AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આર્થર રોડ જેલ હાઉસફુલ, નવનીત રાણાના MLA પતિ રવિ રાણાને તળોજા જેલમાં ખસેડાયા

Hanuman Chalisa row મુંબઈ પોલીસે શનિવારે સાંજે મહારાષ્ટ્રના અમરાવતીથી અપક્ષ સંસદ સભ્ય નવનીત રાણા અને તેમના પતિ રવિ રાણા કે જેઓ, મહારાષ્ટ્રની બડનેરા બેઠકના ધારાસભ્ય છે તેમની "વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટ ઉભી કરવાના આરોપમાં" ધરપકડ કરી હતી.

આર્થર રોડ જેલ હાઉસફુલ, નવનીત રાણાના MLA પતિ રવિ રાણાને તળોજા જેલમાં ખસેડાયા
Ravi Rana transferred to Taloja JailImage Credit source: ANI
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 25, 2022 | 7:05 AM
Share

મહારાષ્ટ્રમાં હનુમાન ચાલીસા વિવાદ (Hanuman Chalisa row) બાદ ધરપકડ કરાયેલ અપક્ષ ધારાસભ્ય રવિ રાણા (MLA Ravi Rana) અને તેમની પત્ની સાંસદ નવનીત રાણાને (MP Navneet Rana) રવિવારે કોર્ટે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા. બંને નેતાઓને અલગ-અલગ જેલમાં રાખવામાં આવ્યા છે. નવનીત રાણાને ભાયખલા મહિલા જેલમાં રાખવામાં આવ્યા છે. જ્યારે તેના પતિ રવિ રાણાને આર્થર રોડ જેલમાં રાખવાના હતા, પરંતુ ત્યાં કેદીઓની વધુ સંખ્યાને કારણે રવિ રાણાને નવી મુંબઈની તળોજા જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે.

મુંબઈ પોલીસે શનિવારે સાંજે મહારાષ્ટ્રના અમરાવતીથી અપક્ષ સંસદ સભ્ય નવનીત રાણા અને તેમના પતિ રવિ રાણા કે જેઓ, મહારાષ્ટ્રની બડનેરા બેઠકના ધારાસભ્ય છે તેમની “વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટ ઉભી કરવાના આરોપમાં” ધરપકડ કરી હતી. ધરપકડ પૂર્વે, રાણા દંપતીએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના ખાનગી નિવાસસ્થાન માતોશ્રીની બહાર હનુમાન ચાલીસા વાંચવાની જાહેરાત કરી હતી. જો કે પછીથી તેમણે આ કાર્યક્રમ રદ કર્યો હતો.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, બંને સામે ભારતીય દંડ સંહિતાની કલમ 153 (a) અને 353 અને મુંબઈ પોલીસ અધિનિયમની કલમ 135 (પોલીસ પ્રતિબંધક આદેશોનું ઉલ્લંઘન) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. બંનેને રવિવારે બાંદ્રાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા, એમ સરકારી વકીલ પ્રદીપ ઘરતે જણાવ્યું હતું.

“તેમની સામે IPCની કલમ 124-A (રાજદ્રોહ) હેઠળ પણ આરોપો છે કારણ કે તેણે સરકારી તંત્રને પડકાર ફેંક્યો હતો અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ ટિપ્પણીઓ કરી હતી,” ઘરતે વધુમાં જણાવ્યું હતું કે કોર્ટ રાણા દંપતીની જામીન અરજી પર 29 એપ્રિલે સુનાવણી કરશે. રાણા દંપતી તરફથી હાજર રહેલા એડવોકેટ રિઝવાન મર્ચન્ટે કહ્યું, “ખાર પોલીસ સ્ટેશનમાં બંને વિરુદ્ધ બે અલગ-અલગ FIR નોંધવામાં આવી છે. તમામ આરોપો પાયાવિહોણા છે અને અમે જામીન માટે અરજી કરીશું.

આ પણ વાંચોઃ

PM મોદીને પ્રથમ લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ મળ્યો, આ સન્માન દેશના લોકોને સમર્પિત કર્યું

આ પણ વાંચોઃ

Maharashtra: અમરાવતીમાં કંડલી ગેસ સિલિન્ડરના ગોડાઉનમાં ભીષણ આગ, બે કિલોમીટર સુધી વિસ્ફોટનો અવાજ સંભળાયો, જુઓ Video

Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">