AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હનુમાન ચાલીસા વિવાદમાં હવે AAPની એન્ટ્રી ! સોશિયલ મીડિયાના માધ્યમથી હનુમાન ચાલીસાના કર્યા પાઠ

Hanuman Chalisa controversy: મહારાષ્ટ્રમાં સાંસદ નવનીત રાણાના ઘરની બહાર હનુમાન ચાલીસાના પાઠને લઈને વિવાદ થયો છે. પોલીસે રાણા દંપતીની ધરપકડ કરી છે અને કોર્ટે તેમને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે.

હનુમાન ચાલીસા વિવાદમાં હવે AAPની એન્ટ્રી ! સોશિયલ મીડિયાના માધ્યમથી હનુમાન ચાલીસાના કર્યા પાઠ
AAP Party (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 25, 2022 | 2:27 PM
Share

હનુમાન ચાલીસાના (Hanuman Chalisa) વિવાદમાં હવે આમ આદમી પાર્ટી (AAP)ના મુંબઈ યુનિટની પણ એન્ટ્રી થઈ ગઈ છે. રવિવારે આમ આદમી પાર્ટીએ ટ્વીટર દ્વારા હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કર્યું હતું. ‘ભાઉ-બંધુત્વ આની એકતેચી હનુમાન ચાલીસા’ શીર્ષક દ્વારા પાર્ટીએ જણાવ્યું કે તે ભાજપના પ્રયાસોથી દુભાય છે અને હનુમાન ચાલીસાનો દુરુપયોગ કરીને મુંબઈમાં અશાંતિ પેદા કરવા માટે એક પ્રોક્સી છે. AAPએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackeray) , ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને MNS વડા રાજ ઠાકરેને (Raj Thakeray) પણ આ પાઠ માટે આમંત્રણ આપ્યું હતું. આમ આદમી પાર્ટીનો આરોપ છે કે ભાજપના આઈટી સેલે તેમની ટ્વીટર સ્પેસ બંધ કરી દીધી છે.

તમને જણાવી દઈએ કે અમરાવતીના (Amaravati) સાંસદ નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. બાંદ્રા કોર્ટના આ નિર્ણય બાદ રાણા દંપતીએ જામીન અરજી માટે અપીલ કરી છે. તેની જામીન અરજી પર 29 એપ્રિલે સુનાવણી થશે. જ્યાં સુધી જામીન ન મળે ત્યાં સુધી નવનીત રાણાને ભાયખલા જેલમાં મોકલવામાં આવશે. મહિલા આરોપીઓને ભાયખલા જેલમાં મોકલવામાં આવે છે. પુરૂષ આરોપીઓને સામાન્ય રીતે આર્થર રોડ જેલમાં મોકલવામાં આવે છે. પરંતુ હવે જે સમાચાર આવી રહ્યા છે તે મુજબ નવનીત રાણાને ભાયખલા જેલમાં અને રવિ રાણાને થાણેની તલોજા જેલમાં મોકલવામાં આવશે.

જામીન અરજી પર 29મી એપ્રિલે સુનાવણી હાથ ધરવામાં આવશે

જામીન અરજી પર 29 એપ્રિલે સુનાવણી થશે. ત્યાં સુધી રાણા દંપતી જેલમાં જ રહેશે. આવતીકાલે ફરી રેગ્યુલર કોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવશે. કોર્ટના નિર્ણય બાદ સરકારી વકીલ પ્રદીપ ઘરતે જણાવ્યું હતું કે રાણા દંપતીને કલમ 149 હેઠળ નોટિસ આપવામાં આવી હતી. આ હોવા છતાં તેમણે નોટિસનો અનાદર કર્યો અને મુખ્યપ્રધાન વિશે વાંધાજનક નિવેદન કર્યું અને આમ મહારાષ્ટ્ર સરકારને પડકાર ફેંક્યો.

બિનજામીનપાત્ર ગુનો

તમને જણાવવું રહ્યું કે,હાલ રાણા દંપતી વિરુદ્ધ 124-A હેઠળ રાજદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો છે. એટલે કે રાણા પર રાજદ્રોહનો આરોપ છે. આ રીતે રાણા દંપતી પર તેમના નિવેદનોથી તણાવ ફેલાવવાનો અને સરકાર વિરુદ્ધ ભડકાઉ ભાષણ કરવાનો આરોપ છે. રાજદ્રોહ એ બિનજામીનપાત્ર ગુનો છે.

આ પણ વાંચોઃ

લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ કાર્યક્રમમાં CM ઠાકરેની બાદબાકી, લોકોએ મહારાષ્ટ્રનું અપમાન ગણાવ્યું

આ પણ વાંચોઃ

આર્થર રોડ જેલ હાઉસફુલ, નવનીત રાણાના MLA પતિ રવિ રાણાને તળોજા જેલમાં ખસેડાયા

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">