય સચિવ અને જિલ્લા મેજિસ્ટ્રેટ પણ તેમની ઓફિસમાંથી પ્રવાસ વ્યવસ્થાની સ્થિતિ જોઈ શકશે. આ સાથે કેદારનાથ (Kedarnath) ગંગોત્રી અને યમુનોત્રી ધામના દરવાજા ખોલવા પર આ વખતે પણ પહેલી પૂજા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે કરવામાં આવશે.

માહિતી અનુસાર કેદારનાથથી રુદ્રપ્રયાગ અને દેહરાદૂન સુધીના PMOને એક સંકલિત નેટવર્કથી જોડવામાં આવી રહ્યું છે અને આવું પહેલીવાર થઈ રહ્યું છે કે કેદારનાથ યાત્રાને વડાપ્રધાન કાર્યાલયથી લાઈવ જોઈ શકાશે. પીએમ નરેન્દ્ર મોદી તેમની ઓફિસથી બાબા કેદારની મુલાકાત લઈ શકશે અને યાત્રાને પણ જોઈ શકશે. NICએ યાત્રાના જીવંત પ્રસારણ અને દેખરેખ માટે કેદારનાથથી સોનપ્રયાગ વચ્ચે 10 હાઈ ફ્રિકવન્સી કેમેરા લગાવ્યા છે અને આ કેમેરા દ્વારા 17 કિમી પગપાળા માર્ગના દરેક ભાગ પર નજર રાખી શકાય છે.

વીડિયો અને ઓડિયો કોલિંગ દ્વારા કોમ્યુનિકેશન કરી શકાય છે

મળતી માહિતી મુજબ ડીએમ ઓફિસ અને યાત્રા કંટ્રોલ રૂમમાં લગાવવામાં આવેલા એલઈડી દ્વારા કેદારનાથ યાત્રા પર નજર રાખવામાં આવશે. આ સાથે સચિવાલયને જિલ્લા કાર્યાલય રુદ્રપ્રયાગ સાથે અને એનઆઈસી ઈન્ટીગ્રેટેડથી પીએમઓ ઓફિસ સુધી ઈન્ટીગ્રેટેડ નેટવર્ક દ્વારા કનેક્ટ કરીને પ્રવાસને લાઈવ જોઈ શકાશે. આ સિવાય જરૂર જણાય તો અધિકારીઓ સાથે વીડિયો અને ઓડિયો કોલિંગ દ્વારા વાતચીત કરી શકાય છે.

પીએમ મોદીએ ડ્રોન કેમેરા વડે કેદારનાથના પુનઃનિર્માણની સમીક્ષા કરી છે

પીએમ નરેન્દ્ર મોદી પહેલાથી જ ડ્રોન કેમેરા દ્વારા કેદારનાથ પુનર્નિર્માણ હેઠળ ચાલી રહેલા કામ પર નજર રાખી ચૂક્યા છે. 2018 અને 2019માં પીએમ મોદીએ ડ્રોન કેમેરા દ્વારા શંકરાચાર્ય સમાધિ સ્થળ, સરસ્વતી નદી પરના આસ્થા પથ અને મંદિર સંકુલના વિસ્તરણના કામોનું નિરીક્ષણ કર્યું હતું.

હોટલ અને ઢાબાઓએ રેટ લિસ્ટની જાહેરાત કરવી પડશે

રાજ્યના પર્યટન મંત્રી સતપાલ મહારાજે કહ્યું કે કેદારનાથ યાત્રાના રૂટ પર આવેલી હોટલ અને ઢાબાઓએ ભોજન અને રહેવાની સુવિધાઓ માટે રેટ લિસ્ટ દર્શાવવું પડશે. કોઈપણ પેસેન્જર પાસે વધુ ચાર્જ ન લેવામાં આવે. જો કોઈ આવું કરશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: Corona Latest Update: 505 દિવસ સુધી કોવીડ પોઝીટીવ રહેનારા વ્યક્તિની એ વાત કે જેના તમામ 45 ટેસ્ટ પોઝીટીવ આવ્યા હતા

આ પણ વાંચો: IPL 2022: વિરાટ કોહલી અને રોહિત શર્માના કંગાળ પ્રદર્શનથી ટીમ ઈન્ડિયાની વધી ચિંતા, સિઝનમાં રન માટે તરસી રહ્યા છે બંને સ્ટાર

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
g clip-path="url(#clip0_868_265)">